શોધખોળ કરો

આ દવાથી કોરોનાના દર્દી માત્ર 10 દિવસમાં સાજા થઈ જાય છે, એક ડોઝની કિંમત 59,300 રૂપિયા

કોરોનાનો ચેપ લાગ્યાના દસ દિવસમાં જ દર્દીને કોરોનાની અસરમાંથી મુક્ત કરી દેતી હોવાનું જોવા મળ્યું છે.

અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાા દર્દીઓને સાજા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મોનોક્લોનોલ એન્ટીબોડી કોકટેલ જુન મહિનાના પ્રથમ પખવાડિયામાં સમગ્ર ગુજરાત સહિત ભારતમાં ઉપલબ્ધ થશે. મોનોક્લોનોલ એન્ટીબોડિઝ કોકટેલ શરીરમાં એન્ટીબોડિઝ જનરેટ કરે છે. આ એન્ટીબોડી કોરોનાના વાયરસનો પ્રતિકાર કરે છે.

કોરોનાનો ચેપ લાગ્યાના દસ દિવસમાં જ દર્દીને કોરોનાની અસરમાંથી મુક્ત કરી દેતી હોવાનું જોવા મળ્યું છે. ભારતમાં સિપ્લા અને રોશ કંપનીએ આ દવા લોંચ કરી છે. મધ્યમથી માંડીને થોડા તિવ્ર કોરોનાના ચેપના દર્દીને આ ઈંજેક્શન આપવામાં આવે છે. તેના એક ડોઝની કિંમત 59 હજાર 300 રૂપિયાની આસપાસ છે. એકથી વધુ ડોઝનું પેકેટ એક લાખ 19 હજારમાં મળી શકે છે. તેનાથી બે દર્દીઓને સારવાર આપી શકાય છે.

જુનના પ્રથમ અઠવાડિયાથી ગુજરાતના સહિત દેશના દરેક રાજ્યમાં આ ઈંજેક્શન મળતુ થઈ જશે. જો માત્ર સરકાર જ તેના વિતરણની જવાબદારી લેશે તો સરકારી પ્રશાસન મારફતે આ ઈંજેક્શન દર્દીઓને મળી શકશે. મોનોક્લોનોલ એન્ટી બોડિઝ કોકટેલના સારા પરિણામો અમેરિકા અને યુરોપના દેશોમાં જોવા મળ્યા છે.

વડોદરા અને રાજકોટમાં પણ ત્રણેક દર્દીઓને આ દવા આપીને સાજા કરવામાં આવ્યા છે. હવે તમામ દર્દીઓ માટે આ ઈંજેક્શન ઉપયોગમાં લેવામાં આવશે. મોનોક્લોનોલ એન્ટીબોડિઝ માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિની રોગના વિષાણુઓ સામે લડવાની ક્ષમતાનું અનુકરણ કરીને વાયરસનો સામનો કરી શકે છે.

વાયરસ ઉપરાંત અન્ય નુકસાનકારક બેક્ટેરિયાનો પણ તે પ્રતિકાર કરી શકે છે. કોસિરવિમેબ અને ઈમ્ડેવિમેબ નામના કેમિકલ્સથી બનેલ આ ઈંજેક્શન દર્દીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીરા કોશમાં કોરોના વાયરસ પ્રવેશ થતા અટકાવી દે છે.

નોંધનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ એન્ટિબોડી કોકટેલ આપવામાં આવી હતી. કોરોનાનો ચેપ લાગ્યાના પહેલા સાત દિવસમાં મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેઈલ આપવામાં આવે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતી નથી. આ દવા આપવાથી 80 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવાની ફરજ પડતી નથી.

કાસિરવિમેબ અને ઇમ્ડેવિમેબ નામના કેમિકલ્સથી બનેલી દવા દર્દીના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીરમાંના કોશમાં કોરોનાના વાઈરસને એન્ટર થતાં અટકાવી દે છે. કોરોનાના વાઈરસ સામે તથા બીજા વેવમાં જોવા મળેલા વાઈરસ બી 1.617 સામે પણ આ દવા ખાસ્સી અસરકારક હોવાનું પ્રસ્થાપિત થઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget