શોધખોળ કરો

શબ્દશિલ્પી સાહિત્યકાર ધીરુબેનનું નિધન, પહેલી ગુજરાતી ફિલ્મને ઓસ્કારમાં નોમિનેશનનું અપાવ્યું ગૌરવ

1981માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને 2002માં સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

મુંબઇ:લોકપ્રિય સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક ધીરુબેન પટેલનું અવસાન થયું છે. . 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.તેમની લેખનીના કારણે ગુજરાતી ફિલ્મને ઓસ્કાર નોમિનેશનના મળ્યું હતું સ્થાન ઉલ્લેખનિય છે કે, ફિલ્મ સર્જક કેતન મહેતાએ ધીરુબેન પટેલની વાર્તા પરથી `ભવની ભવાઈ` ફિલ્મ બનાવી હતી, જેની વિશ્વ સ્તર પર પ્રશંસા કરવામાં આવી હતી. ધીરુબેન પટેલને વર્ષ 1980માં રણજિતકામ સુર્વણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1981માં તેમને મુન્સી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા અને 2002માં તેમને સાહિત્ય પુરસ્કાર મેળવ્યો હતો

તેમની લોકપ્રિય કૃતિઓની વાત કરીએ તો ‘અધૂરો કોલ’,‘વિશ્રંભકથા’અને ‘એક લહર’એમના જાણીતા વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ‘મયંકની મા’ ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’,  જેવી વાર્તાઓ સફળ છે. એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ માં સર્જનશક્તિનો ઉન્મેષ છે. 

વડોદરામાં જન્મેલા ધીરુબેન  પટેલની અનેક રચનાઓથી  ગુજરાતી સાહિત્યને ઉર્જાવાન પ્રાણવાન બનાવ્યું છે.  જરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, બાળસાહિત્ય, કાવ્ય અને હાસ્યકથાઓના રૂપમાં મૂલ્યવાન કૃતિઓ આપી છે. ધીરુબેન પટેલની વાર્તાઓ પરથી ફિલ્મો પણ બની છે. 

'સુધા' સાપ્તાહિકનાં તંત્રી પદે પણ સેવા આપી હતી

ધીરુબેન પટેલનું  અનેક સાહિત્યાના સ્વરૂપમાં ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે. નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક તરીકે નોધપાત્ર કામગીરી રહી છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમા થયું હતું. તેમજ ઉચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મેળવ્યુ હતુ. વર્ષ 1945માં અંગ્રેજી વિષય સાથે બી.એ. પાસ કર્યુ. અને 1947માં એમ.એ. પુર્ણ કર્યુ. તે બાદ 1949 થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી 1963-1964માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે સેવા આપી તેમણે  1975 સુધી 'સુધા' સાપ્તાહિકનાં તંત્રીપદે રહ્યા હતા. અને 1980માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 

લોકપ્રિય સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક ધીરુબેન પટેલનું અવસાન થયું છે. . 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.તેમની લેખનીના કારણે ગુજરાતી ફિલ્મને ઓસ્કાર નોમિનેશનના મળ્યું હતું સ્થાન ઉલ્લેખનિય છે કે, ફિલ્મ સર્જક કેતન મહેતાએ ધીરુબેન પટેલની વાર્તા પરથી `ભવની ભવાઈ` ફિલ્મ બનાવી હતી, જેની વિશ્વ સ્તર પર પ્રશંસા કરવામાં આવી હતી. ધીરુબેન પટેલને વર્ષ 1980માં રણજિતકામ સુર્વણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1981માં તેમને મુન્સી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા અને 2002માં તેમને સાહિત્ય પુરસ્કાર મેળવ્યો હતો

તેમની લોકપ્રિય કૃતિઓની વાત કરીએ તો ‘અધૂરો કોલ’,‘વિશ્રંભકથા’અને ‘એક લહર’એમના જાણીતા વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ‘મયંકની મા’ ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’,  જેવી વાર્તાઓ સફળ છે. એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ માં સર્જનશક્તિનો ઉન્મેષ છે. 

વડોદરામાં જન્મેલા ધીરુબેન  પટેલની અનેક રચનાઓથી  ગુજરાતી સાહિત્યને ઉર્જાવાન પ્રાણવાન બનાવ્યું છે.  જરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, બાળસાહિત્ય, કાવ્ય અને હાસ્યકથાઓના રૂપમાં મૂલ્યવાન કૃતિઓ આપી છે. ધીરુબેન પટેલની વાર્તાઓ પરથી ફિલ્મો પણ બની છે. 

'સુધા' સાપ્તાહિકનાં તંત્રી પદે પણ સેવા આપી હતી

ધીરુબેન પટેલનું  અનેક સાહિત્યાના સ્વરૂપમાં ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે. નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક તરીકે નોધપાત્ર કામગીરી રહી છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમા થયું હતું. તેમજ ઉચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મેળવ્યુ હતુ. વર્ષ 1945માં અંગ્રેજી વિષય સાથે બી.એ. પાસ કર્યુ. અને 1947માં એમ.એ. પુર્ણ કર્યુ. તે બાદ 1949 થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી 1963-1964માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે સેવા આપી તેમણે  1975 સુધી 'સુધા' સાપ્તાહિકનાં તંત્રીપદે રહ્યા હતા. અને 1980માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું
ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું
Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક
Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સસ્તી થઈ મુસાફરી
Hun To Bolish : હું તો બોલીશ : ખનન માફિયાઓના જાસૂસ!
Hun To Bolish : હું તો બોલીશ : આ દૂષણ રોજનું થયું!
Surendranagar Bus Fire : ચોટીલા પાસે પ્રાઇવેટ બસમાં લાગી ભીષણ આગમુસાફરોનું કરાયું રેસ્ક્યૂ
UP Namaz Controversy : 2027ની ચૂંટણી પહેલા યુપીમાં 'નમાઝ' પર સંગ્રામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fuel prices: સામાન્ય જનતાને વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલની કિંમતમા ફરી વધારો
Fuel prices: સામાન્ય જનતાને વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલની કિંમતમા ફરી વધારો
San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત
San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત
IPL 2026 Playoff race: CSK, PBKSથી લઈને KKR સુધી, પ્લેઓફમાં એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે જંગ?
IPL 2026 Playoff race: CSK, PBKSથી લઈને KKR સુધી, પ્લેઓફમાં એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે જંગ?
અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ
અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ
Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા
Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા
આવતીકાલનું હવામાનઃ 19 મેના રોજ 12 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ પડશે! જાણો ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
આવતીકાલનું હવામાનઃ 19 મેના રોજ 12 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ પડશે! જાણો ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? 3 રૂપિયાના વધારા છતાં કંપનીઓને 750 કરોડનું નુકસાન!
પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? 3 રૂપિયાના વધારા છતાં કંપનીઓને 750 કરોડનું નુકસાન!
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત: 13 લોકોના મોતથી આખું રાજ્ય આઘાતમાં
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત: 13 લોકોના મોતથી આખું રાજ્ય આઘાતમાં
Embed widget