શોધખોળ કરો

Gaganyaan Test Flight: ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ આજે ભરશે ઉડાણ, જાણો કેટલા વાગ્યે જોઇ શકશો LIVE ?

Gaganyaan Test Flight: ગગનયાનના આ ભાગનો ઉપયોગ ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે

Gaganyaan Test Flight:  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ માનવસહિત ગગનયાન મિશન તરફ એક મોટું પગલું ભરતા ક્રૂ મોડ્યુલને સુરક્ષિત રીતે લેન્ડ કરવાની તૈયારી કરી લીધી છે. તેનું આજે (21 ઓક્ટોબર) શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી પરીક્ષણ કરવામાં આવશે. ઈસરો સવારે 8 વાગ્યે ગગનયાન મિશન માટેની ટેસ્ટ ફ્લાઈટ TV-D1 લોન્ચ કરશે. આ પરીક્ષણો ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરશે, જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. ગગનયાનના આ ભાગનો ઉપયોગ ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે.

જેમાં ક્રૂ મોડ્યુલની ફ્લાઇટ, તેનું લેન્ડિંગ અને સમુદ્રમાંથી રિકવરી સામેલ હશે. મોડ્યુલ પરત ફરતા બંગાળની ખાડીમાં લેન્ડ થવાનું છે. ભારતીય નૌકાદળ તેને રિકવર કરશે. આ માટે નેવલ ડાઇવિંગ ટીમ બનાવવામાં આવી છે અને એક જહાજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

કેટલા વાગ્યે જોઇ શકશો લાઇવ ?

સવારે 7:30 વાગ્યાથી મિશનનું જીવંત પ્રસારણ ઇસરોના ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલ, ISRO વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ ટેસ્ટ ફ્લાઈટનું ડીડી નેશનલ ટીવી ચેનલ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. 

ક્રૂ મોડ્યુલના મુખ્ય મુદ્દા

ક્રૂ મોડ્યુલ 17 કિલોમીટરની ઊંચાઈએ રોકેટથી અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલનું વજન 4520 કિગ્રા છે. અત્યાર સુધીમાં, ક્રૂ એસ્કેપ સિસ્ટમને પૃથ્વી પર લાવતા પેરાશૂટના 12 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી પ્રક્ષેપણ પછી ક્રૂ મોડ્યુલ 10 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં પડશે. બંગાળની ખાડીમાં ક્રૂ મોડ્યુલના લોન્ચિંગથી લઈને ઉતરાણ સુધી નવ મિનિટનો સમય લાગશે.

ક્રૂ એસ્કેપ જીવન બચાવશે       

ઈસરોએ કહ્યું હતું કે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1 ની તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રૂ-એસ્કેપ સિસ્ટમ મિશનમાં કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં અવકાશયાત્રીઓને બચાવવા માટે ઉપયોગી થશે. જો ટેક-ઓફ દરમિયાન મિશનમાં કોઈ ભૂલ થશે, તો સિસ્ટમ ક્રૂ મોડ્યુલ સાથે વાહનથી અલગ થઈ જશે, થોડા સમય માટે ઉડાન ભરશે અને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર દરિયામાં ઉતરશે. તેમાં બેસેલા અવકાશયાત્રીઓને નેવી દ્વારા સમુદ્રમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવશે.

ગગનયાન આવતા વર્ષે લોન્ચ થઇ શકે છે

ગગનયાન ભારતનું પ્રથમ અવકાશ મિશન છે, તેને આવતા વર્ષના અંત સુધીમાં અથવા 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. 2024 માં માનવરહિત પરીક્ષણ ઉડાન હશે, જેમાં વ્યોમામિત્ર રોબોટ મોકલવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget