શોધખોળ કરો

BSPમાં તમામ પદ પરથી હટાવતા આકાશ આનંદે માયાવતીને લઈ કહી આ મોટી વાત

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા છે. બસપા સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે જાણકારી આપી હતી.

નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા છે. બસપા સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને બસપામાં તમામ પદ પરથી હટાવી દિધા છે. હવે આ મામલે આકાશ આનંદે પોતાની પ્રતિક્રિયા આપી છે.  આકાશ આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે બહેનજીનો દરેક નિર્ણય તેના માટે પથ્થર સમાન છે અને તે માયાવતીના દરેક નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે.

આકાશ આનંદે સોશિયલ મીડિયા X પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, હું પરમપૂજ્ય આદરણીય બહેન કુ. માયાવતી જીની કેડર છું, અને તેમના નેતૃત્વમાં મેં ત્યાગ,  વફાદારી અને સમર્પણના અવિસ્મરણીય પાઠ શીખ્યા છે, આ બધા મારા માટે માત્ર એક વિચાર નથી, પરંતુ જીવનનો ઉદેશ્ય છે. આદરણીય બહેનજીનો દરેક નિર્ણય મારા માટે પથ્થરની લકીર સમાન છે, હું તેમના દરેક નિર્ણયનું સન્માન કરું છું અને તે નિર્ણય સાથે ઉભો છું.

આદરણીય બહેન કુ. માયાવતી જી દ્વારા મને પાર્ટીના તમામ પદો પરથી મુક્ત કરવાનો નિર્ણય વ્યક્તિગત રીતે મારા માટે ભાવનાત્મક છે, પરંતુ સાથે એક મોટો પડકાર પણ છે, આ પરીક્ષા અઘરી છે અને લડાઈ લાંબી છે.

આવા કપરા સમયમાં ધીરજ અને દૃઢ નિશ્ચય સાચા સાથી છે. બહુજન મિશન અને આંદોલનના સાચા કાર્યકર તરીકે હું પાર્ટી અને મિશન માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરતો રહીશ અને મારા છેલ્લા શ્વાસ સુધી મારા સમાજના હક્કો માટે લડતો રહીશ.

વિરોધ પક્ષના કેટલાક લોકો વિચારી રહ્યા છે કે પાર્ટીના આ નિર્ણયથી મારી રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે, તેઓએ સમજવું જોઈએ કે બહુજન આંદોલન કોઈ કરિયર નથી પરંતુ કરોડો દલિતો, શોષિત, વંચિતો અને ગરીબોના આત્મ-સમ્માન અને સ્વાભિમાનની લડાઈ છે.

આ એક વિચાર છે, એક આંદોલન છે, જેને દબાવી શકાતું નથી.આ મશાલને પ્રજ્વલિત રાખવા અને તેના માટે સર્વસ્વ બલિદાન આપવા લાખો આકાશ આનંદ હંમેશા તૈયાર છે.

માયાવતીએ ઉત્તરાધિકાર અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી હતી 

માયાવતીએ રાજ્યસભા સાંસદ રામજી ગૌતમની જવાબદારી વધારી દીધી અને હવે તેઓ રાષ્ટ્રીય સંયોજક પણ બનશે. તાજેતરમાં જ માયાવતીએ આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થને દૂર કર્યા હતા. બસપાના વડાએ એક બેઠક દરમિયાન પોતાના ઉત્તરાધિકાર અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે મારા છેલ્લા શ્વાસ સુધી કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.

માયાવતીએ એમ પણ કહ્યું છે કે હવે તેમના ભાઈ આનંદના બાળકો રાજકારણ સાથે સંકળાયેલા પરિવારમાં લગ્ન નહીં કરે. બસપા દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં માયાવતીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે; "માત્ર આ જ નહીં, પરંતુ મેં પોતે પણ હવે નક્કી કર્યું છે કે જ્યાં સુધી હું જીવિત છું અથવા મારા છેલ્લા શ્વાસ સુધી, પાર્ટીમાં મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય." આ નિર્ણયનું પાર્ટીના લોકોએ હૃદયપૂર્વક સ્વાગત કર્યું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Embed widget