શોધખોળ કરો

Dussehra Festivals: સમગ્ર દેશમાં ધામધૂમથી દશેરાની ઉજવણી, દિલ્હીથી લઈ કાશ્મીર અને કર્ણાટક સુધી રાવણ દહન 

દેશભરમાં આજે દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર ધામધૂમ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે ઘમંડી રાવણ પર વિજય મેળવ્યો હતો.

Dussehra Festivals Celebration 2023:  દેશભરમાં આજે દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર ધામધૂમ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે ઘમંડી રાવણ પર વિજય મેળવ્યો હતો. આ દિવસથી જ વિજયાદશમી પર રાવણના પૂતળાને બાળવાની પરંપરા ચાલી રહી છે. મંગળવારે (24 ઓક્ટોબર) દેશના અલગ-અલગ રાજ્યોમાં રાવણનું દહન કરવામાં આવ્યું હતું જ્યાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓ સુધી બધા હાજર હતા.
 
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો રામલીલા  મોટા પાયે આયોજન કરતી સમિતિઓ દ્વારા સ્થળ પર દશેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલ કિલ્લાના મેદાનમાં ધાર્મિક લીલા સમિતિ દ્વારા આયોજિત દશેરા સમારોહમાં ભાગ લીધો હતો અને રાવણ દહન કર્યું હતું.

PM મોદીએ દ્વારકાના મેદાનમાં રાવણ દહન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના દ્વારકા સેક્ટર 10માં ડીડીએ ગ્રાઉન્ડ ખાતે આયોજિત દશેરા સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા અને રાવણની સાથે સાથે  કુંભકરણ અને મેઘનાથના પૂતળાનું દહન કર્યું હતું. દિલ્હીમાં તેમના દશેરાના ભાષણમાં  પીએમ મોદીએ સૌહાર્દને નુકસાન પહોંચાડતા જાતિવાદ અને પ્રાદેશિકવાદ જેવી વિકૃતિઓને દૂર કરવાનું આહ્વાન કર્યું હતું. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે આ વખતે અમે વિજયાદશમીની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે ચંદ્ર પર અમારી જીતને 2 મહિના થઈ ગયા છે.

સોનિયા ગાંધીએ લાલ કિલ્લાના મેદાનમાં રાવણનું દહન કર્યું હતું

દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં નવશ્રી ધાર્મિક લીલા સમિતિના રાવણ દહન કાર્યક્રમમાં કોંગ્રેસ સંસદીય સમિતિના ચેયરપર્સન સોનિયા ગાંધીએ હાજરી આપી હતી. તેઓએ રાવણની સાથે મેઘનાથ અને કુંભકરણના પૂતળાનું દહન કર્યું હતું. 

પટનાના ગાંધી મેદાનમાં નીતિશ-લાલુ સાથે જોવા મળ્યા

બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાનમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. પટનાના ગાંધી મેદાન રામલીલા મહોત્સવમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તીર છોડ્યું અને 'રાવણ દહન' કર્યું. આ અવસર પર આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ પણ મંચ પર હાજર હતા.

પુષ્કર ધામીએ દેહરાદૂનમાં રાવણનું દહન કર્યું હતું

ઉત્તરાખંડના દેહરાદૂનમાં દશેરાના અવસર પર પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત 'રાવણ દહન' કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પહોંચ્યા હતા. તેઓએ દુષ્ટતાના પ્રતીક રાવણના પૂતળા પર તીર માર્યું અને દહન કર્યું,  આ પ્રસંગે સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

કર્ણાટકમાં પણ દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવાયો

દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના મૈસુરમાં દશેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર મૈસુર દશેરા ઉત્સવમાં પહોંચ્યા હતા.

શ્રીનગર અને લદ્દાખમાં પણ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દશેરાના અવસર પર, જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં 'રાવણ દહન' કરવામાં આવ્યું હતું અને લોકોએ જોરથી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ નારાઓ સાથે સમગ્ર ઘાટીમાં જય શ્રી રામના ગુંજી ઉઠ્યા હતા. દશેરાના અવસર પર લદ્દાખના પોલો ગ્રાઉન્ડમાં 'રાવણ દહન' કરવામાં આવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Embed widget