શોધખોળ કરો

Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત

Cyclone Dana: આ વાવાઝોડાની અસર ઓડિશાથી લઈને બંગાળ, બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે

Cyclone Dana: ઓડિશામાં 24 થી 25 ઓક્ટોબર સુધી ચક્રવાત દાનાને લઈને દરેક જગ્યાએ તકેદારી વધારી દેવામાં આવી છે. ઓડિશા અને બંગાળમાં તોફાનથી બચવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ઓડિશામાં NDRFની 288 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ લગાવીને 14 જિલ્લાના 10 લાખ લોકોને સુરક્ષિત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે.

આ વાવાઝોડાની અસર ઓડિશાથી લઈને બંગાળ, બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે. આ વાવાઝોડું રાષ્ટ્રીય ઉદ્યાન અને પુરીના ધમરા બંદરની વચ્ચે ટકરાશે. IMD અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર ચક્રવાતનું સ્વરૂપ લઈ રહ્યું છે અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે પારાદીપથી 560 કિલોમીટર અને સાગરદ્વીપથી 630 કિલોમીટરના અંતરે છે.

અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

ગુરુવાર 24 ઓક્ટોબરની રાત્રે અથવા શુક્રવાર 25 ઓક્ટોબરની સવારે તે પુરી કિનારે અને બંગાળના સાગરદ્વીપ કિનારે અથડાશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન વિભાગે 24 અને 25 ઓક્ટોબરે બંગાળ અને ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

લગભગ 300 ટ્રેનો ત્રણ દિવસ માટે રદ

NDRFના સેકન્ડ ઇન કમાન્ડ ટુઆઇસી વર્ધમાન મિશ્રા અનુસાર, NDRFની ટીમો તટીય જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. ઓડિશાના સાત જિલ્લામાં તોફાન અને ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ-પૂર્વ રેલવેએ આગામી ત્રણ દિવસ માટે લગભગ 300 ટ્રેનો રદ કરી છે.

ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝીએ બુધવારે કેબિનેટની બેઠક બોલાવી અને મંત્રીઓને જવાબદારી સોંપી હતી. નવ મંત્રીઓ અને નવ વરિષ્ઠ IAS અધિકારીઓને એક્શન પ્લાનિંગ અને મોનિટરિંગની જવાબદારી સોંપી હતી.

શાળા-કોલેજની રજાઓ

રાજ્ય સરકારે આપત્તિ રાહત દળો તૈનાત કર્યા છે. શાળાઓ અને કોલેજો બંધ કરી છે અને તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી છે. પ્રવાસીઓને બીચ તરફ જવાની મનાઈ કરીને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે વિવિધ દરિયાકિનારા પર કલમ ​​144 લાગુ કરવામાં આવી છે.

ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે એક વીડિયો સંદેશ જાહેર કરીને લોકોને અપીલ કરી છે કે વાવાઝોડાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી, પરંતુ દરેક વ્યક્તિએ સુરક્ષિત રહેવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદGujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટRajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
Embed widget