શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશના આ મોટા રાજ્યમાં લાગુ થયું છે લોકડાઉન પણ ખુલ્લા રહેશે ધાર્મિક સ્થળો, જાણો વિગત
એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ કહ્યું, લોકડાઉન દરમિયાન તમામ ધર્મસ્થાન ખુલ્લા રહેશે.
![દેશના આ મોટા રાજ્યમાં લાગુ થયું છે લોકડાઉન પણ ખુલ્લા રહેશે ધાર્મિક સ્થળો, જાણો વિગત Coronavirus Pandemic: no prohibition on the opening of religious places during the lockdown in Uttar Pradesh દેશના આ મોટા રાજ્યમાં લાગુ થયું છે લોકડાઉન પણ ખુલ્લા રહેશે ધાર્મિક સ્થળો, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/10214942/Lockdown-in-india.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનઉઃ કોરોના વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશમાં 10 જુલાઈની રાત્રે 10 વાગ્યાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે 13 જુલાઈ સવારે પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતાં અન્ય તમામ ગતિવિધિ પર પ્રતિબંધ રહેશે. આ અંગે સરકારે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા.
એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ કહ્યું, લોકડાઉન દરમિયાન તમામ ધર્મસ્થાન ખુલ્લા રહેશે. તેના પર કોઈ પ્રતિબંધ નહીં લાગે. અહીંયા સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું પડશે અને કોરોના હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવી પડશે.
તમામ ઓફિસ, ગ્રીમણ હાટ, બઝાર, ગલ્લા મંડી અને વ્યવસાયિક એકમો બંધ રહેશે. આવશ્યક સેવાઓમાં કાર્યરત વ્યક્તિઓ, કોરોના વૉરિયર, સ્વસ્છતાકર્મી અને ડૉર સ્ટેપ ડિલીવરી સાથે જોડાયેલા લોકોની અવર-જવર પર કોઈ પ્રતિબંધ નથી. રેલગાડિઓની અવર-જવર પહેલાની જેમ ચાલુ રહેશે. રેલથી આવનારા વ્યક્તિઓ માટે સરકાર બસની વ્યવસ્થા કરશે.
રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગો પર પરિવહન ચાલુ રહેશે. આ રસ્તાઓ પર આવતા પેટ્રોલ પંપ અને ઢાબા ખુલ્લા રહેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)