શોધખોળ કરો

24 કલાકમાં બિશ્નોઈ ગેંગને ખતમ કરવાનો ખુલ્લો પડકાર કોણે આપ્યો! BJP ના પૂર્વ સાંસદે કહ્યું - સલમાન માફી માંગી લે

Baba Siddiqui Murder: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યાથી સનસનાટી ફેલાઈ ગઈ છે. આ દરમિયાન કથિત રીતે લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી આ હત્યાકાંડની જવાબદારી લેવામાં આવી છે.

Baba Siddiqui Murder Latest Update: મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ આખા દેશની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. આ હત્યાકાંડ બાદ લૉરેન્સ બિશ્નોઈ ગેંગના એક કથિત સભ્યની એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લેવામાં આવી છે.

આ પોસ્ટના વાયરલ થયા બાદ ઘણા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. લૉરેન્સ બિશ્નોઈને પૂર્ણિયા સાંસદ પપ્પુ યાદવે ખુલ્લો પડકાર આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ લૉરેન્સ બિશ્નોઈના આખા નેટવર્કને ખતમ કરી શકે છે.

ગુનેગારના આખા નેટવર્કને ખતમ કરી દઈશ

લૉરેન્સ બિશ્નોઈ ગેંગ વિશે JAP સુપ્રીમો અને પૂર્ણિયા સાંસદ પપ્પુ યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "એક ગુનેગાર જેલમાં બેસીને પડકાર આપે છે, લોકોને મારી રહ્યો છે. બધા મૂકદર્શક બન્યા છે, ક્યારેક મૂસેવાલા, ક્યારેક કરણી સેનાના મુખિયા, હવે એક ઉદ્યોગપતિ રાજનેતાને મરાવી નાખ્યો, કાયદો મંજૂરી આપે તો 24 કલાકમાં આ લૉરેન્સ બિશ્નોઈ જેવા બે ટકાના ગુનેગારના આખા નેટવર્કને ખતમ કરી દઈશ.

અરવિંદ કેજરીવાલે પણ સાધ્યું નિશાન

બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "મુંબઈમાં NCPના એક નેતાની જાહેરમાં હત્યાથી માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ આખા દેશના લોકો ડરી ગયા છે. તે લોકો દિલ્હીમાં પણ લગભગ આવો જ માહોલ બનાવી દીધો છે. તે લોકો આખા દેશમાં ગેંગસ્ટર રાજ લાવવા માંગે છે. હવે જનતાએ તેમની વિરુદ્ધ એકજૂટ થઈને ઊભા રહેવું પડશે."

પ્રિયંકા ચતુર્વેદીએ મુંબઈ પોલીસને જ ઘેરી

આ મામલામાં શિવસેના UBTની નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પોલીસ પર જ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "તે વ્યક્તિ જે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. તે સતત મુંબઈમાં કોન્ટ્રાક્ટ કિલિંગ કરી રહ્યો છે. મુંબઈ પોલીસ આટલી અસહાય નહોતી, કારણ કે એવું લાગે છે કે ગુજરાતની જોડી રાજ્યના CM તરીકે કામ કરી રહી છે."

BJP નેતા હરનાથ સિંહ યાદવે માફી માંગવાની સલાહ આપી

પૂર્વ રાજ્યસભા સાંસદ અને BJP નેતા હરનાથ સિંહ યાદવે સલમાન ખાનને માફી માંગવા કહ્યું છે, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "કાળો હરણ જેને બિશ્નોઈ સમાજ દેવતા માને છે તેની પૂજા કરે છે, તેનો તમે શિકાર કર્યો અને તેને પકાવીને ખાઈ લીધો. જેના કારણે બિશ્નોઈ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી અને તમારા પ્રત્યે બિશ્નોઈ સમાજમાં લાંબા સમયથી આક્રોશ છે. વ્યક્તિથી ભૂલ થઈ જાય છે. તમે મોટા અભિનેતા છો, દેશમાં મોટી સંખ્યામાં લોકો તમને પ્રેમ કરે છે. મારી તમને સદ્પરામર્શ છે કે તમારે બિશ્નોઈ સમાજની લાગણીઓનું સન્માન કરતાં તમારી મોટી ભૂલ માટે બિશ્નોઈ સમાજની માફી માંગવી જોઈએ."

મુંબઈ પોલીસે વાયરલ પોસ્ટ પર જારી કર્યું નિવેદન

મુંબઈ પોલીસને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લૉરેન્સ બિશ્નોઈ ગેંગના એક કથિત સભ્યના નામે એક પોસ્ટ જોવા મળી, જેમાં બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લેવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું, 'અમે સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ જોઈ છે. અમે તેની પ્રામાણિકતાની તપાસ કરી રહ્યા છીએ.'

આ પણ વાંચોઃ

કોંગ્રેસે તૈયારી કરી લીધી, આ 13 બેઠકોના પરિણામો બદલી નાખશે! હરિયાણામાં નાયબ સિંહ સૈનીની મુશ્કેલીઓ વધશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget