શોધખોળ કરો

UPમાં 26 વર્ષ બાદ SP-BSPનું ગઠબંધન, રાયબરેલી-અમેઠીમાં કોંગ્રેસ સામે લોકસભામાં નહીં ઉતારે ઉમેદવાર

લખનઉઃ અયોધ્યા આંદોલન દરમિયાન બીજેપીને રોકવા માટે 1993માં મુલાયમ સિંહ યાદવ અને કાંશીરામે હાથ મિલાવ્યા હતા. જેના 26 વર્ષ બાદ ફરી એકવખત મુલાયમ સિંહના દીકરા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતી ફરી એક વખત સાથે આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી અને તે બાદ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બંને પક્ષોએ ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે ફરી ગઠબંધન કર્યું છે. અખિલેશ અને માયાવતી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું કે, સપા-બસપાની આ પ્રેસ કોન્ફરન્સ પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંનેની ઉંઘ ઉડાવવા માટે થઈ રહી છે. લખનઉ ગેસ્ટ હાઉસ કાંડને ભૂલી જઈ અમે દેશહિતમાં એક થવાનો ફેંસલો લીધો. બસપા અને સપા ગઠબંધનમાં ચૂંટણી લડે તો કેન્દ્રમાં બીજેપીને સત્તામાં આવતી રોકી શકાય છે. આગામી લોકસભા અમે ગઠબંધનમાં લડવાનો નિર્ણય લીધો છે. જે દેશમાં નવી રાજકીય ક્રાંતિનું નેતૃત્વ કરશે. એસપી-બીએસપી ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ નહીં કરવા પર માયાવતીએ કહ્યું, કોંગ્રેસ લાંબા સમય સુધી દેશમાં સત્તામાં નહીં રહે. તેમના કાર્યકાળમાં વધી ગરીબી, ભ્રષ્ટાચાર થયો હતો. કોંગ્રેસે દેશમાં કટોકટી લગાવી. એસપીનો કોંગ્રેસ સાથે કડવો અનુભવ રહ્યો હતો અને ગઠબંધન કરવાથી કોઈ ફાયદો થયો નહોતો. રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસ સામે કોઈ ઉમેદવાર નહીં ઉતારવામાં આવે. માયાવતીએ લોકસભા ચૂંટણીમાં સીટની ફાળવણી અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, યુપીમાં લોકસભાની 80 સીટો પૈકી બીએસપી અને એસપી 38-38 સીટ પર ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે 2 સીટ છોડવામાં આવી છે. અન્ય નાના પક્ષોને બે સીટ આપવામાં આવશે. લોકસભા ચૂંટણી લડવા અંગે માયાવતીએ કહ્યું કે, આ અંગે તમને પછીથી જણાવીશ. સપા-બસપાનું ગઠબંધન સ્થાયી હોવાનું તેણે ઉમેર્યું કે, માત્ર 2019 જ નહીં 2022ની ચૂંટણી પણ અમે સાથે લડીશું. જે બાદ પણ અમે સાથે ચૂંટણી લડીશું. અખિલેશ યાદવે કહ્યું કે,  ભાજપના અહંકારનો વિનાશ કરવા ગઠબંધનની જરૂર હતી. માયાવતીનું અપમાન મારું અપમાન છે.  ભાજપ ભગવાનને પણ જાતિમાં વહેંચવાનું કામ કરી રહ્યું છે. કેન્દ્રની ખોટી નીતિઓના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપીએ ઉત્તર પ્રદેશને જાતિ પ્રદેશ બનાવ્યું. બસપા સુપ્રીમો માયાવતીને વડાપ્રધાન બનાવવાના સવાલ પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશા હંમેશા વડાપ્રધાન આપ્યા છે. હું ઈચ્છીશ કે આવ ખતે પણ યુપીથી વડાપ્રધાન આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget