શોધખોળ કરો

કર્ણાટકમાં એક જ ટર્મમાં ચાર-ચાર મુખ્યમંત્રી બદલાયા, જાણો કોણ ક્યારે બન્યા મુખ્યમંત્રી?

બી.એસ. યેદિયુરપ્પા ગત 26 જુલાઇ 2019માં મુખ્યમંત્રી બન્યા હતા. તેમજ તેમણે ગત 26મી જુલાઇ 2021ના રોજ રાજીનામું આપ્યું હતું. તેમની પહેલા એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી હતા.

નવી દિલ્લીઃ આજે કર્ણાટકના 23મા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઇએ શપથ લીધા છે. બસવરાજ આ જ ટર્મના ચોથા મુખ્યમંત્રી બન્યા છે. બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપતાં તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. 

બી.એસ. યેદિયુરપ્પા ગત 26 જુલાઇ 2019માં મુખ્યમંત્રી બન્યા હતા. તેમજ તેમણે ગત 26મી જુલાઇ 2021ના રોજ રાજીનામું આપ્યું હતું. તેમની પહેલા એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી હતા. તેઓ 23 મે 2018થી 23 જુલાઇ 2019 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. આ પહેલા બી.એસ. યેદિયુરપ્પા 17 મે 2018એ બે દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, તેમણે પણ 19 મે 2018એ રાજીનામું આપી દીધું હતું. 

વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી સૌથી મોટો પક્ષ ભાજપ હોવાથી યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. તેમજ યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, તેમની પાસે બહુમતી ન હોવાથી તેમણે બે દિવસમાં જ રાજીનામું આપી દેવું પડ્યું હતું. આ પછી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. 

કર્ણાટકના ગૃહ રાજ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. ભાજપની ધારાસભ્યદળની બેઠકમાં બીએસ યેદિયુરપ્પાએ બસવરાજ બોમ્મઈના નામ પર પ્રસ્તાવ રાખ્યો જેનું સમર્થન સૌથી પહેલા ગોવિંદ કરલોજે કર્યુ. અને બાદમાં તમામ ધારાસભ્યોએ બોમ્મઈના નામનો સ્વીકાર કર્યો હતો.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જે નેતા ઉપમુખ્યમંત્રી બનશે તેમાં આર. અશોક વોક્કાલિંગા સમુદાયથી આવે છે. ગોવિંદ કરજોલ એસસી સમુદાયથી છે અને યેદિયુરપ્પાની સરકારમાં પણ ઉપમુખ્યમંત્રી હતા. તો શ્રીરામાલુ એસટી સમુદાય છે. બોમ્મઈ પહેલા જેડીએસમાં હતા. બે વાર MLC રહ્યા અને 2008માં ભાજપમાં જોડાયા અને ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા. તેમના પિતા એસ.આર. બોમ્મઈ પણ પહેલા મુખ્યમંત્રી રહી ચુક્યા છે. જે દેવગૌડા સરકારમાં કેંદ્રીય મંત્રી પણ હતા.

નોંધનીય છે કે, ગઈકાલે બેંગ્લોરમાં વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. બેઠક પૂર્વે કેન્દ્રીય મંત્રીઓ કર્ણાટકના ભાજપના અનેક નેતાઓને મળ્યા હતા. કર્ણાટકના પ્રધાનો બસવરાજ બોમ્માઇ અને જગદીશ શેટ્ટર આજે સાંજે બેંગલુરુમાં રાજ્યના ભાજપ નિરીક્ષકો અને કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડીને મળ્યા હતા. મુખ્યપ્રધાન બનવાની રેસમાં બસવરાજ બોમ્માઇને આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

યેદિયુરપ્પાએ સોમવારે CM પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ દિવસે જ રાજ્યમાં ભાજપની સરકારને બે વર્ષ પૂરાં થયાં હતાં. એની સાથે જ CMના દાવેદારોની ચર્ચાઓ થવા લાગી છે. યેદિયુરપ્પા પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. આ સમુદાય 1990થી ભાજપને સમર્થન કરતો આવ્યો છે. કર્ણાટકની વસતિમાં એનો હિસ્સો લગભગ 17 ટકા છે. રાજ્યની 224 વિધાનસભા સીટમાંથી 90થી 100 સીટ પર લિંગાયતોનો પ્રભાવ છે.

 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
Heavy Rain Alert: 4 મે સુધી દેશના આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 4 મે સુધી દેશના આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Embed widget