શોધખોળ કરો

Unified Pension Scheme: મોદી સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ, નવી પેન્શન સ્કીમ રજૂ કરી

Unified Pension Scheme: નવી પેન્શન યોજનામાં સુધારાની સતત માંગ ઉઠી રહી હતી. આ માટે ડૉ. સોમનાથનની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તૃત રીતે લોકો સાથે ચર્ચા કરી.

Unified Pension Scheme: કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નવી પેન્શન યોજનામાં સુધારાની માંગ પર ધ્યાન આપતાં સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. આનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન, પારિવારિક પેન્શન અને નિશ્ચિત લઘુતમ પેન્શન આપવાનો છે. નવી પેન્શન યોજનામાં સુધારા માટે ડૉ. સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તૃત ચર્ચા બાદ રિપોર્ટ રજૂ કર્યો.

વાસ્તવમાં, આજે શનિવારે (24 ઓગસ્ટ) કેન્દ્રીય કેબિનેટ બ્રીફિંગ વિશે માહિતી આપતાં કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત પણ સામેલ છે. નોકરી બાદ મળતા પેન્શનને ધ્યાનમાં રાખીને આ યોજના લાવવામાં આવી રહી છે.

જૂની પેન્શન યોજનાનો સરકારે વિકલ્પ શોધ્યો

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "વિપક્ષ માત્ર જૂની પેન્શન યોજના (ઓપીએસ)ને લઈને રાજકારણ કરતો રહ્યો છે. વિશ્વભરના દેશોમાં કઈ યોજના છે તેને જોયા બાદ તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ આ કમિટીએ યુનિફાઇડ પેન્શન સ્કીમની ભલામણ કરી. કેબિનેટે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. કર્મચારીઓ તરફથી નિશ્ચિત રકમની માંગ કરવામાં આવી રહી હતી."

તેમણે માહિતી આપતા કહ્યું, "પેન્શનધારકોને 50 ટકા નિશ્ચિત પેન્શન આપવામાં આવશે. નિવૃત્તિ પહેલાંના 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50 ટકા હશે. આ પેન્શન 25 વર્ષની સેવા કર્યા બાદ જ મળશે. એનપીએસની જગ્યાએ હવે સરકાર યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ લાવી રહી છે. સરકારે ઓપીએસનો વિકલ્પ શોધી કાઢ્યો છે."

યુપીએસ શું છે, સમજો

વાસ્તવમાં, સરકારે જે પેન્શન યોજનાની જાહેરાત કરી છે તે 1 એપ્રિલ 2025થી લાગુ થશે. આ અંતર્ગત 10 વર્ષ સુધી સરકારી નોકરી કરનારને 10 હજાર રૂપિયાનું પેન્શન મળશે. 25 વર્ષ નોકરી કરનારને પૂરું પેન્શન આપવામાં આવશે.

જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે, તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુના સમય સુધી મળેલા પેન્શનના 60 ટકા મળશે. જો કોઈ વ્યક્તિ 10 વર્ષ પછી નોકરી છોડી દે છે, તો તેને 10,000 રૂપિયા પેન્શન મળશે.

બધા NPS લોકોને UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ મળશે. આ માટે સરકાર બાકી રકમ ચૂકવશે. 2004થી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ આ લાભ મળશે.

આ પણ વાંચોઃ

હવે એક ક્લિક પર મળશે દેશના દરેક ડૉક્ટરની વિગત, નેશનલ મેડિકલ રજિસ્ટર પોર્ટલ શરૂ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
Embed widget