Mumbai COVID-19 : લૉડકાઉનના ડરથી મુંબઇમાં મજૂરોનુ સ્થળાંતર શરૂ, સાંજે જાહેર થઇ શકે છે નવી ગાઇડલ
મુંબઇમાં લોકડાઉનના ડરે કામદારો ભાગવા માંડ્યા, સ્ટેશન પર હજારોની ભીડ થતા પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ

Background
Mumbai COVID-19 : મુંબઇમાં લોકડાઉનના ડરે કામદારો ભાગવા માંડ્યા, સ્ટેશન પર હજારોની ભીડ થતા પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ
મુંબઇમાં કોરોનાના ખતરો વધ્યો
દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ થઇ રહી છે. દેશભરમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને મુંબઇમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાની ઝડપને જોતા સરકાર લોકડાઉન લગાવે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
પ્રવાસી મજુરોમાં ડરનો માહોલ
મુંબઇમાં પ્રવાસી મજૂરોમાં ડરનો માહોલ છે. તેમને ડર છે કે સરકાર અચાનક લોકડાઉન લગાવી દે છે તો તેમની સ્થિતિ કફોડી બની જશે તેના કારણે તેઓ પોતાના ગામડે પહોંચી રહ્યા છે. મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂર ભેગા થયા છે.





















