શોધખોળ કરો

UPમાં 26 વર્ષ બાદ SP-BSPનું ગઠબંધન, રાયબરેલી-અમેઠીમાં કોંગ્રેસ સામે લોકસભામાં નહીં ઉતારે ઉમેદવાર

લખનઉઃ અયોધ્યા આંદોલન દરમિયાન બીજેપીને રોકવા માટે 1993માં મુલાયમ સિંહ યાદવ અને કાંશીરામે હાથ મિલાવ્યા હતા. જેના 26 વર્ષ બાદ ફરી એકવખત મુલાયમ સિંહના દીકરા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતી ફરી એક વખત સાથે આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી અને તે બાદ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બંને પક્ષોએ ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે ફરી ગઠબંધન કર્યું છે. અખિલેશ અને માયાવતી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું કે, સપા-બસપાની આ પ્રેસ કોન્ફરન્સ પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંનેની ઉંઘ ઉડાવવા માટે થઈ રહી છે. લખનઉ ગેસ્ટ હાઉસ કાંડને ભૂલી જઈ અમે દેશહિતમાં એક થવાનો ફેંસલો લીધો. બસપા અને સપા ગઠબંધનમાં ચૂંટણી લડે તો કેન્દ્રમાં બીજેપીને સત્તામાં આવતી રોકી શકાય છે. આગામી લોકસભા અમે ગઠબંધનમાં લડવાનો નિર્ણય લીધો છે. જે દેશમાં નવી રાજકીય ક્રાંતિનું નેતૃત્વ કરશે. એસપી-બીએસપી ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ નહીં કરવા પર માયાવતીએ કહ્યું, કોંગ્રેસ લાંબા સમય સુધી દેશમાં સત્તામાં નહીં રહે. તેમના કાર્યકાળમાં વધી ગરીબી, ભ્રષ્ટાચાર થયો હતો. કોંગ્રેસે દેશમાં કટોકટી લગાવી. એસપીનો કોંગ્રેસ સાથે કડવો અનુભવ રહ્યો હતો અને ગઠબંધન કરવાથી કોઈ ફાયદો થયો નહોતો. રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસ સામે કોઈ ઉમેદવાર નહીં ઉતારવામાં આવે. માયાવતીએ લોકસભા ચૂંટણીમાં સીટની ફાળવણી અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, યુપીમાં લોકસભાની 80 સીટો પૈકી બીએસપી અને એસપી 38-38 સીટ પર ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે 2 સીટ છોડવામાં આવી છે. અન્ય નાના પક્ષોને બે સીટ આપવામાં આવશે.
લોકસભા ચૂંટણી લડવા અંગે માયાવતીએ કહ્યું કે, આ અંગે તમને પછીથી જણાવીશ. સપા-બસપાનું ગઠબંધન સ્થાયી હોવાનું તેણે ઉમેર્યું કે, માત્ર 2019 જ નહીં 2022ની ચૂંટણી પણ અમે સાથે લડીશું. જે બાદ પણ અમે સાથે ચૂંટણી લડીશું. અખિલેશ યાદવે કહ્યું કે,  ભાજપના અહંકારનો વિનાશ કરવા ગઠબંધનની જરૂર હતી. માયાવતીનું અપમાન મારું અપમાન છે.  ભાજપ ભગવાનને પણ જાતિમાં વહેંચવાનું કામ કરી રહ્યું છે. કેન્દ્રની ખોટી નીતિઓના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપીએ ઉત્તર પ્રદેશને જાતિ પ્રદેશ બનાવ્યું. બસપા સુપ્રીમો માયાવતીને વડાપ્રધાન બનાવવાના સવાલ પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશા હંમેશા વડાપ્રધાન આપ્યા છે. હું ઈચ્છીશ કે આવ ખતે પણ યુપીથી વડાપ્રધાન આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
Embed widget