શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

અમેરિકાથી દેશનિકાલ: અમૃતસરમાં ત્રીજી ફ્લાઈટ ઉતરી, 33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયો પરત ફર્યા

પંજાબ, હરિયાણા અને ગુજરાતના નાગરિકોનો સમાવેશ, પહેલા બે બેચની જેમ વિવાદો અને રાજકીય નિવેદનો

Indians return from America: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની ત્રીજી બેન્ચ આજે (16 ફેબ્રુઆરી) રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી. યુએસ એરફોર્સના C-17A ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા લાવવામાં આવેલા આ બેચમાં કુલ 112 ભારતીયો હતા. આ પહેલાં, શનિવારે રાત્રે 11:30 વાગ્યે, 116 ભારતીયોની બીજી બેચ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. આ સાથે, છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 220 પર પહોંચી ગઈ છે.

આજના ફ્લાઇટમાં પરત ફરેલા 112 ભારતીયોમાંથી 31 પંજાબના, 44 હરિયાણાના, 33 ગુજરાતના, બે ઉત્તર પ્રદેશના અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના એક-એક પ્રવાસીનો સમાવેશ થાય છે. અગાઉની બે બેચની જેમ, આ બેચમાં પણ મહિલાઓ અને બાળકો સિવાયના તમામ પુરુષોને હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર જ તેમના પરિવારજનોને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા અને પાંચ કલાકની ચકાસણી બાદ તમામ લોકોને પોલીસ વાહનોમાં તેમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને કોઈ પણ સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

ઉલ્લેખનીય છે કે, 5 ફેબ્રુઆરીએ પહેલી ફ્લાઈટ 104 ભારતીયોને લઈને અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. તે બેચમાં પણ પુરુષો અને સ્ત્રીઓને બાળકો સિવાય હાથકડી અને બેડીઓ પહેરાવવામાં આવ્યા હતા.

શનિવારે પાછા ફરેલા 116 લોકોમાં પંજાબના સૌથી વધુ 65 લોકો હતા, ત્યારબાદ હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2-2 અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના 1-1 લોકોનો સમાવેશ થતો હતો. મોટા ભાગના યુવાનો 18 થી 30 વર્ષની વય જૂથના છે.

અગાઉની બેચના સમયે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા કે હરિયાણા અને ગુજરાતના સૌથી વધુ લોકો હોવા છતાં ફ્લાઈટને અમદાવાદ કે અંબાલાના બદલે પંજાબમાં કેમ ઉતારવામાં આવી. જો કે, આ વખતે સૌથી વધુ લોકો પંજાબના હોવાથી વિરોધનો સૂર નરમ પડ્યો હતો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શરૂઆતમાં દેશનિકાલ કરાયેલા નાગરિકોનું સ્વાગત કરવા માટે અમૃતસર એરપોર્ટ પહોંચવાના હતા, પરંતુ ફ્લાઇટ મોડી થવાને કારણે તેઓ પાછા ફર્યા હતા. ત્યારબાદ, પંજાબ સરકારના મંત્રીઓ કુલદીપ ધાલીવાલ અને હરભજન ETOએ એરપોર્ટ પર પંજાબના યુવાનોનું સ્વાગત કર્યું હતું. મંત્રી કુલદીપ ધાલીવાલે હરિયાણા સરકારની વ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હરિયાણા સરકારે તેમના નાગરિકો માટે કેદીઓ જેવી બસ મોકલી તે દુઃખદ છે. તેમણે હરિયાણાના પરિવહન મંત્રી અનિલ વિજને ટોણો મારતા કહ્યું કે પંજાબ સરકારે સારી બસોની વ્યવસ્થા કરી છે, જ્યારે હરિયાણાના એક પણ મંત્રી કે નેતા તેમના નાગરિકોને લેવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા નહોતા.

આ પણ વાંચો....

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા: અમદાવાદથી સુરત સુધી સર્જાયા ગમખ્વાર અકસ્માતો, અનેક લોકોના જીવ ગયા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget