શોધખોળ કરો

અમેરિકાથી દેશનિકાલ: અમૃતસરમાં ત્રીજી ફ્લાઈટ ઉતરી, 33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયો પરત ફર્યા

પંજાબ, હરિયાણા અને ગુજરાતના નાગરિકોનો સમાવેશ, પહેલા બે બેચની જેમ વિવાદો અને રાજકીય નિવેદનો

Indians return from America: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની ત્રીજી બેન્ચ આજે (16 ફેબ્રુઆરી) રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી. યુએસ એરફોર્સના C-17A ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા લાવવામાં આવેલા આ બેચમાં કુલ 112 ભારતીયો હતા. આ પહેલાં, શનિવારે રાત્રે 11:30 વાગ્યે, 116 ભારતીયોની બીજી બેચ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. આ સાથે, છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 220 પર પહોંચી ગઈ છે.

આજના ફ્લાઇટમાં પરત ફરેલા 112 ભારતીયોમાંથી 31 પંજાબના, 44 હરિયાણાના, 33 ગુજરાતના, બે ઉત્તર પ્રદેશના અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના એક-એક પ્રવાસીનો સમાવેશ થાય છે. અગાઉની બે બેચની જેમ, આ બેચમાં પણ મહિલાઓ અને બાળકો સિવાયના તમામ પુરુષોને હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર જ તેમના પરિવારજનોને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા અને પાંચ કલાકની ચકાસણી બાદ તમામ લોકોને પોલીસ વાહનોમાં તેમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને કોઈ પણ સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

ઉલ્લેખનીય છે કે, 5 ફેબ્રુઆરીએ પહેલી ફ્લાઈટ 104 ભારતીયોને લઈને અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. તે બેચમાં પણ પુરુષો અને સ્ત્રીઓને બાળકો સિવાય હાથકડી અને બેડીઓ પહેરાવવામાં આવ્યા હતા.

શનિવારે પાછા ફરેલા 116 લોકોમાં પંજાબના સૌથી વધુ 65 લોકો હતા, ત્યારબાદ હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2-2 અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના 1-1 લોકોનો સમાવેશ થતો હતો. મોટા ભાગના યુવાનો 18 થી 30 વર્ષની વય જૂથના છે.

અગાઉની બેચના સમયે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા કે હરિયાણા અને ગુજરાતના સૌથી વધુ લોકો હોવા છતાં ફ્લાઈટને અમદાવાદ કે અંબાલાના બદલે પંજાબમાં કેમ ઉતારવામાં આવી. જો કે, આ વખતે સૌથી વધુ લોકો પંજાબના હોવાથી વિરોધનો સૂર નરમ પડ્યો હતો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શરૂઆતમાં દેશનિકાલ કરાયેલા નાગરિકોનું સ્વાગત કરવા માટે અમૃતસર એરપોર્ટ પહોંચવાના હતા, પરંતુ ફ્લાઇટ મોડી થવાને કારણે તેઓ પાછા ફર્યા હતા. ત્યારબાદ, પંજાબ સરકારના મંત્રીઓ કુલદીપ ધાલીવાલ અને હરભજન ETOએ એરપોર્ટ પર પંજાબના યુવાનોનું સ્વાગત કર્યું હતું. મંત્રી કુલદીપ ધાલીવાલે હરિયાણા સરકારની વ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હરિયાણા સરકારે તેમના નાગરિકો માટે કેદીઓ જેવી બસ મોકલી તે દુઃખદ છે. તેમણે હરિયાણાના પરિવહન મંત્રી અનિલ વિજને ટોણો મારતા કહ્યું કે પંજાબ સરકારે સારી બસોની વ્યવસ્થા કરી છે, જ્યારે હરિયાણાના એક પણ મંત્રી કે નેતા તેમના નાગરિકોને લેવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા નહોતા.

આ પણ વાંચો....

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા: અમદાવાદથી સુરત સુધી સર્જાયા ગમખ્વાર અકસ્માતો, અનેક લોકોના જીવ ગયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આગામી 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી, 12 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં આગામી 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. 12 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
Embed widget