શોધખોળ કરો

'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ

Arvind Kejriwal News:આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે

Arvind Kejriwal News: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે. અરવિંદ કેજરીવાલ સીએમ આવાસ છોડશે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે બુધવારે (18 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ 15 દિવસમાં સરકારી આવાસ ખાલી કરશે."

તેમણે કહ્યું હતું કે , "મુખ્યમંત્રી તરીકે વ્યક્તિને ઘણી સુવિધાઓ મળે છે અને કેજરીવાલને પણ મળી છે." ગઈકાલે રાજીનામું આપ્યા બાદ પહેલા તેમણે કહ્યું કે અમે તમામ સુવિધાઓ છોડી દઈશું. તેમની સુરક્ષા પર પણ સવાલ છે. તેમના પર હુમલાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાજપના લોકોએ હુમલા કર્યા હતા. શારીરિક ઈજા થઈ છે. અમને તેમના પરિવારની ચિંતા છે.

સુરક્ષાની ચિંતા- સંજય સિંહ

સંજય સિંહે કહ્યું, "અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કેજરીવાલે કહ્યું કે હું જેલમાં રહ્યો છું, ભયંકર ગુનેગારોની વચ્ચે ભગવાન મારી રક્ષા કરશે." સામાન્ય લોકોની વચ્ચે રહેશે. અમે ક્યાં રહીશું એ હજુ નક્કી નથી. પરંતુ નવું આવાસ ટૂંક સમયમાં મળી જશે.

મંગળવારે જ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જ્યારે કોઈ પણ નેતા મુખ્યમંત્રી રહેતા નથી ત્યારે તેમને પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે પૂરતો સમય આપવામાં આવે છે. જે વધુમાં વધુ ત્રણ મહિના સુધી હોઈ શકે છે.

સરકારી આવાસના રિનોવેશનને લઇને વિવાદ

હાલમાં અરવિંદ કેજરીવાલ જે સરકારી મકાનમાં રહે છે તે સિવિલ લાઇન્સના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલું છે. અરવિંદ કેજરીવાલ તેના રિનોવેશન પરના ખર્ચને લઈને ભાજપના નિશાના પર આવ્યા હતા. આને મુદ્દો બનાવીને ભાજપે દિલ્હી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. જે બાદ એલજીએ એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી હતી.

ડિસેમ્બર 2013માં જ્યારે અરવિંદ કેજરીવાલ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. આ પછી મુખ્યમંત્રી તરીકે તેઓ દિલ્હીના તિલક લેન સ્થિત ઘરમાં રહેવા લાગ્યા. આ પછી જ્યારે ફેબ્રુઆરી 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે તે ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના કારણે અરવિંદ કેજરીવાલ સરકારી આવાસ મેળવવાના હકદાર છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તેમનું નવું લોકેશન ક્યાં હશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર
Indian Railways: ટ્રેનમાં વેઇટિંગ ટિકિટનો ખેલ થશે ખતમ? રેલવે 1 જૂનથી કરવા જઈ રહ્યું છે મોટો બદલાવ!
Indian Railways: ટ્રેનમાં વેઇટિંગ ટિકિટનો ખેલ થશે ખતમ? રેલવે 1 જૂનથી કરવા જઈ રહ્યું છે મોટો બદલાવ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આપણી ઈમ્પેક્ટ
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
AC ખરીદતી વખતે રૂમની સાઈઝનું રાખો ખાસ ધ્યાન, જાણો તમારા રુમ માટે કેટલા ટનનું એસી લેવું જોઈએ
AC ખરીદતી વખતે રૂમની સાઈઝનું રાખો ખાસ ધ્યાન, જાણો તમારા રુમ માટે કેટલા ટનનું એસી લેવું જોઈએ
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
Embed widget