શોધખોળ કરો

આખરે NCPમાં શું ચાલી રહ્યું છે? શરદ પવારે ભત્રીજા અજીતને માન્યા નેતા, કહી આ મોટી વાત

Sharad Pawar On NCP: શરદ પવારે એમ પણ કહ્યું કે એનસીપીમાં કોઈ બ્રેક નથી. તેમણે કહ્યું કે અજિત પવારના નેતૃત્વમાં શિંદે સરકારમાં જોડાવું લોકશાહી હેઠળ થયું છે.

Sharad Pawar On Ajit Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અજિત પવારને પાર્ટીના નેતા માન્યા છે. બારામતીમાં વરિષ્ઠ પવારે કહ્યું કે, તે (અજિત પવાર) અમારા નેતા છે તેમાં કોઈ ફરક નથી, એનસીપીમાં કોઈ વિભાજન નથી.

શરદ પવારે વધુમાં કહ્યું કે, પાર્ટીમાં ભાગલા કેવી રીતે થાય છે? આવું ત્યારે થાય છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે એક મોટું જૂથ પાર્ટીથી અલગ થઈ જાય છે. પરંતુ આજે એનસીપીમાં એવી સ્થિતિ નથી. હા, કેટલાક નેતાઓએ જુદું વલણ અપનાવ્યું પણ તેને ભાગલા ન કહી શકાય. લોકશાહીમાં તેઓ આ કરી શકે છે.

આ વિદ્રોહનું નેતૃત્વ અજિત પવારે કર્યું હતું

ગયા જુલાઈમાં, અજિત પવારના નેતૃત્વ હેઠળ એનસીપીમાં મોટો બળવો થયો હતો, જ્યારે પાર્ટીનો એક વર્ગ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં જોડાયો હતો. અજિત પવાર સહિત પાર્ટીના 9 ધારાસભ્યો શિંદે કેબિનેટનો ભાગ બન્યા. અજિત પવારને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું.

અજિત પવારની સાથે સરકારમાં સામેલ થનારાઓમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વાલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સંજય બંસોડ, અદિતિ તટકરે અને હસન મુશ્રીફનો સમાવેશ થાય છે. તેમાંથી ભુજબળ, ધનંજય મુંડે, હસન મુશરફ જેવા લોકો શરદ પવારના ખૂબ નજીકના ગણાતા હતા.

આ સાથે NCPના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ અજિત પવારના જૂથ સાથે ગયા હતા. પટેલને જુનમાં જ પાર્ટીના સ્થાપના દિવસે સુપ્રિયા સુલે સાથે શરદ પવારે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા.

શરદ પવારે ડુંગળી પર નિકાસ રદ્દ કરવાની માગ કરી

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી છે. જેને લઇ ચર્ચાઓ તેજ બની છે. ખેડૂતો ડુંગળી પર લાદવામાં આવેલી નિકાસ ડ્યુટી દૂર કરવાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી રદ કરવી જોઈએ. આ દરમિયાન તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ખાંડની નિકાસ પર પણ નિયંત્રણો લાદી શકે છે.

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી નાશિક ક્ષેત્રના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે (નાસિકમાં ખેડૂત વિરોધ). ખેડૂતો તેમની ડુંગળીના વાજબી ભાવની માંગ કરી રહ્યા છે. દેશમાંથી ડુંગળીની નિકાસ થાય છે, પરંતુ સરકારે નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદી છે.

પવારે વધુમાં જણાવ્યું હતું કે ડુંગળીના ઉત્પાદકોને કિંમતને ધ્યાનમાં રાખીને વાજબી ભાવ આપવાની જવાબદારી સરકારની છે અને તેની માંગણી કરવી તે ખેડૂતોનો અધિકાર છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget