શોધખોળ કરો

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોનાને લઈ PM મોદીને લખ્યો પત્ર, આપ્યા પાંચ સૂચન

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સોનિયા ગાંધીએ કોરોના સામે લડવા કેટલાક સૂચનો આપ્યા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર ભારત સતત વધી રહ્યો છે. દિવસે-દિવસે ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સોનિયા ગાંધીએ કોરોના સામે લડવા કેટલાક સૂચનો આપ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને સરકાર તરફથી આ મહામારીને પહોંચી વળવા માટે કેટલાય પગલા ભરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ વિપક્ષના નેતાઓ સાથે કોરોના વાયરસને લઈને ફોન પર વાત કરી હતી અને કોરોનાને પહોંચી વળવા સૂચનો માંગ્યા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેંદ્ર સરકાર દ્વારા સાંસદોના પગારમાં 30 ટકા કાપ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું છે.
સોનિયા ગાંધીએ પીએમને લખેલા પત્રમાં કહ્યું, સરકાર દ્વારા ટેલિવિઝન, પ્રિન્ટ અને ઓનલાઈન મીડિયાને આપવામાં આવતી જાહેરાતો અટકાવી દેવી જોઈએ. જાહેરખબરોને 2 વર્ષ માટે બંધ કરી દેવી જોઈએ. જેનાથી 1250 કરોડ રુપિયા દર વર્ષે બચશે.
સરકાર દ્વારા સરકારી બિલ્ડિંગમાં કન્ટ્રક્શનના કામ માટે જે 20 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે તેને રોકી દેવામાં આવે. મને વિશ્વાસ છે કે સંસદની હાજરીમાં બિલ્ડંગનુ કામ કરી શકાય છે. આ રકમનો ઉપયોગ હોસ્પિટલના સુધારા તથા પીપીઈ જેવી સુવિધાની વ્યવસ્થા કરી શકાય છે. સાંસદોની પેન્સન, સેલરીમાં 30 ટકા કાપ મુકવામાં આવે. જેનો ઉપયોગ મજુરો, ખેડૂતો, નાના વ્યવસાયકર્તાઓને આર્થિક મદદ કરવા માટે કરી શકાય. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ સહિત તમામ અધિકારીઓની વિદેશ યાત્રા પર પ્રતિબંધ મુકવો જોઈએ. આ પ્રવાસોથી બચેલા પૈસા કોરોના સામે લડવામાં ઉપયોગમાં લઈ શકાશે. પત્રમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી અને કેન્દ્રિય મંત્રીના પ્રવાસ પરના પ્રતિબંધથી 393 કરોડની બચત થશે. પ્રધાનમંત્રી કેયર્સમાં જેટલા પણ પૈસા મદદ માટે આવ્યા છે. તેને પ્રધાનમંત્રી રાહત ફંડમાં ટ્રાન્સફર કરવા જોઈએ. જેનાથી પારદર્શિતા આવશે. અત્યારે પ્રધાનમંત્રી રાહત ફંડમાં રહેલા 3800 કરોડની રકમ પડી છે. ત્યારે બન્ને ફંડને મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget