શોધખોળ કરો

Corona Cases: અઠવાડિયામાં ત્રીજી વખત 40 હજારથી ઓછા નોંધાયા કોરોના કેસ, બે દિવસમાં 1100થી વધુ લોકોના મોત

India Coronavirus Cases: છેલ્લા 24 કલાકમાં 39,700 નવા કેસ નોંધાયા હતા અને 43,910 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જય્રે 491 લોકોના મોત થયા હતા

Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે.  રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 39,700 નવા કેસ નોંધાયા હતા અને 43,910 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જય્રે 491 લોકોના મોત થયા હતા. ગઈકાલે 617 લોકોના મોત થયા હતા.  આમ બે દિવસમાં 1108 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

  • કુલ કેસઃ 3,19,34,455
  • એક્ટિવ કેસઃ 4,06,822
  • કુલ રિકવરીઃ 3,10,99,7711
  • કુલ મોતઃ 4,27,862

કેટલા ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 68 લાખ 10 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  જેમાંથી ગઈકાલે જ 55,91,657 લોકોને રસીના ડોઝ અપાયા હતા.

ગુજરાતમાં 887 ગામડામાં 100 ટકા રસીકરણ 

 ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. અત્યાર સુધી ત્રણેક કરોડ થી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.જોકે, શહેરીજનો કરતાં ય ગામડાના લોકોએ લોકજાગૃતિના દર્શન કરાવ્યા છે કેમકે, ગુજરાતમાં 887 ગામડાઓ એવા છે જયાં 100 ટકા રસીકરણ થયુ  છે. આ ગામડાઓમાં તમામ ગ્રામજનોએ રસી લઇ લીધી છે.  ગુજરાતમાં અત્યાર સુધી 3,44, 19,588 લોકોને કોરોનાની રસી અપાઇ છે. હવે લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં રસીકરણને વેગ મળ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં કુલ 887 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે. સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યુ છે કેમકે, આ જિલ્લામાં 86 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે.આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના 59, ભાવનગર જિલ્લાના 56, જામનગર જિલ્લાના 52, અમદાવાદ જિલ્લાના  43, છોટા ઉદેપુર જિલ્લાના 51, વડોદરા જિલ્લાના 37, અરવલ્લી જિલ્લાના 38 ગામડાઓ એવા છે જયાં બધાય લોકોએ રસી લઇ લીધી છે. નોંધનીય છેેકે, સફળ પાંચ વર્ષ પૂર્ણ થતા રૂપાણી સરકારે નવ દિવસ વિવિધ કાર્યક્રમ આયોજિત કર્યા છે જેમાં જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે તે ગામના સરપંચોનુ ય સરકાર વતી સન્માન કરાયુ છે.   જોકે, ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, નર્મદા સહિતના જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં ખૂબ જ પાછળ રહ્યા છે

આ વિસ્તારોમાં લગાવો કડક પ્રતિબંધ

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ  છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
શું સુપ્રીમ કોર્ટે EVM પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? શું છે વાયરલ દાવાની સત્યતા
શું સુપ્રીમ કોર્ટે EVM પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? શું છે વાયરલ દાવાની સત્યતા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad | ‘ભાજપ જ કામ કરી શકે.. કોંગ્રેસે કશું કર્યું નથી કે ના કરી શકશે...’ જાણો જનતાનો મૂડAmit Shah Road Show | કેન્દ્રીયમંત્રી અમિત શાહના રોડ શોને લઈને કેવી છે તૈયારી?,જુઓ વીડિયોમાંRajkot Accident | ટ્રાફિક વિભાગ અને RTOની બેદરકારીનું ઉદાહરણ જુઓ આ વીડિયોમાંRajkot | રાજકોટમાં ભાજપના હોર્ડિંગ્સને લઈને કોણે કરી આચારસંહિતાની ફરિયાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
શું સુપ્રીમ કોર્ટે EVM પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? શું છે વાયરલ દાવાની સત્યતા
શું સુપ્રીમ કોર્ટે EVM પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? શું છે વાયરલ દાવાની સત્યતા
Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, તેનાથી ભારતમાં કામ પર પડશે આ અસર
Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, તેનાથી ભારતમાં કામ પર પડશે આ અસર
Nestle ની આ પ્રોડક્ટ બાળકને ખવડાવતા પહેલા સાવધાન, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Nestle ની આ પ્રોડક્ટ બાળકને ખવડાવતા પહેલા સાવધાન, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
Paytmમાં મોટો ફેરફાર, યુઝર્સે UPIને લઈને કરવું પડશે આ કામ, ફટાફટ પ્રોસેસ શરૂ કરી દો
Paytmમાં મોટો ફેરફાર, યુઝર્સે UPIને લઈને કરવું પડશે આ કામ, ફટાફટ પ્રોસેસ શરૂ કરી દો
Embed widget