શોધખોળ કરો

Chandrayaan 2: આજે બપોરે 2.43 કલાકે ચંદ્રના સફર પર રવાના થશે 'બાહુબલી', કાઉન્ટ ડાઉન શરૂ

આ 3850 કિલોગ્રામ વજનના ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 22 જૂલાઇ 2019ના રોજ બપોરે બે વાગ્યાને 43 મિનિટ પર થશે.

ચેન્નઈ: ચંદ્રયાન-2ની લૉન્ચિંગ ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. કાલે  બપોરે 2 વાગ્યે 43 મિનીટ પર લોન્ચ કરવામાં આવશે. તેના 18 કલાક પહેલા એટલે કે આજે સાંજે 6 વાગ્યાને 43 મિનીટ પર કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રોકેટ અને અંથરિક્ષ યાન પ્રણાલીની તપાસ કરવામાં આવશે અને રોકેટ એન્જીનને શક્તિ પ્રદાન કરવા માટે ઈંધણ ભરવામાં આવશે. આ પહેલા ચંદ્રયાન-2 જીએસએલવી-એમકે-3 રોકેટ 15 જૂલાઈના બે વાગ્યે 5 મિનીટ પર ઉડાન ભરવાનું હતું, પરંતુ ટેકનિખળ ખરાબીના કારણે રોકેટ પ્રસ્થાન કરવાના એક કલાક પહેલા ઉડાન સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં ઈસરોએ પોતાના 44 મીટર લાંબા જિયોસિનક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક-3ની ગરબડ દૂર કરી હતી. ચંદ્રયાન-2 ભારતનું સૌથી તાકાતવાર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ, ઓર્બેટર, લેન્ડર અને રોવર હશે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણી ધુવ પર લેન્ડરને ઉતારશે. પ્રથમ ચંદ્ર મિશનની સફળતાના 11 વર્ષ બાદ ઇસરો જીએસએલવી-એમકે 3થી 978 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચંદ્રયાન-2નુ લોન્ચિંગ કરશે. ઈસરોના એસોસિએટ ડાયરેક્ટર(પબ્લિક રિલેશન) બીઆર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે લોન્ચિંગ પહેલા જ લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હતી. આ કારણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. તેને ચંદ્ર પર જતા 54 દિવસ લાગશે. સ્વદેશી ટેકનિકથી નિર્મિત ચંદ્રયાન-2માં કુલ 13 પેલોડ છે. આઠ ઓર્બિટરમાં, ત્રણ પેલોડ લેન્ડર વિક્રમ અને બે પેલોડ રોવરમાં છે. પાંચ પેલોડ ભારતના, ત્રણ યુરોપના  અને બે અમેરિકા અને એક બુલ્ગારિયાનું છે.

ટોપ સ્ટોરી

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Embed widget