![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: મોદી સરકારના વધુ એક મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં, કહ્યું- મારામાં કોઈ લક્ષણ નહોતા છતાં....
સંતોષ ગંગવારે ટ્વીટ કરીને લખ્યું મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્ય છે. મારામાં કોઇ લક્ષણ નહોતા. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું ટેસ્ટ કરાવવાનું કહું છું. કોરોના સેફ્ટી રૂલ્સનું પાલન કરો.
![Coronavirus: મોદી સરકારના વધુ એક મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં, કહ્યું- મારામાં કોઈ લક્ષણ નહોતા છતાં.... Coronavirus: Union Minister Santosh Gangwar tests Covid 19 positive Coronavirus: મોદી સરકારના વધુ એક મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં, કહ્યું- મારામાં કોઈ લક્ષણ નહોતા છતાં....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/c051f4db72f84a7c60c9f1050966b70b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.61 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને 879 લોકોના મોત થયા છે.
આ દરમિયાન આજે મોદી સરકારના (Modi Government) વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવાર (Santosh Gangwar) કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ટ્વીટ કરીને લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્ય છે. મારામાં કોઇ લક્ષણ નહોતા. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું ટેસ્ટ કરાવવાનું કહું છું. કોરોના સેફ્ટી રૂલ્સનું પાલન કરો.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 879 લોકોના મોત થયા છે. જોકે 97,168 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 36 લાખ 89 હજાર 4537
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 22 લાખ 53 હજાર 697
- કુલ એક્ટિવ કેસ - 12 લાખ 64 હજાર 698
- કુલ મોત - એક લાખ 71 હજાર 058
10 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 85 લાખ 33 હજાર 085 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા 8 દિવસમાં નોંધાયેલા કેસ
12 એપ્રિલઃ 1,68,912
11 એપ્રિલઃ 1,52, 879
10 એપ્રિલઃ 1,45,384
9 એપ્રિલઃ 1,31,968
8 એપ્રિલઃ 1,26,789
7 એપ્રિલઃ 1,15,736
6 એપ્રિલઃ 96,982
5 એપ્રિલઃ 1,03,558
ગુજરાતમાં લોકડાઉન લાદવું કે નહીં એ મુદ્દે હવે આ અઠવાડિયે ક્યારે લેવાશે નિર્ણય ? જાણો મોટા સમાચાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)