![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Delhi Riots 2020: દિલ્હીના રમખાણોના કેસમાં AAP નેતા તાહિર હુસૈન અને અન્ય 5 લોકો વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ, કોર્ટે કરી મહત્વની ટિપ્પણી
Delhi Riots 2020: ટ્રાયલ કોર્ટે કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે તાહિર હુસૈન માત્ર રમખાણો ભડકાવવાના કાવતરામાં સામેલ ન હતો, પરંતુ તેની સાથે રમખાણો કરાવવામાં પણ તેની ભૂમિકા હતી.
![Delhi Riots 2020: દિલ્હીના રમખાણોના કેસમાં AAP નેતા તાહિર હુસૈન અને અન્ય 5 લોકો વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ, કોર્ટે કરી મહત્વની ટિપ્પણી Chargesheet file against Aam Aadmi Party leader Tahir Hussain and 5 others in Delhi Riots 2020 Delhi Riots 2020: દિલ્હીના રમખાણોના કેસમાં AAP નેતા તાહિર હુસૈન અને અન્ય 5 લોકો વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ, કોર્ટે કરી મહત્વની ટિપ્પણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/06/adcf5c1ff30c58a022e104bf3666ec75_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Charges Against Tahir Hussain: ફેબ્રુઆરી 2020 માં દિલ્હીના રમખાણોના કેસમાં ટ્રાયલ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય પાંચ સામે ગુનાહિત કાવતરું અને રમખાણો ભડકાવવા સહિત અન્ય કલમોમાં આરોપો ઘડ્યા છે.
રમખાણોમાં તાહિર હુસૈનની ભૂમિકા : કોર્ટ
તાહિર હુસૈન અને અન્યો સામે આરોપો ઘડતી વખતે કોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે તાહિર હુસૈન માત્ર રમખાણો ભડકાવવાના કાવતરામાં સામેલ ન હતો, પરંતુ તેની સાથે રમખાણો કરાવવામાં પણ તેની ભૂમિકા હતી.
કોર્ટે પોતાના આદેશમાં ટિપ્પણી કરતા કહ્યું કે શરૂઆતમાં જે તથ્યો સામે આવ્યા છે તે જોતા એવું લાગે છે કે તાહિર હુસૈને અન્ય સમુદાયના લોકો પર હુમલો કરવાનું સંપૂર્ણ કાવતરું ઘડ્યું હતું અને તેના માટે તાહિર હુસૈનના ઘર પરથી પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે જ અન્ય હથિયારો ગોઠવવામાં આવ્યા હતા.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન ફેબ્રુઆરી 2020માં ખજુરી ખાસમાં રમખાણો દરમિયાન અન્ય સમુદાયના લોકો પર હુમલો કરવા અને હિંસા ફેલાવવાની ઘટનામાં સામેલ હતો.
BJPએ AAP પર કર્યા પ્રહાર
કોર્ટના આ આદેશ બાદ વિપક્ષી પાર્ટી બીજેપી હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ સવાલો પૂછી રહી છે. ભાજપના નેતાઓ સવાલ પૂછી રહ્યા છે કે જ્યારે તાહિર હુસૈન સામે કાર્યવાહી કરવામાં આવી ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને તેને ધાર્મિક રંગ આપી દીધો હતો.
અમાનતુલ્લા ખાને કહ્યું હતું કે તાહિર હુસૈન એક સમુદાયના હોવાથી તેને ફસાવવામાં આવી રહ્યો છે. પરંતુ હવે કોર્ટ દ્વારા તાહિર હુસૈન સામે આરોપો ઘડ્યા બાદ ભાજપના નેતાઓ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે જવાબ માંગી રહ્યા છે કે તેઓ અમાનતુલ્લા ખાન સામે શું કાર્યવાહી કરશે?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)