શોધખોળ કરો

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતાં નદીમાં પૂર જેવી સ્થિતિ, કેટલા ગામનો કરાયા એલર્ટ? જાણો

Gujarat Rains: નર્મદા નદીમાં પાણી છોડાતાં ભરૂચ, નર્મદા અને વડોદરાના 52 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વડોદરા અને ભરૂચમાં NDRFની એક-એક ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે.

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ઉપરવાસમાંથી ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીમાં પાણી છોડાતાં ભરૂચ, નર્મદા અને વડોદરાના 52 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વડોદરા અને ભરૂચમાં NDRFની એક-એક ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 131.04 મીટર પર પહોંચી છે. જ્યારે હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભરૂચ પાસે નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટે પહોંચ્યું છે. જેને કારણે નદીકાંઠાના 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 9.27 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નર્મદા ડેમમાં પાણી છોડાતાં સૌથી વધુ અસર ભરૂચ જિલ્લામાં જોવા મળશે. ઓમકારેશ્વર ડેમમાંથી પાંચ લાખ ક્યૂસેક પાણી છોડાતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી ત્રણ લાખથી વધારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. રિવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી એક હજાર મેગાવોટ વીજળી પણ ઉતપન્ન થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જ્યારે 8,13,599 ક્યુકેસ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલતાં નદી કાંઠા અને જિલ્લાના 21 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમ નજીકના ગરૂડેસ્વર તાલુકાના ગભણા, કેવડિયા અને વસંતપુરા આમ 3 ગામમાંથી 10 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતાં નર્મદા નદીમાં છોડવામાં આવતાં પાણીમાં વધારો કરવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget