શોધખોળ કરો
લોકડાઉનઃ સરકાર ગરીબોને ફ્રીમાં ભોજન અને રોકડા રૂપિયા આપેઃ ચિદમ્બરમ
તેમણે કહ્યું, મોટાભાગના લોકો પાસે રોકડની અછત છે અને ફ્રી ભોજન લેવા લાઈન લગાવવી પજે છે.
![લોકડાઉનઃ સરકાર ગરીબોને ફ્રીમાં ભોજન અને રોકડા રૂપિયા આપેઃ ચિદમ્બરમ Chidambaram tweets and urge center to provide cash and free food લોકડાઉનઃ સરકાર ગરીબોને ફ્રીમાં ભોજન અને રોકડા રૂપિયા આપેઃ ચિદમ્બરમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/04195011/p-chidambaram.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરે આજે ટ્વિટ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, આ સંવેદનહીન સરકાર કંઈ નહીં કરે. આજે મોટાભાગના લોકો પાસે રોકડની કમી છે અને તેઓ ફ્રીમાં ભોજન લેવા માટે લાઈનમાં ઊભા રહે છે.
તેમણે કહ્યું, મોટાભાગના લોકો પાસે રોકડની અછત છે અને ફ્રી ભોજન લેવા લાઈન લગાવવી પજે છે. સંવેદનહીન સરકાર મૂંગા મોઢે બધું જોયા કરશે પરંતુ કંઈ નહીં કરે. ચિદમ્બરમે પૂછ્યું, સરકાર તેમને ભૂખમરાથી કેમ નથી બચાવતી અને દરેક ગરીબ પરિવારને રોકડ રૂપિયા આપીને તેમની ગરિમાનું રક્ષણ કેમ નથી કરતી.
ચિદમ્બરમે કહ્યું, સરકાર એફસીઆઈની સાથે 7.7 કરોડ ટન અનાજનો હિસ્સો જેમને જરૂર છે તેવા પરિવારોને કેમ નિઃશુલ્ક નથી આપતી. આ સવાલ આર્થિક અને નૈતિક બંને રીતે છે. જ્યારે રાષ્ટ્ર અસહાય થઈને ઉભું છે ત્યારે નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણ બંને આ સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
ચિદમ્બરમે લોકડાઉન દરમિયાન રોજગારી વિના જેમના માટે જીવનનિર્વાહ મુશ્કેલ બની ગયો છે તેવા ગરીબોને રોકડ સહાય આપવાની માંગ કરી છે. લોકડાઉન લાગુ થયા બાદ દેશના વિવિધ રાજયોની સરહદો પર પોતાના ઘર સુધી પહોંચવાની કવાયતમાં હજારો પ્રવાસી મજૂરો અટવાઈ ગયા છે.
દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15707થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 507 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 12969 એક્ટિવ દર્દીઓ છે જ્યારે 2230 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)