શોધખોળ કરો

Chandrayaan-2નું કાઉન્ટડાઉન શરૂ, જાણો કેમ મહત્વનું છે ઇસરોનું આ મિશન

ચંદ્રયાનનું પ્રક્ષેપણ 15 જૂલાઇના રોજ સવારે બે વાગ્યાના 51 મિનિટ પર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી કરવામાં આવશે

  શ્રીહરિકોટાઃ ઇસરોના ચંદ્ર પર ભારતના બીજા મિશન ચંદ્રયાન-2ના પ્રક્ષેપણને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સફળ પ્રક્ષેપણની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે અને તમામ ઉપકરણોની તપાસનું કામ પણ પૂર્ણ થઇ ચૂક્યું છે. ચંદ્રયાનનું પ્રક્ષેપણ 15 જૂલાઇના રોજ સવારે બે વાગ્યાના 51 મિનિટ પર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી કરવામાં આવશે. ચંદ્રયાન છ સપ્ટેમ્બરના રોજ ચંદ્રની ધરતી પર પહોંચે તેવી સંભાવના છે. આ મિશન માટે જીએસએલવી માર્ક-3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. ઇસરોએ કહ્યું કે, આ મિશન માટે રિહર્સલ શુક્રવારે પુરુ થઇ ચૂક્યું છે. આ મિશનનો હેતુ ચંદ્રમા પર પાણીની માત્રાનો અંદાજ લગાવવાનો છે, તેની જમીન, ખનીજો, રસાયણો અને તેના વિતરણનો અભ્યાસ કરવો અને ચંદ્રના બહારના વાતાવરણનું વિશ્લેષણ કરવાનો છે. નોંધનીય છે કે ચંદ્ર પર ભારતનું પ્રથમ મિશન ચંદ્રયાન-1એ ત્યાં પાણીની હાજરીની પુષ્ટી કરી હતી. આ મિશનમાં ચંદ્રયાનની સાથે કુલ 13 સ્વદેશી પે-લોડ યાન વૈજ્ઞાનિક ઉપકરણો મોકલી રહ્યા છે. તેમાં વિવિધ પ્રકારના કેમેરા, સ્પેક્ટ્રોમીટર, રડાર, પ્રોબ અને સિસ્મોમીટર સામેલ છે. ભારતનું ચંદ્રયાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે અને સોફ્ટ લેન્ટિંગ કરશે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર અત્યાર સુધી દુનિયાના કોઇ પણ દેશનું ચંદ્રયાન ઉતર્યું નથી. ચંદ્રયાનના ત્રણ હિસ્સા છે. ઓર્બિટર ચંદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઉંચાઇની કક્ષામાં ચક્કર લગાવશે. ત્યારપછી લેન્ડર ઓર્બિટરથી અલગ થશે અને 4 દિવસ ચંદ્રના ચક્કર કાપશે. 30 કિમીના અંતરે પહોંચશે તો 15 મિનિટમાં ચંદ્ર પર લેન્ડ કરશે. પ્રજ્ઞાન નામનું રોવર લેન્ડરથી અલગ થઇને 50 મીટરના અંતરેથી ચંદ્રમાની સપાટી પરની તસવીરો ક્લિક કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
શું ઇથેનોલથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે? E20 પેટ્રોલના ફાયદા કે નુકસાન? સરકારે આપ્યો દરેક સવાલનો જવાબ
શું ઇથેનોલથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે? E20 પેટ્રોલના ફાયદા કે નુકસાન? સરકારે આપ્યો દરેક સવાલનો જવાબ
સુપ્રીમ કોર્ટે રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની જામીન પર રોક મૂકવાનો કેમ કર્યો ઇનકાર
સુપ્રીમ કોર્ટે રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની જામીન પર રોક મૂકવાનો કેમ કર્યો ઇનકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Embed widget