શોધખોળ કરો

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

Maharashtra CM: દેવેન્દ્ર ફડણવીસ સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

Maharashtra CM: મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળશે. દેવેન્દ્ર ફડણવીસ સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગત વખતની જેમ સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA શાસિત રાજ્યોના સીએમ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.

દેવેન્દ્ર ફડણવીસ બુધવારે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ પછી ફડણવીસે કાર્યકારી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. દરમિયાન ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા.

બે ડેપ્યુટી સીએમ પણ શપથ લેશે

ફડણવીસની સાથે મહારાષ્ટ્ર સરકારમાં બે ડેપ્યુટી સીએમ પણ હશે. આમાંથી એક નામ એનસીપી નેતા અજિત પવારનું હોવાનું માનવામાં આવે છે, જોકે બીજું નામ કોનું હશે તે અત્યારે નક્કી નથી. રાજ્યપાલની સામે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ મહાયુતિના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કયા મંત્રીઓ મંત્રી તરીકે શપથ લેશે તેની માહિતી આપવામાં આવશે. આ જ પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે કહ્યું હતું કે કોણ શપથ લે છે કે નહીં તે નક્કી થઇ જશે, હું આવતીકાલે શપથ લઈ રહ્યો છું તે નિશ્ચિત છે.

ગૃહ મંત્રાલય ભાજપ પાસે રહેશે

શપથગ્રહણ પહેલા કહેવામાં આવી રહ્યું છે કે મહાયુતિ ગઠબંધનની ત્રણ પાર્ટીઓ વચ્ચે મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે ભાજપ મહારાષ્ટ્ર સરકારનું ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે. અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કદાચ આ મંત્રાલય શિવસેનાના ખાતામાં જઈ શકે છે.

આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે

મહારાષ્ટ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આવશે. આ સમારોહમાં લગભગ ચાલીસ હજાર લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.

ફડણવીસે પોતાના નામમાં માતા-પિતાના નામ ઉમેર્યા

શપથ ગ્રહણ માટેની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામની સાથે તેમના માતા અને પિતાના નામ પણ લખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સુજાતા સૈનિક દ્વારા મોકલવામાં આવેલા આ કાર્ડમાં ફડણવીસનું પૂરું નામ દેવેન્દ્ર સરિતા ગંગાધર રાવ ફડણવીસ લખેલું છે. સરિતા તેમની માતાનું નામ છે અને ગંગાધર રાવ તેમના પિતાનું નામ છે. આ પહેલીવાર છે જ્યારે ફડણવીસે પોતાના નામની આગળ પોતાના માતા-પિતાનું નામ ઉમેર્યું છે. અગાઉ 2014 અને 2019માં સીએમ તરીકે શપથ લેતી વખતે તેમનું નામ માત્ર દેવેન્દ્ર ફડણવીસ લખવામાં આવ્યું હતું.

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget