શોધખોળ કરો

અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું નાગરિકતા સંશોધન બિલ, મચ્યો હંગામો, શાહ બોલ્યા- અલસંખ્યકોના વિરુદ્ધમાં નથી

કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આનાથી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ બિલ બંધારણની વિરુદ્ધમાં છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરી દીધુ છે, બિલને રજૂ કરતાંની સાથે જ સંસદમાં વિપક્ષોએ હંગામો મચાવવાનુ શરૂ કરી દીધુ હતુ. બિલને રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ અલ્પસંખ્યકોના વિરુદ્ધમાં નથી, તેમને કહ્યું કે તે દરેક સવાલના જવાબ આપવા તૈયાર છે. અમિત શાહે વિપક્ષને કહ્યું કે, તમે વૉકઆઉટ ના કરી દેતા હું દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું. વળી, શિવસેનાએ આ બિલનુ સમર્થન કર્યુ હતુ. કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આનાથી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ બિલ બંધારણની વિરુદ્ધમાં છે. વિપક્ષના સવાલોના જવાબ આપતા અમિત શાહે કહ્યુ કે હું જે બિલનો પ્રસ્તાવ લઇને આવ્યો છું, તેમાં એવુ કંઇજ નથી જે બંધારણના વિરુદ્ધમાં હોય. આ બંધારણની કોઇપણ કલમની વિરુદ્ધ નથી. એવુ પહેલીવાર નથી કે નાગરિકોને લઇને સરકાર કોઇ નિર્ણય કરી રહી હોય. 1971માં ઇન્દિરા ગાંધીએ નિર્ણય કર્યો હતો કે બાંગ્લાદેશથી જેટલા પણ ભાગીને આવેલા લોકો છે તેમને નાગરિકતા આપવામાં આવશે. પાકિસ્તાનમાંથી આવેલા લોકોને કેમ નથી આપી? વિપક્ષની સાથે અસદુદ્દીન ઔવેસીએ પણ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. ઔવેસીએ કહ્યું કે, ધર્મનિરપેક્ષતા બંધારણના પાયા છે. દેશના આવા કાયદાથી બચાવી લો, મુસલમાન પણ આ દેશનો ભાગ છે. શું છે નાગરિકતા સંશોધન બિલમાં.... બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે. બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય. રાજ્યસભામાં પડી શકે છે મુશ્કેલી.... રાજ્યસભામાં હાલમાં સાંસદોની સંખ્યા 239 છે, જો બધા સાંસદો વૉટ કરે તો બહુમતી માટે 120 સાંસદોની જરૂર પડે. બીજેપી પાસે હાલ 81 સાંસદો છે, એટલે બહુમતી માટે 39 વૉટની જરૂર પડી શકે છે. જે બીજેપી માટે મુશ્કેલી સર્જી શકે છે. સરકારની સહયોગી પાર્ટી જેડીયુ પણ આ બિલનો વિરોધ કરી રહી છે, જેના 6 સાંસદો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટની નોટિસ, SIT પાસે માંગ્યો રિપોર્ટ
રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટની નોટિસ, SIT પાસે માંગ્યો રિપોર્ટ
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Embed widget