શોધખોળ કરો

Bihar : મહાગઠબંધમાં ઉભી ફાડ? ધૂળેટી બાદ બિહારમાં ખેલાશે રાજકીય 'હોળી"?

તો જેડીયુના એક ધારાસભ્યએ આરજેડીના વિજય મંડલને જવાબ આપ્યો હતો. જેડીયુ પ્રમુખ લલન સિંહે આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે, બિહારમાં હજુ વિધાનસભા ચૂંટણી નથી.

RJD and JDU MLA : બિહારમાં મહાગઠબંધનમાં ઓલ ઈઝ નોટ વેલના સંકેતો મળી રહ્યાં છે. આરજેડી અને જેડીયુ વચ્ચેનો વિવાદ ધીમે ધીમે સપાટી પર આવવા લાગ્યો છે. હવે ફરી એકવાર્સ રાજ્યના મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ તેજ થઈ ગઈ છે. આરજેડી ધારાસભ્ય વિજય મંડલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, હોળી પછી તેજસ્વી યાદવ બિહારના સીએમ બનશે. નીતિશ કુમાર પોતે જ તેમને સત્તા સોંપશે. 

તો જેડીયુના એક ધારાસભ્યએ આરજેડીના વિજય મંડલને જવાબ આપ્યો હતો. જેડીયુ પ્રમુખ લલન સિંહે આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે, બિહારમાં હજુ વિધાનસભા ચૂંટણી નથી. એટલા માટે હવે આ નિર્ણય લઈ શકાય તેમ નથી. આ નિર્ણય 2025માં જ લેવામાં આવશે.

તેજસ્વી યાદવના નેતૃત્વ અંગે જેડીયુ પ્રમુખ લલન સિંહે કહ્યું હતું કે, મારા અને નીતિશજીના નિવેદનમાં કોઈ વિરોધાભાસ નથી. નીતિશજીએ કહ્યું છે કે, 2025માં તેજસ્વીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. મતલબ કે ચૂંટણી કોઈપણના નેતૃત્વમાં લડી શકાય છે. પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તેની પસંદગી તો ધારાસભ્યો જ કરે છે. 

લલન સિંહે વધુમાં કહ્યું હતું કે, બિહારમાં હજુ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની નથી. એટલા માટે હવે આ નિર્ણય લઈ શકાય તેમ નથી. આ નિર્ણય 2025માં જ લેવામાં આવશે.

જ્યારે લાલન સિંહને પૂછવામાં આવ્યું કે, શું તેજસ્વી 2025માં બિહારના સીએમ બનશે? જેના પર જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, 2025 આવવામાં હજુ સમય છે. જ્યારે લાલન સિંહને પૂછવામાં આવ્યું કે, 2025માં મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે તેમણે કહ્યું કે, 2025માં મહાગઠબંધનનું નેતૃત્વ કોના હાથમાં રહેશે તે એ સમયે જોવા મળશે. અમે ક્યારેય નથી કહ્યું કે તેજસ્વી મુખ્યમંત્રી બનશે.

નીતીશ કુમારે હાલમાં જ વિધાનમંડળની બેઠકમાં કહ્યું હતું કે, 2025માં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ મહાગઠબંધનનું નેતૃત્વ કરશે. તેમણે મહાગઠબંધનને આગળ લઈ જવાનું છે. આરજેડી પાસે 80 અને નીતીશ કુમાર પાસે 43 ધારાસભ્યો છે. તેના આધારે આરજેડીના નેતાઓ તેજસ્વીને સીએમની ખુરશી પર બેસાડવાની માંગ કરી રહ્યા છે. આરજેડી નેતાઓ સતત માંગ કરી રહ્યા છે કે, નીતિશ કુમારે મુખ્યમંત્રીની ખુરશી તેજસ્વી યાદવને સોંપીને 'દિલ્હી કૂચ' કરવી જોઈએ.

આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે પણ ભૂતકાળમાં કહ્યું હતું કે, 2023માં નીતિશે બિહારની કમાન તેજસ્વી યાદવને સોંપવી જોઈએ અને તેમણે 2024ની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કે, નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, 2025ની બિહાર વિધાનસભાની કમાન તેજસ્વી યાદવના હાથમાં હશે અને ચૂંટણી તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget