શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

UPમાં 26 વર્ષ બાદ SP-BSPનું ગઠબંધન, રાયબરેલી-અમેઠીમાં કોંગ્રેસ સામે લોકસભામાં નહીં ઉતારે ઉમેદવાર

લખનઉઃ અયોધ્યા આંદોલન દરમિયાન બીજેપીને રોકવા માટે 1993માં મુલાયમ સિંહ યાદવ અને કાંશીરામે હાથ મિલાવ્યા હતા. જેના 26 વર્ષ બાદ ફરી એકવખત મુલાયમ સિંહના દીકરા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતી ફરી એક વખત સાથે આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી અને તે બાદ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બંને પક્ષોએ ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે ફરી ગઠબંધન કર્યું છે. અખિલેશ અને માયાવતી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું કે, સપા-બસપાની આ પ્રેસ કોન્ફરન્સ પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંનેની ઉંઘ ઉડાવવા માટે થઈ રહી છે. લખનઉ ગેસ્ટ હાઉસ કાંડને ભૂલી જઈ અમે દેશહિતમાં એક થવાનો ફેંસલો લીધો. બસપા અને સપા ગઠબંધનમાં ચૂંટણી લડે તો કેન્દ્રમાં બીજેપીને સત્તામાં આવતી રોકી શકાય છે. આગામી લોકસભા અમે ગઠબંધનમાં લડવાનો નિર્ણય લીધો છે. જે દેશમાં નવી રાજકીય ક્રાંતિનું નેતૃત્વ કરશે. એસપી-બીએસપી ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ નહીં કરવા પર માયાવતીએ કહ્યું, કોંગ્રેસ લાંબા સમય સુધી દેશમાં સત્તામાં નહીં રહે. તેમના કાર્યકાળમાં વધી ગરીબી, ભ્રષ્ટાચાર થયો હતો. કોંગ્રેસે દેશમાં કટોકટી લગાવી. એસપીનો કોંગ્રેસ સાથે કડવો અનુભવ રહ્યો હતો અને ગઠબંધન કરવાથી કોઈ ફાયદો થયો નહોતો. રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસ સામે કોઈ ઉમેદવાર નહીં ઉતારવામાં આવે. માયાવતીએ લોકસભા ચૂંટણીમાં સીટની ફાળવણી અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, યુપીમાં લોકસભાની 80 સીટો પૈકી બીએસપી અને એસપી 38-38 સીટ પર ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે 2 સીટ છોડવામાં આવી છે. અન્ય નાના પક્ષોને બે સીટ આપવામાં આવશે. લોકસભા ચૂંટણી લડવા અંગે માયાવતીએ કહ્યું કે, આ અંગે તમને પછીથી જણાવીશ. સપા-બસપાનું ગઠબંધન સ્થાયી હોવાનું તેણે ઉમેર્યું કે, માત્ર 2019 જ નહીં 2022ની ચૂંટણી પણ અમે સાથે લડીશું. જે બાદ પણ અમે સાથે ચૂંટણી લડીશું. અખિલેશ યાદવે કહ્યું કે,  ભાજપના અહંકારનો વિનાશ કરવા ગઠબંધનની જરૂર હતી. માયાવતીનું અપમાન મારું અપમાન છે.  ભાજપ ભગવાનને પણ જાતિમાં વહેંચવાનું કામ કરી રહ્યું છે. કેન્દ્રની ખોટી નીતિઓના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપીએ ઉત્તર પ્રદેશને જાતિ પ્રદેશ બનાવ્યું. બસપા સુપ્રીમો માયાવતીને વડાપ્રધાન બનાવવાના સવાલ પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશા હંમેશા વડાપ્રધાન આપ્યા છે. હું ઈચ્છીશ કે આવ ખતે પણ યુપીથી વડાપ્રધાન આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget