શોધખોળ કરો

કર્ણાટકમાં એક જ ટર્મમાં ચાર-ચાર મુખ્યમંત્રી બદલાયા, જાણો કોણ ક્યારે બન્યા મુખ્યમંત્રી?

બી.એસ. યેદિયુરપ્પા ગત 26 જુલાઇ 2019માં મુખ્યમંત્રી બન્યા હતા. તેમજ તેમણે ગત 26મી જુલાઇ 2021ના રોજ રાજીનામું આપ્યું હતું. તેમની પહેલા એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી હતા.

નવી દિલ્લીઃ આજે કર્ણાટકના 23મા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઇએ શપથ લીધા છે. બસવરાજ આ જ ટર્મના ચોથા મુખ્યમંત્રી બન્યા છે. બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપતાં તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. 

બી.એસ. યેદિયુરપ્પા ગત 26 જુલાઇ 2019માં મુખ્યમંત્રી બન્યા હતા. તેમજ તેમણે ગત 26મી જુલાઇ 2021ના રોજ રાજીનામું આપ્યું હતું. તેમની પહેલા એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી હતા. તેઓ 23 મે 2018થી 23 જુલાઇ 2019 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. આ પહેલા બી.એસ. યેદિયુરપ્પા 17 મે 2018એ બે દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, તેમણે પણ 19 મે 2018એ રાજીનામું આપી દીધું હતું. 

વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી સૌથી મોટો પક્ષ ભાજપ હોવાથી યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. તેમજ યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, તેમની પાસે બહુમતી ન હોવાથી તેમણે બે દિવસમાં જ રાજીનામું આપી દેવું પડ્યું હતું. આ પછી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. 

કર્ણાટકના ગૃહ રાજ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. ભાજપની ધારાસભ્યદળની બેઠકમાં બીએસ યેદિયુરપ્પાએ બસવરાજ બોમ્મઈના નામ પર પ્રસ્તાવ રાખ્યો જેનું સમર્થન સૌથી પહેલા ગોવિંદ કરલોજે કર્યુ. અને બાદમાં તમામ ધારાસભ્યોએ બોમ્મઈના નામનો સ્વીકાર કર્યો હતો.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જે નેતા ઉપમુખ્યમંત્રી બનશે તેમાં આર. અશોક વોક્કાલિંગા સમુદાયથી આવે છે. ગોવિંદ કરજોલ એસસી સમુદાયથી છે અને યેદિયુરપ્પાની સરકારમાં પણ ઉપમુખ્યમંત્રી હતા. તો શ્રીરામાલુ એસટી સમુદાય છે. બોમ્મઈ પહેલા જેડીએસમાં હતા. બે વાર MLC રહ્યા અને 2008માં ભાજપમાં જોડાયા અને ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા. તેમના પિતા એસ.આર. બોમ્મઈ પણ પહેલા મુખ્યમંત્રી રહી ચુક્યા છે. જે દેવગૌડા સરકારમાં કેંદ્રીય મંત્રી પણ હતા.

નોંધનીય છે કે, ગઈકાલે બેંગ્લોરમાં વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. બેઠક પૂર્વે કેન્દ્રીય મંત્રીઓ કર્ણાટકના ભાજપના અનેક નેતાઓને મળ્યા હતા. કર્ણાટકના પ્રધાનો બસવરાજ બોમ્માઇ અને જગદીશ શેટ્ટર આજે સાંજે બેંગલુરુમાં રાજ્યના ભાજપ નિરીક્ષકો અને કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડીને મળ્યા હતા. મુખ્યપ્રધાન બનવાની રેસમાં બસવરાજ બોમ્માઇને આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

યેદિયુરપ્પાએ સોમવારે CM પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ દિવસે જ રાજ્યમાં ભાજપની સરકારને બે વર્ષ પૂરાં થયાં હતાં. એની સાથે જ CMના દાવેદારોની ચર્ચાઓ થવા લાગી છે. યેદિયુરપ્પા પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. આ સમુદાય 1990થી ભાજપને સમર્થન કરતો આવ્યો છે. કર્ણાટકની વસતિમાં એનો હિસ્સો લગભગ 17 ટકા છે. રાજ્યની 224 વિધાનસભા સીટમાંથી 90થી 100 સીટ પર લિંગાયતોનો પ્રભાવ છે.

 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
Embed widget