શોધખોળ કરો

અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું નાગરિકતા સંશોધન બિલ, મચ્યો હંગામો, શાહ બોલ્યા- અલસંખ્યકોના વિરુદ્ધમાં નથી

કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આનાથી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ બિલ બંધારણની વિરુદ્ધમાં છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરી દીધુ છે, બિલને રજૂ કરતાંની સાથે જ સંસદમાં વિપક્ષોએ હંગામો મચાવવાનુ શરૂ કરી દીધુ હતુ. બિલને રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ અલ્પસંખ્યકોના વિરુદ્ધમાં નથી, તેમને કહ્યું કે તે દરેક સવાલના જવાબ આપવા તૈયાર છે. અમિત શાહે વિપક્ષને કહ્યું કે, તમે વૉકઆઉટ ના કરી દેતા હું દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું. વળી, શિવસેનાએ આ બિલનુ સમર્થન કર્યુ હતુ. કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આનાથી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ બિલ બંધારણની વિરુદ્ધમાં છે. વિપક્ષના સવાલોના જવાબ આપતા અમિત શાહે કહ્યુ કે હું જે બિલનો પ્રસ્તાવ લઇને આવ્યો છું, તેમાં એવુ કંઇજ નથી જે બંધારણના વિરુદ્ધમાં હોય. આ બંધારણની કોઇપણ કલમની વિરુદ્ધ નથી. એવુ પહેલીવાર નથી કે નાગરિકોને લઇને સરકાર કોઇ નિર્ણય કરી રહી હોય. 1971માં ઇન્દિરા ગાંધીએ નિર્ણય કર્યો હતો કે બાંગ્લાદેશથી જેટલા પણ ભાગીને આવેલા લોકો છે તેમને નાગરિકતા આપવામાં આવશે. પાકિસ્તાનમાંથી આવેલા લોકોને કેમ નથી આપી? વિપક્ષની સાથે અસદુદ્દીન ઔવેસીએ પણ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. ઔવેસીએ કહ્યું કે, ધર્મનિરપેક્ષતા બંધારણના પાયા છે. દેશના આવા કાયદાથી બચાવી લો, મુસલમાન પણ આ દેશનો ભાગ છે. શું છે નાગરિકતા સંશોધન બિલમાં.... બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે. બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય. રાજ્યસભામાં પડી શકે છે મુશ્કેલી.... રાજ્યસભામાં હાલમાં સાંસદોની સંખ્યા 239 છે, જો બધા સાંસદો વૉટ કરે તો બહુમતી માટે 120 સાંસદોની જરૂર પડે. બીજેપી પાસે હાલ 81 સાંસદો છે, એટલે બહુમતી માટે 39 વૉટની જરૂર પડી શકે છે. જે બીજેપી માટે મુશ્કેલી સર્જી શકે છે. સરકારની સહયોગી પાર્ટી જેડીયુ પણ આ બિલનો વિરોધ કરી રહી છે, જેના 6 સાંસદો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
Embed widget