શોધખોળ કરો

ફડણવીસ સાથે ઘમાસાણની વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી, કહ્યું - મને હલકામાં ન લેતા, સમજવાવાળા સમજી લે...

Maharashtra politics update: ડેપ્યુટી સીએમ શિંદેનો સંકેત: ૨૦૨૨માં સરકાર બદલી, હવે ૨૩૨ બેઠકો જીતી બતાવી.

Eknath Shinde news: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ડેપ્યુટી મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે નામ લીધા વગર ટીકાકારોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. શિંદેએ વર્ષ ૨૦૨૨માં થયેલી રાજકીય ઉથલપાથલ અને સરકાર બદલવાની ઘટનાને ટાંકીને પોતાનો મજબૂત સંદેશ આપ્યો છે. આ સાથે જ, શરદ પવાર દ્વારા 'મહાદજી શિંદે રાષ્ટ્રીય ગૌરવ' પુરસ્કાર અર્પણ કરવા પર થયેલી ટીકાઓનો પણ તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો.

જ્યારે મને હળવાશથી લીધો ત્યારે...’

એકનાથ શિંદેએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત એક સામાન્ય કાર્યકર તરીકે થઈ હોવાનું યાદ અપાવ્યું હતું, પરંતુ સાથે જ તેમણે પોતાની ક્ષમતાનો પરચો પણ આપ્યો હતો. તેમણે કહ્યું, “હું એક સામાન્ય કાર્યકર છું, પરંતુ મને બાળાસાહેબ અને દિઘે સાહેબના સિદ્ધાંતો પર ચાલનારો કાર્યકર સમજવો જોઈએ. જ્યારે લોકોએ મને હળવાશથી લીધો, ત્યારે મેં ૨૦૨૨માં રાજકીય ચિત્ર બદલી નાખ્યું અને સરકાર પણ બદલી નાખી. અમે સામાન્ય લોકોની સરકાર સ્થાપી. લોકોને જે જોઈતું હતું, તે ડબલ એન્જિનવાળી સરકાર ઝડપથી આગળ વધી રહી છે.”

સંકેત સમજવાવાળા સમજી લે’

શિવસેના પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, “મેં વિધાનસભાના ભાષણમાં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસજી અને મને ૨૦૦થી વધુ બેઠકો મળશે. પરંતુ અમે તો ૨૩૨ બેઠકો મેળવી છે, એટલે મને હળવાશથી લેવાની ભૂલ ન કરવી. જે કોઈ મારા સંકેતને સમજવા માગતા હોય, તેઓ સમજી લે. હું મારું કામ કરતો રહીશ. વિરોધીઓ રોજ આક્ષેપો કરતા રહે છે.” શિંદેના આ નિવેદનથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ફરીથી ચર્ચા જાગી છે.

શરદ પવારનું પણ અપમાન થયું’

શરદ પવાર દ્વારા એવોર્ડ મળવા પર થયેલી ટીકાઓનો જવાબ આપતા શિંદેએ કહ્યું, “શરદ પવાર સાહેબે મને એવોર્ડ આપ્યો, એમાં ખોટું શું છે? એક મરાઠી વ્યક્તિએ બીજા મરાઠીને ‘મહાદજી શિંદે રાષ્ટ્રીય ગૌરવ’ એવોર્ડ આપ્યો. મહાન મહાદજી શિંદે એક યોદ્ધા હતા. મને તો નવાઈ લાગી કે મારા જેવા સામાન્ય કાર્યકરને તેમના નામે એવોર્ડ મળ્યો. લોકો ગમે તેટલું બળે, પણ સત્ય તો બદલાતું નથી. એ સમયે શરદ પવાર સાહેબનું પણ અપમાન થયું હતું, જેમણે મને મુખ્યમંત્રી બનાવ્યો હતો.” તેમણે વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે ટીકાકારોએ તમામ મર્યાદાઓ ઓળંગી છે.

મહાદજી શિંદેના વંશજોનું પણ અપમાન’

ડેપ્યુટી સીએમએ વધુમાં જણાવ્યું કે, “સાહિત્યકારોને દલાલ કહીને તેમનું અપમાન કરાયું, અને મહાદજી શિંદેના વંશજોને પણ છોડવામાં ન આવ્યા. મારું અપમાન કરવું હોય તો કરો, પણ આ લોકોએ તો અમિત શાહનું નામ પણ તેમાં જોડી દીધું. આ બધું શું ચાલી રહ્યું છે? શું આ લોકો ક્યારેય સુધરશે? હું ફરીથી કહું છું કે તમે મારા પર ગમે તેટલા આરોપ લગાવો, ગમે તેટલો દુર્વ્યવહાર કરો, જ્યાં સુધી મહારાષ્ટ્રની જનતા મારી સાથે છે, ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી.” શિંદેના આ નિવેદને મહારાષ્ટ્રના રાજકારણમાં નવી દિશા આપી છે અને આગામી સમયમાં રાજકીય ગરમાવો વધવાની સંભાવના છે.

આ પણ વાંચો....

કોંગ્રેસે રાજસ્થાન અને ગુજરાત સહિત 6 રાજ્યોમાં કર્યા મોટા ફેરફારો, જાણો કોને સોંપી મહિલા મોરચાની કમાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget