શોધખોળ કરો

Currency Notes: શું સાચે જ ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશ ભગવાનનો ફોટો છપાશે? સરકારનું મહત્વનું નિવેદન

લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ફોટા સહિત વધુ ફોટા મૂકવાની માંગ અંગે સરકારને કોઈ વિનંતી કરવામાં આવી છે?

Laxmi Ganesh on Rupee Notes: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ ભારતની ચલણી નોટ પર લક્ષ્મી અને ગણેશ ભગવાનની તસવીર છાપવાની માંગણી કરી હતી. આ માંગણીને લઈને સરકારે સંસદમાં જવાબ આપ્યો છે. સરકારે સંસદને જણાવ્યું હતું કે, તેની પાસે ભારતીય ચલની નોટ પર સ્વતંત્રતા સેનાનીથી લઈને જાણીતા વ્યક્તિઓ, દેવી અને દેવતાઓ અને જાનવરોની પણ તસવીરો છાપવાની માંગણીને લઈને અનુંરોધ કરવામાં આવ્યો છે. જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર ચલણી નોટમાંથી હટાવવાની કોઈ પણ પ્રકારની યોજનાને લઈને સરકારે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. 

ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટાની માંગ!

લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ફોટા સહિત વધુ ફોટા મૂકવાની માંગ અંગે સરકારને કોઈ વિનંતી કરવામાં આવી છે? આ માંગને લઈને સરકારની શું યોજના છે? આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્વીકાર્યું હતું કે, સરકારને અનુરોધ કરી આ માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સ્વાતંત્ર્ય સેનાનીઓથી લઈને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, દેવી-દેવતાઓ અને પ્રાણીઓના ચિત્રો ચલણી નોટો પર છાપવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરબીઆઈ એક્ટ 1934ની કલમ 25 હેઠળ બેંક નોટની ડિઝાઈન, ફોર્મ અને સામગ્રીના ઉપયોગ અંગે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ બાદ સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે, ત્યારબાદ જ તેમાં ફેરફાર શક્ય છે.

રાષ્ટ્રપિતાની તસવીર હટાવવા અંગે સ્પષ્ટતા

સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ચલણી નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે? તો રાજ્યકક્ષાના નાણામંત્રીએ આ મામલે સ્પષ્ટ ઈનકાર દીધો હતો અને કહ્યું હતું કે, આ બાબતનો કોઈ સવાલ જ ઊભો નથી થતો.

સરકારને મળેલા સૂચનો

તેમણે કહ્યું હતું કે, ચલણી નોટો પરની તસવીરને લઈને સરકારને ઘણી વિનંતીઓ અને સૂચનો મળ્યા છે. પંકજ ચૌધરીએ કહ્યું હતું કે, 6 જૂન, 2022ના રોજ આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે હાલની ચલણી નોટોને બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. નોંધપાત્ર વાત એ છે કે, તે સમયે આરબીઆઈએ વર્તમાન ચલણી નોટો અને બેંક નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની અફવાઓનું ખંડન કરવું પડ્યું હતું.

આરબીઆઈએ નકારવું પડ્યું

એવા અહેવાલો સામે આવી રહ્યાં હતા કે, નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઇલ મે-ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામની તસવિરોવાળી ચલણી નોટોની નવી સિરિઝ છાપવા પર વિચાર કરી રહી છે. ત્યાર બાદ આરબીઆઈએ આ અહેવાલ સામે ચાલીને જ નકારી દીધા હતાં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget