શોધખોળ કરો

Arvind Kejriwal CBI Summons: CM અરવિંદ કેજરીવાલની આજે પૂછપરછ કરશે CBI, દિલ્હી પોલીસે 1000 જવાનો તૈનાત કર્યા

શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના સીએમએ કહ્યું હતું કે દારૂનું કોઈ કૌભાંડ નથી

આમ આદમી પાર્ટીના વડા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે સીબીઆઇ પૂછપરછ કરશે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દારૂ કૌભાંડ કેસમાં સમન્સ જાહેર કર્યું છે અને સવારે 11 વાગ્યે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ દરમિયાન દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના 1000થી વધુ જવાનો સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર તૈનાત રહેશે જેથી કરીને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકાય.

મળતી માહિતી મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હી સરકારમાં પાર્ટીના તમામ વરિષ્ઠ મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સાંસદો પણ દિલ્હીના મુખ્યમંત્રીની સાથે સીબીઆઈ હેડક્વાર્ટર જશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં છે. તેને કોર્ટમાંથી જામીન મળી શક્યા નથી.

શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દારૂનું કોઈ કૌભાંડ નથી. કેન્દ્રીય તપાસ એજન્સી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને કસ્ટડીમાં ટોર્ચર કરીને અને કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરીને તેમને ફસાવી રહી છે. થોડા દિવસ પહેલા EDએ કોર્ટને કહ્યું હતું કે મનીષ સિસોદિયાએ 10 ફોન નષ્ટ કર્યા છે. હવે એજન્સીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં લખ્યું છે કે ED દ્વારા 5 ફોન જપ્ત કરવામાં આવ્યા છે. સીએમએ કહ્યું કે હવે તેઓ કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા બદલ ED વિરુદ્ધ કેસ દાખલ કરશે.

આ મામલે રાજનીતિ પણ થઈ રહી છે. ભાજપ-કોંગ્રેસ AAP નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે 'શરૂઆતથી જ આમ આદમી પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારના મામલામાં સંડોવાયેલા છે. સીએમ કેજરીવાલ આમાં સંપૂર્ણ રીતે માસ્ટર માઈન્ડની ભૂમિકા ભજવી રહ્યા હતા, તેથી તેમની ધરપકડ થવી જોઈએ. બીજી તરફ બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું, 'અરવિંદ કેજરીવાલ જી, કાલે તમારી પૂછપરછ થશે. CBIએ સમન્સ પાઠવ્યું છે. પણ મારી પાસે એક સૂચન છે કે એવા ઘણા નેતાઓની મોટી ફાઈલો હતી જેમના ભ્રષ્ટાચારના કાગળો લઈને તમે ફરતા હતા. તમારે આવતીકાલે તે ફાઇલો લઇને જવું જોઇએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget