Congress President Election Live Update: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને મોટા સમાચાર, થરૂરના નામ પર જી-23 જૂથ સહમત નથી, આ નેતા નોંધાવી શકે છે ઉમેદવારી
એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં, પ્રથમ વખત ઓન રેકોર્ડ રાજસ્થાનના સીએમ ગેહલોતે સ્વીકાર્યું છે કે ગાંધી પરિવારે નિર્ણય લીધો છે કે પરિવારની બહારનો કોઈ સભ્ય કોંગ્રેસ પ્રમુખ બનશે.

Background
Congress President Election: કોંગ્રેસમાં પ્રમુખ પદને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. અશોક ગેહલોતના અધ્યક્ષ બનવાની ઘણી ચર્ચા છે, પરંતુ ખુદ ગેહલોત માને છે કે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવું જોઈએ. ગેહલોત આજે રાહુલ ગાંધીની મનાવવાની ઔપચારિકતા કરવા જઈ રહ્યા છે. જોકે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે સહમત થશે, તેવી શક્યતા નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો રાહુલ ગાંધી સહમત નહીં થાય તો શું પ્રિયંકા ગાંધીને મનાવવાનો પ્રયાસ થશે? આ સવાલનો જવાબ અશોક ગેહલોતે આપ્યો છે.
એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં, પ્રથમ વખત ઓન રેકોર્ડ રાજસ્થાનના સીએમ ગેહલોતે સ્વીકાર્યું છે કે ગાંધી પરિવારે નિર્ણય લીધો છે કે પરિવારની બહારનો કોઈ સભ્ય કોંગ્રેસ પ્રમુખ બનશે.
કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ?
ગેહલોત પ્રમુખ પદની રેસમાં સૌથી આગળ હોવાથી ગેહલોતનું પ્રમુખ બનવું લગભગ નિશ્ચિત છે. પ્રથમ વખત, કોંગ્રેસના નેતાએ રેકોર્ડ પર કબૂલ્યું છે કે સોનિયા અને રાહુલે નક્કી કર્યું છે કે ગાંધી પરિવારની બહારના કોઈ સભ્ય જ કોંગ્રેસની બાગડોર સંભાળશે. એબીપી ન્યૂઝના સંવાદદાતા આશિષ સિંહ સાથે ફોન પર વાતચીત દરમિયાન ગેહલોતે આ વાત કહી.
પ્રમુખ પદ અંગે રાહુલ ગાંધીએ આપ્યો આવો જવાબ
કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને પૂછવામાં આવેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, તમને જલ્દી જ ખબર પડી જશે કે શું થવાનું છે. મેં મારું સ્ટેન્ડ પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસના કાર્યકરો સાથે મારો સીધો સંપર્ક છે. મારે મીડિયા દ્વારા કશું કહેવાની જરૂર નથી. જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવારોને શું સૂચન કરશે? આના પર તેમણે કહ્યું, તેમના માટે હું કહેવા માંગુ છું કે તમે એક ઐતિહાસિક પદ લેવાના છો. તે માત્ર સંસ્થાનું સ્થાન નથી. તે એક વિચારધારા છે. જેઓ કોંગ્રેસ અધ્યક્ષ બને છે તેમની પાસે ભારતની વિચારધારા હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આશા છે કે ઉદયપુર ચિંતન શિવિરના ઠરાવ મુજબ "એક વ્યક્તિ એક પદ"નું પાલન કરવામાં આવશે.
ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 24 થી 30 સપ્ટેમ્બર છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 24 થી 30 સપ્ટેમ્બર છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નેતાઓના પ્રયાસો પણ વધતા જોવા મળી રહ્યા છે. પાર્ટીએ એવો પણ સંકેત આપ્યો છે કે રાહુલ ગાંધી ચૂંટણી લડે તેવી શક્યતા નથી.





















