શોધખોળ કરો

Corona Wave : તો શું ભારતમાં પણ કોરોના વાયરસની ચોથી લહેર મચાવશે કહેર?

જાન્યુઆરીમાં કોવિડ-19 કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એલર્ટ જાહેર કર્યું છે. હવે દેશમાં પણ કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે.

Covid Fourth Wave : ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7એ ફરી એકવાર ચીન, અમેરિકા અને જાપાનમાં તબાહી મચાવી છે. ધીમે ધીમે કોરોનાનો આ નવો વેરિએન્ટ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. આ ખતરનાક વેરિઅન્ટના કેસ ભારતમાં પણ સામે આવવા લાગ્યા છે. જેને લઈને ભારત સરકાર પહેલેથી જ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જો કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં અત્યાર સુધી કોરોનાને લઈને આવી કોઈ ભયાનક સ્થિતિ ઉભી થઈ નથી. સાથો સાથ દેશમાં કોરોનાની ચોથી લહેરને લઈને પણ ફફડાટ ઉભો થયો છે. 

જાન્યુઆરીમાં કોવિડ-19 કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એલર્ટ જાહેર કર્યું છે. હવે દેશમાં પણ કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે. ભલે આ કેસો નજીવી સંખ્યામાં વધ્યા છે પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે રાજ્યોમાં આ કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે લોકોમાં કોરોનાની ચોથા લહેરને લઈને અટકળો તેજ બની છે. આ દરમિયાન દેશના કોવિડ એક્સપર્ટ દ્વારા કોરોનાના નવા વેરિએન્ટને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી લોકો માટે રાહતરૂપ છે.

અન્ય રાજ્યોમાં કેસ સામાન્ય

દેશના મોટાભાગના અન્ય રાજ્યોમાં કેસની સંખ્યા લગભગ સામાન્ય રહી છે. વર્તમાન સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્રમાં 168 નવા ચેપ નોંધાયા છે. જે ગત ઠવાડિયાની સરખામણીએ કોરોના સંક્રમણના કેસ ઘણા ઓછા છે. ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં 172 કેસ નોંધાયા હતા. ગયા સપ્તાહની સરખામણીએ આ અઠવાડિયે દિલ્હીમાં કોવિડના 81 કેસ સામે આવ્યા છે. ગત અઠવાડિયે તે આંકડો 72 હતો. બીજી તરફ રાજસ્થાનમાં પણ કોવિડના કેસોની સંખ્યામાં ગત સપ્તાહની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. ગયા અઠવાડિયે 81 કેસ હતા જે આ અઠવાડિયે ઘટીને 48 થઈ ગયા છે. જ્યારે દેશના અન્ય તમામ રાજ્યોમાં 50 થી ઓછા નવા કેસ નોંધાયા છે.

શું કહે છે નિષ્ણાતો?

કાનપુર IIT પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ કોરોનાને લઈને તેમના દાવાઓ માટે પ્રખ્યાત છે. તેણે પોતાના ગાણિતિક ફોર્મ્યુલા મોડલથી કોરોનાની પહેલી, બીજી અને ત્રીજી લહેર વિશે જે વાતો કહી હતી તે સાચી સાબિત થઈ હતી. દરમિયાન એબીપી સાથેની વાતચીતમાં પ્રોફેસરે મનિન્દ્ર અગ્રવાલે ચીનમાં કોરોના વાયરસના BF.7 વેરિઅન્ટને લઈને કહ્યું છે કે, ભારતના લોકોએ આ વેરિઅન્ટ સામે લડવા માટે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લીધી છે.

જેના કારણે ભારતમાં લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, હજુ પણ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. પ્રોફેસર અગ્રવાલે એમ પણ જણાવ્યું હતું કે, જુલાઈમાં જ ભારતમાં BF.7 વેરિઅન્ટની શોધ થઈ હતી અને ત્યાર બાદ અહીં કોઈ ખાસ અસર જોવા મળી નથી. ભારતમાં કોવિડ અંગે વાઈરોલોજિસ્ટ ગગનદીપ કાંગના જણાવ્યા અનુસાર, ભારતમાં જે લોકોએ રસી લીધી છે. તેમને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

કોરોના નિષ્ણાતોના આ દાવા ભારતીયો માટે રાહત રૂપ છે. જોકે સાથો સાથ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે, તેને હળવાશથી ન લેવામાં આવે અને સાવધાની સાથે કોવિડ નિયમોનું પાલન કરવું હિતાવહ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું-
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું- "મને ભારતીય હોવાનો ગર્વ, ક્યારેક ક્યારેક..."
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Embed widget