![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sabarkantha: ગણેશ વિસર્જન કરતા સમયે બે યુવાનો સાબરમતી નદીમાં ડૂબ્યા, ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે
સાબરકાંઠા: આજે ઠેરઠેર ભક્તિ ભાવ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સાબરકાંઠા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક ગોજારી ઘટના સામે આવી છે.
![Sabarkantha: ગણેશ વિસર્જન કરતા સમયે બે યુવાનો સાબરમતી નદીમાં ડૂબ્યા, ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે Two youths drowned in the Sabarmati River while performing Ganesh immersion in Sabarkantha Sabarkantha: ગણેશ વિસર્જન કરતા સમયે બે યુવાનો સાબરમતી નદીમાં ડૂબ્યા, ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/fe14a150dcd61638bf26741601c9aba91695896908109397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સાબરકાંઠા: આજે ઠેરઠેર ભક્તિ ભાવ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સાબરકાંઠા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક ગોજારી ઘટના સામે આવી છે. આજે ગણેશ વિસર્જન માટે ગયેલા કેટલાક યુવાનો પૈકીના બે યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. સાબરમતી નદીમાં બે યુવાનો ગણેશજીની મૂર્તિ વિસર્જન કરતા સમયે ડૂબી જતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાંતિજના ગલતેશ્વર ખાતે બે યુવાનો સાબરમતી નદીમાં ડૂબ્યા છે. પ્રાંતિજના તાજપુર અને ગાંધીનગરના પીપરોજના બે યુવાનો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાનવી જાણ તાત્કાલિક પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ તથા હિંમતનગર ફાયર ટીમને જાણ કરવામા આવી હતી. પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને પાણીમાં યુવાનોની શોધખોળ આદરી હતી.
ભાદરવી પૂનના મેળામાં એક યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. દરમિયાન ફરજ પરનો પોલીસ જવાન યુવક માટે દેવદૂત બનીને આવ્યો અને તેનો જીવ બચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અંબાજીમાં ભાદરવી પૂનમમાં એક યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારે ફરજ પરના પોલીસ જવાને યુવકને CPR આપી જીવ બચાવ્યો હતો. બાદમાં પોલીસ વાન મારફતે યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી હતી.
ભાદરવી પૂનમ-૨૦૨૩ મહામેળા દરમિયાન એક યુવકને હાર્ટ અટેક આવતા બેભાન થઇને ઢળી પડ્યો હતો. દરમિયાન સ્થળ પર હાજર પોલીસ દ્વારા CPR આપીને યુવકને ભાનમાં લાવી જિલ્લા ટ્રાફિકના સરકારી વાહનમાં બેસાડીને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દરરોજ લાખો લોકો આવી રહ્યા છે. પાંચ દિવસમાં 30 લાખથી વધુ ભક્તો ઉમટ્યા છે. તો મંદિરને 4 કરોડ 10 લાખની આવક થઈ છે. 27 સપ્ટેમ્બરના મેળાના પાંચમા દિવસે 1 લાખ 1 હજાર ભક્તો ઉમટ્યા હતા. તો 68 હજાર 959 ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો છે. તો 3 લાખ 24 હજારથી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે 40 લાખ 86 હજાર 272 રૂપિયાની ભંડાર, ગાદી ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક થઈ છે.તો 83 લાખ 37 હજારથી વધુની કિંમતના પ્રસાદની આવક મળી કુલ 65 લાખ 97 હજાર 818 રૂપિયાની આવક નોંધાઇ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)