શોધખોળ કરો

ફ્લાઈટમાં આવનાર મુસાફરો માટે આ રાજ્યોએ બનાવ્યા અલગ-અલગ નિયમો? કયા રાજ્યમાં શું છે નિયમ? જાણો

લોકડાઉનની વચ્ચે દેશમાં બસ, ટ્રેન સેવા શરૂ થયા બાદ આજથી ડોમેસ્ટિક હવાઈ મુસાફરીની શરૂઆત થઈ છે. લગભગ બે મહિના સુધી હવાઈ મુસાફરી બંધ રહ્યા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન સમગ્ર દેશમાં આજથી શરૂ કરી દેવામાં આવ્યું

લોકડાઉનની વચ્ચે દેશમાં બસ, ટ્રેન સેવા શરૂ થયા બાદ આજથી ડોમેસ્ટિક હવાઈ મુસાફરીની શરૂઆત થઈ છે. લગભગ બે મહિના સુધી હવાઈ મુસાફરી બંધ રહ્યા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન સમગ્ર દેશમાં આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4:45 મીનિટે પુણે માટે સૌથી પહેલી ફ્લાઈટ રવાના થઈ હતી. આ ઉપરાંત ઈન્ડિગો ફ્લાઈટ પણ કોલકત્તા માટે રવાના થઈ હતી. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને છોડીને સમગ્ર દેશમાં મોટી રાતથી મુસાફરો એરપોર્ટ આવવાના શરૂ થઈ ગયા હતાં. આ સમયે મુસાફરો ઉત્સાહિત જોવા મળ્યાં પણ તેમના મનમાં કોરોનાનો ડર પણ જોવા મળ્યો હતો. એક બાજુ દેશમાં ઘરેલૂ હવાઈ સેવા શરૂ થઈ છે ત્યારે અલગ-અલગ રાજ્યોના વિમાનમાં આવનાર મુસાફરો માટે અલગ-અલગ નિયમ બનાવ્યા છે. ઘણી જગ્યાએ 7 દિવસ સુધી કોરેન્ટાઈન તો ઘણી જગ્યાએ 14 દિવસ સુધી કોરેન્ટાઈન તો અમુક જગ્યાએ તો કોરેન્ટાઈન જ નથી. હવે આને લઈને અનેક સવાર ઉઠી રહ્યાં છે કે ખતરો એક જ છે તો પછી ફ્લાઈટથી આવનારા મુસાફરો બસ અથવા ટ્રેનથી આવનારા મુસાફરો માટે નિયમોમાં ભેદભાવ કેમ? ઉત્તર પ્રદેશમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમો? રવિવારે યુપી સરકારે જે નિયમો બનાવ્યા છે તે પ્રમાણે ફ્લાઈટથી આવનારને જો એક અઠવાડિયામાં પરત ફરવાનું છે તો તેને કોરેન્ટાઈનની જરૂરિયાત નથી. જ્યારે યુપીમાં જે લોકો બસ અથવા ટ્રેનથી ઘરે પરત ફરી રહ્યાં છે તેને 14 દિવસ કોરેન્ટાઈન ફરજિયાત રહેવું પડશે. એટલે ફ્લાઈટથી આવનાર લોકોને થોડી છૂટ આપવામાં આવી છે. દિલ્હીમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ? દિલ્હી સરકારે કોરેન્ટાઈનને લઈને છૂટ આપી છે. દિલ્હી આવનારા હવાઈ મુસાફરોને કોરેન્ટાઈન ફરજિયાત રહેશે નહીં. જે મુસાફરોમાં કોરોનાના થોડા લક્ષણો હશે તે હોમ કોરેન્ટાઈન થશે અથવા સરકારી કોરેન્ટાઈન સેન્ટરમાં રહેશે. ટ્રેન અને બસથી આવનારા મુસાફરો માટે પણ દિલ્હી સરકારે આ નિયમ બનાવ્યા છે. પંજાબમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ? ટ્રેન, બસ અને ફ્લાઈટથી આવનાર મુસાફરો માટે પંજાબ સરકારે એક જ નિયમ રાખ્યો છે. પંજાબ સરકારના નિયમ પ્રમાણે જે યાત્રી વિમાનથી આવશે તેણે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. કોઈ ટ્રેન અથવા બસથી આવી રહ્યું છે તેને બે અઠવાડિયા માટે હોમ કોરેન્ટાઈન રહેવું પડશે. મહારાષ્ટ્રમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ? મહામારીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર સરકારે પણ ફ્લાઈટથી આવાનાર મુસાફરોને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઈન રહેવું પડશે. કોઈ ટ્રેન અથવા બસથી આવી રહ્યું છે તો તેને પણ બે અઠવાડિયા માટે હોમ કોરેન્ટાઈન રહેવું જરૂરી છે. કર્ણાટકમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ? કર્ણાટક સરકારે તો છ રાજ્યોને એક કેટેગરીમાં રાખ્યા છે અને આવનારા લોકો માટે અલગ-અલગ નિયમો બનાવ્યા છે. આ રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, એમપી, ગુજરાત અને તમિલનાડુ છે. આ છ રાજ્યોમાં જો લોકો ફ્લાઈટથી આવી રહ્યાં છે તો તેને 7 દિવસ સરકારી કોરેન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે. 7 દિવસ પછી યાત્રીને હોમ કોરેન્ટાઈનમાં રહેવું પડશે. જો ટ્રેન અથવા બસથી કર્ણાટક પહોંચે છે તો તેને 14 દિવસ હોમ કોરેન્ટાઈનમાં રહેવું પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ
Iran Israel War: ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
Iran Israel War: ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
ICC Women T20 World Cup 2024: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
ICC Women T20 World Cup 2024: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
Stock Market Today: ઇરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, 1200 પોઇન્ટના ઘટાડા સાથે ઓપન થયું બજાર
Stock Market Today: ઇરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, 1200 પોઇન્ટના ઘટાડા સાથે ઓપન થયું બજાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Harshad Ribadiya|કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડીયા ગીર ઈકો સેન્સેટીવ ઝોન સામે ઉતરશે વિરોધમાંSurat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશHun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ
Iran Israel War: ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
Iran Israel War: ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
ICC Women T20 World Cup 2024: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
ICC Women T20 World Cup 2024: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
Stock Market Today: ઇરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, 1200 પોઇન્ટના ઘટાડા સાથે ઓપન થયું બજાર
Stock Market Today: ઇરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, 1200 પોઇન્ટના ઘટાડા સાથે ઓપન થયું બજાર
Navratri 2024 1st Day : નવરાત્રિના પ્રથમ દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજાવિધિ?
Navratri 2024 1st Day : નવરાત્રિના પ્રથમ દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજાવિધિ?
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Navratri 2024: આજથી નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત?
Navratri 2024: આજથી નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત?
Travel Advisory: 'ઇરાનનો પ્રવાસ ના કરો' યુદ્ધ વચ્ચે મોદી સરકારે નાગરિકોને માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
Travel Advisory: 'ઇરાનનો પ્રવાસ ના કરો' યુદ્ધ વચ્ચે મોદી સરકારે નાગરિકોને માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
Embed widget