શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નિર્ભયા કેસમાં ડેથ વોરંટ પર ટળી સુનાવણી, દોષિતોને મળ્યા વધુ 20 દિવસ
આ મામલે 7 જાન્યુઆરીના રોજ ફરીથી સુનાવણી થશે. એવામાં દોષિતોને 20 દિવસ મળી ગયા છે.
![નિર્ભયા કેસમાં ડેથ વોરંટ પર ટળી સુનાવણી, દોષિતોને મળ્યા વધુ 20 દિવસ Delhi court adjourns hearing on issuing death warrant in Nirbhaya case નિર્ભયા કેસમાં ડેથ વોરંટ પર ટળી સુનાવણી, દોષિતોને મળ્યા વધુ 20 દિવસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/18201442/3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપના દોષિત અક્ષય ઠાકુરની રિવ્યૂ પિટિશનને ફગાવી દીધી છે. હવે આ મામલામાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઇ હતી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે કોર્ટ આજે ચારેય દોષિતો વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરી શકે છે પરંતુ કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી અને આ મામલે 7 જાન્યુઆરીના રોજ ફરીથી સુનાવણી થશે. એવામાં દોષિતોને 20 દિવસ મળી ગયા છે.
દરમિયાન નિર્ભયાની માતાએ કોર્ટમાં કહ્યું કે, તમામ લોકો ગુનેગારોના અધિકારની વાત કરે છે. અમારા અધિકારોની કોઇ વાત નથી કરતું. ત્યારે કોર્ટે તેમને સમજાવતા કહ્યું કે, તમારા અધિકારોની વાત અને રક્ષા કરવા માટે અમે છીએ.
સાથે કોર્ટે જેલ અધિકારીઓને તમામ ચાર દોષિતોને નોટિસ જાહેર કરવા કહ્યું છે કે તેમની પાસે દયા અરજી દાખલ કરવા સાત દિવસનો સમય છે. સરકારી વકીલ રાજીવ મોહને કહ્યું કે દયા અરજી અગાઉ ડેથ વોરંટ જાહેર કરી શકાય છે. જેલ વહીવટીતંત્રના કહેવા પ્રમાણે દોષિત મુકેશ દયા અરજી કરવા માંગતો નથી. તે સિવાય દોષિત વિનય પોતાની અરજી પાછી લઇ ચૂક્યો છે. પટિયાલા કોર્ટમાં દોષિત મુકેશ તરફથી કોઇ વકીલ રજૂ થયા નહોતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)