શોધખોળ કરો

Congress : તૂટી રહી છે કોંગ્રેસ, છેલ્લા 8 મહિનામાં 8 મોટા નેતાઓએ છોડી પાર્ટી, 4 તો કેન્દ્રીય મંત્રી હતા

Congress : આઠ મહિનામાં કોંગ્રેસ છોડનારા મોટા નેતાઓમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આરપીએન સિંહ, અશ્વિની કુમાર, સુનીલ જાખડ, હાર્દિક પટેલ, કુલદીપ બિશ્નોઈ અને જયવીર શેરગિલનો સમાવેશ થાય છે.

Congress Leaders Resignation Special Story: છેલ્લા આઠ મહિનામાં આઠ મોટા નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. આમાંથી ચાર નેતાઓ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. આઠ મહિનામાં કોંગ્રેસ છોડનારા મોટા નેતાઓમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આરપીએન સિંહ, અશ્વિની કુમાર, સુનીલ જાખર, હાર્દિક પટેલ, કુલદીપ વિશ્નોઈ અને જયવીર શેરગિલનો સમાવેશ થાય છે.

ગુલામ નબી આઝાદ
કોંગ્રેસમાં મજબૂત લઘુમતી ચહેરો ધરાવતા ગુલામ નબી આઝાદે પહેલા J&K ચૂંટણી પ્રચાર સમિતિમાંથી અને હવે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ છોડવાની પણ જાહેરાત કરી છે, આ સાથે તેમણે કોંગ્રેસનો હાથ છોડ્યો છે. 

ગુલામ નબી આઝાદ 70ના દાયકામાં કોંગ્રેસમાં જોડાયા હતા. 1975માં તેમને જમ્મુ અને કાશ્મીર યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 1980માં તેમને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 1980માં અને 1984 તેઓ મહારાષ્ટ્રના વાશિમમાંથી લોકસભા ચૂંટણી જીત્યા. 1990-1996 સુધી તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ હતા. તેઓ નરસિમ્હા રાવની સરકારમાં મંત્રી હતા.

તેઓ 1996 થી 2006 સુધી જમ્મુ-કાશ્મીરમાંથી રાજ્યસભાના સાંસદ હતા.2005માં ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા. 
મનમોહન સિંહની સરકારમાં ગુલામ નબી આઝાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હતા. 2014માં તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા અને 2015માં તેમને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા.

કપિલ સિબ્બલ
જાણીતા વકીલ કપિલ સિબ્બલે આ વર્ષે કોંગ્રેસ છોડીને સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી લડી હતી,  સમાજવાદી પાર્ટીએ તેમને ટેકો આપ્યો હતો. 16 મેના રોજ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. દિલ્હીનો ચાંદની ચોક તેમનો ચૂંટણીનો ગઢ રહ્યો છે. તેમને મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય વિજ્ઞાન, ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ ટેલિકોમ મંત્રી પણ હતા. 2009માં તેઓ ચાંદની ચોકથી બીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા.

આરપીએન સિંઘ
આરપીએન સિંહ (Ratanjit Pratap Narain Singh)ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસનો મોટો ચહેરો હતા અને રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. UPA  શાસનમાં તેમણે અનેક મંત્રાલયોમાં મંત્રી તરીકે કામ કર્યું હતું. તેઓ મનમોહન સિંહ સરકારમાં 2011 થી 2013 સુધી ભારતના ગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતા. તેઓ પંદરમી લોકસભામાં કુશીનગરથી સાંસદ હતા. 2014 અને 2019ની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. 

સપ્ટેમ્બર 2020માં તેમને ઝારખંડ અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા. 

તેઓ 1996, 2002 અને 2007માં પાદરાનાથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. આરપીએન સિંહના પિતા સીપીએન સિંહ 80ના દાયકામાં ઈન્દિરા ગાંધી સરકારમાં સંરક્ષણ રાજ્ય મંત્રી હતા.

   
અશ્વિની કુમાર
અશ્વિની કુમારે આ વર્ષે 15 ફેબ્રુઆરી 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે ઘણા મંત્રાલયોનું કામ જોયું છે. તેઓ અગાઉ કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન, ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. 

1991માં 37 વર્ષની ઉંમરે તેઓ દેશના સૌથી નાની વયના એડિશનલ સોલિસિટર બન્યા. તેમણે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને તેના વિચાર વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. એક વકીલ તરીકે તેમણે ભોપાલ ગેસ દુર્ઘટના કેસ સહિત ઘણા મહત્વપૂર્ણ કેસ લડ્યા હતા. તેઓ 2002 થી 2016 સુધી રાજ્યસભાના સાંસદ હતા.

સુનિલ જાખડ
સુનીલ કુમાર જાખડ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા. તેઓ 2002 થી 2017 દરમિયાન પંજાબના અબોહર મતવિસ્તારમાંથી ત્રણ વખત ચૂંટાઈ ધારાસભ્ય બન્યા હતા. તેઓ 2012 થી 2017 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. તેઓ 2022 પહેલા પાંચ દાયકા સુધી કોંગ્રેસના નેતા હતા.

મે 2022માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને કહ્યું કે તેમને રાષ્ટ્રવાદને ટેકો આપવો પડશે અને પંજાબમાં એકતા અને ભાઈચારા માટે કામ કરવું પડશે. 2017માં તેમણે પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠકની પેટાચૂંટણી જીતી અને ધારાસભ્ય બન્યા. 

હાર્દિક પટેલ
હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી ગુજરાતના પાટીદાર આંદોલનથી શરૂ થઈ હતી. 2020માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હતા. મે 2022માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જૂન 2022માં તે ભાજપમાં જોડાયા. 

કુલદીપ બિશ્નોઈ
કુલદીપ બિશ્નોઈએ આ મહિને 4 ઓગસ્ટના રોજ હરિયાણાના હિસાર જિલ્લાની આદમપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે છ વર્ષ બાદ કોંગ્રેસ છોડી દીધી હતી. 

તેઓ હરિયાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનવા ઈચ્છતા હતા, પરંતુ એપ્રિલમાં વિપક્ષના નેતા ભૂપેન્દ્ર હુડ્ડાના સમર્થક પૂર્વ ધારાસભ્ય ઉદયભાનને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જે કુલદીપને પસંદ નહોતા.

તેમણે રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો પણ ન મળ્યો.  તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મત ન આપીને અપક્ષ કાર્તિકેય શર્માને પોતાનો મત આપ્યો હતો. આખરે તેઓ ભાજપમાં જોડાયા.

જયવીર શેરગીલ
જયવીર શેરગીલ વ્યવસાયે વકીલ છે. બે દિવસ પહેલા 24 ઓગસ્ટે  તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતાં તેમણે કોંગ્રેસ પર કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં તેમણે કહ્યું કે, "કોંગ્રેસમાં લેવાયેલા નિર્ણયો જનહિત અને દેશ માટે નથી, પરંતુ કેટલાક લોકોના નિહિત હિતોની પૂર્તિ માટે છે."

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.