શોધખોળ કરો

Andhra Pradesh Explosion: આંધ્રપ્રદેશમાં દવા ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 લોકોના મોત, 40 અન્ય ઇજાગ્રસ્ત

Andhra Pradesh Explosion: દુર્ઘટના સમયે યુનિટમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Andhra Pradesh Explosion: આંધ્રપ્રદેશના અનકાપલ્લી જિલ્લામાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે યુનિટમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અચ્યુતપુરમ ફાર્મા કંપની અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

બુધવારની દુર્ઘટના અંગે અનકાપલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણને જણાવ્યું હતું કે, જિલ્લાના અચુટાપુરમ સ્થિત એસેન્શિયા એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં બપોરે 2:15 વાગ્યે આગ લાગી હતી. ફેક્ટરીમાં બે શિફ્ટમાં 381 કર્મચારીઓ કામ કરે છે. આ વિસ્ફોટ લંચ સમયે થયો હતો. તેથી સ્ટાફની હાજરી ઓછી હતી.

સીએમ ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે

તેમણે કહ્યું કે વિસ્ફોટ ઇલેક્ટ્રિકલ સંબંધિત હોવાની આશંકા છે. 40 ઘાયલ લોકોને અનકાપલ્લે અને અચુટાપુરમની અનેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગ છ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.  લાગેલું છે. દરમિયાન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કંપનીમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. માહિતી આપતા, રાજ્યના જનસંપર્ક વિભાગે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આવતીકાલે અનકાપલ્લી જિલ્લાના અચુટાપુરમની  મુલાકાત લેશે અને ફાર્મા કંપની અકસ્માતમાં મૃતકો અને ઘાયલોના પરિવારોને મળશે. સીએમ નાયડુ અકસ્માત સ્થળનું પણ નિરીક્ષણ કરશે.

એસેન્શિયા એડવાન્સ્ડ સાયન્સે 2019માં ઉત્પાદન શરૂ કર્યું

Essentia Advanced Sciences એ એપ્રિલ 2019માં 200 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઉત્પાદન શરૂ કર્યું. તે આંધ્રપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (APIIC) ના મલ્ટી-પ્રોડક્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં 40-એકર કેમ્પસમાં સ્થિત છે. ગયા વર્ષે અનકાપલ્લી જિલ્લામાં સાહિતી ફાર્માના એક યુનિટમાં સોલવન્ટ રિએક્ટરમાં સમાન વિસ્ફોટમાં બે લોકો માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે
Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે
Gandhinagar: PM મોદીના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાત સરકારે બનાવ્યો અનોખો પ્લાન,જાણો વિગતે
Gandhinagar: PM મોદીના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાત સરકારે બનાવ્યો અનોખો પ્લાન,જાણો વિગતે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે
Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે
Gandhinagar: PM મોદીના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાત સરકારે બનાવ્યો અનોખો પ્લાન,જાણો વિગતે
Gandhinagar: PM મોદીના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાત સરકારે બનાવ્યો અનોખો પ્લાન,જાણો વિગતે
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ
Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ
Weight Loss: વજન ઘટાડવા બાળકોને આપી રહ્યા છો દવાઓ? જાણો કેટલી છે નુકસાનકારક?
Weight Loss: વજન ઘટાડવા બાળકોને આપી રહ્યા છો દવાઓ? જાણો કેટલી છે નુકસાનકારક?
Embed widget