શોધખોળ કરો

Corona Wave : તો શું ભારતમાં પણ કોરોના વાયરસની ચોથી લહેર મચાવશે કહેર?

જાન્યુઆરીમાં કોવિડ-19 કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એલર્ટ જાહેર કર્યું છે. હવે દેશમાં પણ કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે.

Covid Fourth Wave : ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7એ ફરી એકવાર ચીન, અમેરિકા અને જાપાનમાં તબાહી મચાવી છે. ધીમે ધીમે કોરોનાનો આ નવો વેરિએન્ટ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. આ ખતરનાક વેરિઅન્ટના કેસ ભારતમાં પણ સામે આવવા લાગ્યા છે. જેને લઈને ભારત સરકાર પહેલેથી જ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જો કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં અત્યાર સુધી કોરોનાને લઈને આવી કોઈ ભયાનક સ્થિતિ ઉભી થઈ નથી. સાથો સાથ દેશમાં કોરોનાની ચોથી લહેરને લઈને પણ ફફડાટ ઉભો થયો છે. 

જાન્યુઆરીમાં કોવિડ-19 કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એલર્ટ જાહેર કર્યું છે. હવે દેશમાં પણ કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે. ભલે આ કેસો નજીવી સંખ્યામાં વધ્યા છે પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે રાજ્યોમાં આ કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે લોકોમાં કોરોનાની ચોથા લહેરને લઈને અટકળો તેજ બની છે. આ દરમિયાન દેશના કોવિડ એક્સપર્ટ દ્વારા કોરોનાના નવા વેરિએન્ટને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી લોકો માટે રાહતરૂપ છે.

અન્ય રાજ્યોમાં કેસ સામાન્ય

દેશના મોટાભાગના અન્ય રાજ્યોમાં કેસની સંખ્યા લગભગ સામાન્ય રહી છે. વર્તમાન સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્રમાં 168 નવા ચેપ નોંધાયા છે. જે ગત ઠવાડિયાની સરખામણીએ કોરોના સંક્રમણના કેસ ઘણા ઓછા છે. ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં 172 કેસ નોંધાયા હતા. ગયા સપ્તાહની સરખામણીએ આ અઠવાડિયે દિલ્હીમાં કોવિડના 81 કેસ સામે આવ્યા છે. ગત અઠવાડિયે તે આંકડો 72 હતો. બીજી તરફ રાજસ્થાનમાં પણ કોવિડના કેસોની સંખ્યામાં ગત સપ્તાહની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. ગયા અઠવાડિયે 81 કેસ હતા જે આ અઠવાડિયે ઘટીને 48 થઈ ગયા છે. જ્યારે દેશના અન્ય તમામ રાજ્યોમાં 50 થી ઓછા નવા કેસ નોંધાયા છે.

શું કહે છે નિષ્ણાતો?

કાનપુર IIT પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ કોરોનાને લઈને તેમના દાવાઓ માટે પ્રખ્યાત છે. તેણે પોતાના ગાણિતિક ફોર્મ્યુલા મોડલથી કોરોનાની પહેલી, બીજી અને ત્રીજી લહેર વિશે જે વાતો કહી હતી તે સાચી સાબિત થઈ હતી. દરમિયાન એબીપી સાથેની વાતચીતમાં પ્રોફેસરે મનિન્દ્ર અગ્રવાલે ચીનમાં કોરોના વાયરસના BF.7 વેરિઅન્ટને લઈને કહ્યું છે કે, ભારતના લોકોએ આ વેરિઅન્ટ સામે લડવા માટે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લીધી છે.

જેના કારણે ભારતમાં લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, હજુ પણ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. પ્રોફેસર અગ્રવાલે એમ પણ જણાવ્યું હતું કે, જુલાઈમાં જ ભારતમાં BF.7 વેરિઅન્ટની શોધ થઈ હતી અને ત્યાર બાદ અહીં કોઈ ખાસ અસર જોવા મળી નથી. ભારતમાં કોવિડ અંગે વાઈરોલોજિસ્ટ ગગનદીપ કાંગના જણાવ્યા અનુસાર, ભારતમાં જે લોકોએ રસી લીધી છે. તેમને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

કોરોના નિષ્ણાતોના આ દાવા ભારતીયો માટે રાહત રૂપ છે. જોકે સાથો સાથ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે, તેને હળવાશથી ન લેવામાં આવે અને સાવધાની સાથે કોવિડ નિયમોનું પાલન કરવું હિતાવહ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget