શોધખોળ કરો
Advertisement
અજિત ડોભાલ ફરીવાર બન્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, કેબિનેટમંત્રીનો મળ્યો દરજ્જો
આગામી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. એક્સટેન્શન સિવાય ડોભાલને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ એનડીએની ગત સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા અજિત ડોભાલ પર વડાપ્રધાન મોદીએ ફરીવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમની ફરીવાર આગામી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. એક્સટેન્શન સિવાય ડોભાલને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાનને જોતા તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એનએસએ તરીકે ડોભાલનું કદ હવે એક કેબિનેટ મંત્રીના સમકક્ષ આવી ગયું છે.
સરકારે એક આદેશમાં ડોભાલની નિમણૂકને લઇને જાણકારી આપી હતી. આદેશમાં કહ્યુ હતું કે કેબિનેટની નિમણૂક સમિતિ ડોભાલને આ પદ પર ફરીવાર નિમણૂક કરવાના સંબંધમાં પોતાની મંજૂરી આપી દીધી છે. આ વ્યવસ્થા 31 મે 2019થી લાગુ ગણાશે. વડાપ્રધાન કાર્યકાળની સાથે સાથે તેમની નિમણૂક પણ સમાપ્ત થઇ જશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ પદ પર નિમણૂક દરમિયાન તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ડોભાલને પ્રથમવાર મે 2014માં રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર બનાવવામાં આવ્યા હતા અને તેમને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion