શોધખોળ કરો

'સાક્ષીએ સંન્યાસ લઇ લીધો, મે પણ સંન્યાસ લઇ લીધો, વાત ખતમ....' કુસ્તી સંઘ પર એક્શન બાદ ખુલીને બોલ્યા વૃજભૂષણ સિંહ

બીજેપી સાંસદ અને પૂર્વ કુસ્તી સંઘના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહે રવિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા હતા

Brij Bhushan Sharan Singh on WFI Suspension: રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો વિવાદ વકર્યો છે. આજે બીજેપી સાંસદ અને પૂર્વ કુસ્તી સંઘના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહે રવિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. ગોંડામાં કુસ્તી ચેમ્પિયનશિપ યોજવાના સવાલોના જવાબમાં તેણે કહ્યું, 'દરેક ફેડરેશનના લોકોએ હાથ ઊંચા કર્યા છે કે અમે તેને ચલાવી શકીએ નહીં. 15-20 વર્ષના બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે માટે નંદનીનગરમાં આ ટૂર્નામેન્ટ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટ ચાર દિવસમાં યોજાવાની હતી. દેશના 25માંથી 25 ફેડરેશનોએ હાથ ઉંચા કર્યા અને આ ટૂર્નામેન્ટ 31મી ડિસેમ્બર સુધીમાં યોજાવાની હતી.

સરકારને કર્યો આવો આગ્રહ
તેમણે કહ્યું, 'અમારી પાસે નંદિનીનગરમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તમામ ફેડરેશને આ અંગે સંમતિ આપી હતી. તેમ છતાં હું સરકારને વિનંતી કરું છું કે આ ટૂર્નામેન્ટને તેની દેખરેખ હેઠળ લેવામાં આવે. છેલ્લા 12 વર્ષમાં મેં કરેલા કામના આધારે મારું મૂલ્યાંકન કરવામાં આવશે. મેં કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે. હવે આ ચૂંટાયેલા લોકો પોતાનો નિર્ણય લેશે. મારી લોકસભાની ચૂંટણી આવી રહી છે, મારે તેની તૈયારી કરવી પડશે. હવે જે નવું ફેડરેશન આવી રહ્યું છે તે નક્કી કરશે કે તેણે કોર્ટમાં જવું છે કે સરકાર સાથે વાત કરવી છે.

પૉસ્ટરમાં છલકાતુ હતુ અભિમાન 
તેમના ઘરની બહાર લગાવવામાં આવેલા પૉસ્ટરો અને જેપી નડ્ડા સાથેની તેમની મુલાકાતના જવાબમાં વૃજભૂષણ શરણ સિંહે કહ્યું, 'ચૂંટણી આવી રહી છે, હું ગમે ત્યારે કોઈને પણ મળી શકું છું. નડ્ડાજી અમારા નેતા છે, અમે તેમને મળતા રહીશું, પરંતુ કુસ્તીબાજો વિશે કોઈ વાત કરવામાં આવી નથી... મને લાગ્યું કે આ પૉસ્ટર (દબદબા હૈ, દબદબા રહેગા) ઘમંડથી ભરેલું છે, તેથી મેં પૉસ્ટર હટાવી દીધું છે.

નવા ફેડરેશન વિશે વૃજભૂષણ શરણ સિંહે કહ્યું, 'મેં તમને કહ્યું હતું કે મેં 21 ડિસેમ્બરે જ કુસ્તી સાથેના મારા સંબંધો તોડી નાખ્યા છે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સરકારના આદેશથી નવી સંસ્થાની લોકશાહી ઢબે ચૂંટણી કરવામાં આવી છે. હવે નવી સંસ્થાએ નક્કી કરવાનું છે કે શું કરવું અને શું નહીં. હું ઈચ્છું છું કે નવા પદાધિકારીઓ તેમની ઓફિસ પસંદ કરે. સંજયસિંહ ભૂમિહાર છે અને હું ક્ષત્રિય છું, બંને વચ્ચે મિત્રતા હોઈ શકે છે.

કેસરગંજથી ચૂંટણી લડુ, આ છે મારી ઇચ્છા
વૃજભૂષણ શરણ સિંહે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતાં કહ્યું, 'મેં બલરામપુર, ગોંડા અને કૈસરગંજથી ચૂંટણી જીતી છે. મારું ઘર કૈસરગંજમાં છે. મારી ઈચ્છા મારા ઘરેથી ચૂંટણી લડવાની છે, બાકીનો નિર્ણય પાર્ટી કરશે.

યૌન શોષણના આરોપો પર વૃજભૂષણે કહ્યું કે 'તે 11 મહિનાથી આવું કહી રહ્યા છે, જણાવી દઈએ કે, મામલો કોર્ટમાં છે. આમાં સતત રાજનીતિ ચાલી રહી છે, હું 11 મહિનાથી આનો સામનો કરી રહ્યો છું. સાક્ષીએ પણ નિવૃત્તિ લીધી, મે પણ નિવૃત્તિ લીધી, વાત પૂરી થઈ ગઈ... મારી પાસે ઘણું કામ છે. હું મારું કામ કરીશ અને મારી ચૂંટણી જોઈશ.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 3ના મોતPadma Awards 2025 : પદ્મ પુરસ્કારની જાહેરાત , ગુજરાતના કયા કયા મહાનુભાવોને મળશે પદ્મ પુરસ્કાર?Hun To Bolish : હું તો બોલીશ : ટીચર્સનું ટેન્શન અને ટોર્ચર!Hun To Bolish : હું તો બોલીશ : લક્કી નહીં, લૂંટનો ડ્રો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
બેરોજગારોને નોકરી, કામદારોને 5 લાખ રૂપિયા સુધીનો વીમો, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ વચનો આપ્યા
IND vs ENG 2nd T20 Score:  ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
IND vs ENG 2nd T20 Score: ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
Embed widget