શોધખોળ કરો
Coronavirus: પંજાબમાં કોંગ્રેસના બે ધારાસભ્ય થયા સંક્રમિત, મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત
આ પહેલા કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા હતા. તે રાજ્યમાં કોરોના સંક્રમિત થનારા પ્રથમ મંત્રી હતા. તેમના પત્ની અને પુત્રમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી.

ચંદીગઢઃ પંજાબમાં કોંગ્રેસના બે ધારાસભ્યો કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા છે. ફગવાડાથી કોંગ્રેસ ધારાસભ્ય બલવિંદર ધાલીવાલ અને તરણ તારણના ધારાસભ્ય ડો. ધરમબીરને કોરોના થયો છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે રવિવારે આ જાણકારી આપી અને બંનેના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી. સીએમ અમરિંદર સિંહે ટ્વિટ કર્યું, મારા સાથીકર્મી ફગવાડાથી કોંગ્રેસ ધારાસભ્ય બલવિંદર ધાલીવાર અને તરણ તારણના ધારાસભ્ય ડો. ધરમબીર કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા છે. તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું. તૃપ્ત રાજિંદર સિંહ બાજવા થયા હતા સંક્રમિત આ પહેલા કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા હતા. તે રાજ્યમાં કોરોના સંક્રમિત થનારા પ્રથમ મંત્રી હતા. તેમના પત્ની અને પુત્રમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી.
છેલ્લા થોડા દિવસોથી પંજાબમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 9,792 મામલા સામે આવ્યા છે. જેમાંથી 246 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 10 લાખ 77 હજાર 618 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 26,816 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 6 લાખ 77 હજાર લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 હજાર 902 નવા કેસ સામે આવ્યા છે અને 543 મોત થયા છે. કોરોના વેક્સીનના ટ્રાયલ માટે AIIMSને જરૂર છે વોલંટિયર્સની, જાણો કેવી રીતે બની શકાશે પરીક્ષણનો હિસ્સો Jio એ આપ્યો મોટો ઝટકો, આ બે સસ્તા પ્લાન કર્યા બંધ, જાણો વિગત દેશના આ શહેરમાં દારૂ ખરીદવા લોકોએ લગાવી ભીડ, સોશિયલ ડિસ્ટેંસિંગના ઉડ્યા લીરા, જુઓ તસવીરો
વધુ વાંચો























