શોધખોળ કરો

Ajit Pawar Plane Crash: પહેલા વિમાનમાં આગ લાગી, પછી એક બાદ એક બ્લાસ્ટ થયા, પ્રત્યક્ષદર્શીએ ભયાનક દ્રશ્યનું કર્યું વર્ણન  

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલા વિમાન અકસ્માતે સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. તેમનું વિમાન પુણે જિલ્લાના બારામતી નજીક ક્રેશ થયું હતું.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલા વિમાન અકસ્માતે સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. તેમનું વિમાન પુણે જિલ્લાના બારામતી નજીક ક્રેશ થયું હતું, જેમાં પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન હવામાં અસ્થિર દેખાતું હતું અને જમીન સાથે ટકરાતાજ તેમાં આગ લાગી ગઈ હતી, ત્યારબાદ અનેક વિસ્ફોટ થયા હતા. આ અકસ્માતથી રાજકીય અને વહીવટી પ્રશાસનમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

અકસ્માત કેવી રીતે થયો ?

એક મહિલા પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, સવારે વિમાન બારામતી હવાઈ પટ્ટી પર ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે લેન્ડિંગ દરમિયાન, વિમાન સંતુલન ગુમાવી બેઠું હતું અને ખૂબ જ જોરથી જમીન પર અથડાયું હતું. વિમાન જમીન પર  અથડાતાં જ એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેનો અવાજ આસપાસના વિસ્તારમાં સંભળાયો હતો. વિમાન ક્રેશ થયા પછી વિમાનના ટુકડા હવામાં ઉડ્યા અને નજીકના ઘરોમાં પડ્યા, જેનાથી સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા.

છેલ્લી ક્ષણોમાં શું જોયું?

  • અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વિમાન લગભગ 100 ફૂટની ઊંચાઈ પર હતું જ્યારે તે નિયંત્રણ ગુમાવતું જોવા મળ્યું  હતું.
  • વિમાન નીચે ઉતરતી વખતે નમી ગયું હતું.
  • જમીન પર  અથડાતાં જ આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી.
  • આ પછી ચાર થી પાંચ જોરદાર વિસ્ફોટ થયા હતા.
  • આગ અને વિસ્ફોટોને કારણે લોકો વિમાનની નજીક પહોંચી શક્યા નહીં.
  • પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે આ દ્રશ્ય ભયાનક હતું અને કોઈને પણ જીવ બચાવવાની તક મળી નહીં.

વિમાનમાં કેટલા લોકો હતા અને અકસ્માત ક્યારે થયો ?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં કુલ પાંચ લોકો સવાર હતા. આ અકસ્માત સવારે 8:45 વાગ્યે થયો હતો. ફ્લાઇટ રડાર ડેટા અનુસાર, વિમાને સવારે 8:10 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી હતી અને લગભગ 8:45 વાગ્યે રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. થોડીવાર પછી, વિમાન બારામતી નજીક ક્રેશ થયું.

પ્રવાસનો હેતુ શું હતો?

અહેવાલ છે કે અજિત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. તેઓ 5 ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીના સંદર્ભમાં જાહેર સભાઓને સંબોધવાના હતા. અકસ્માતના સમાચાર મળતાં જ વહીવટીતંત્ર, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Embed widget