શોધખોળ કરો

Currency Notes: શું સાચે જ ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશ ભગવાનનો ફોટો છપાશે? સરકારનું મહત્વનું નિવેદન

લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ફોટા સહિત વધુ ફોટા મૂકવાની માંગ અંગે સરકારને કોઈ વિનંતી કરવામાં આવી છે?

Laxmi Ganesh on Rupee Notes: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ ભારતની ચલણી નોટ પર લક્ષ્મી અને ગણેશ ભગવાનની તસવીર છાપવાની માંગણી કરી હતી. આ માંગણીને લઈને સરકારે સંસદમાં જવાબ આપ્યો છે. સરકારે સંસદને જણાવ્યું હતું કે, તેની પાસે ભારતીય ચલની નોટ પર સ્વતંત્રતા સેનાનીથી લઈને જાણીતા વ્યક્તિઓ, દેવી અને દેવતાઓ અને જાનવરોની પણ તસવીરો છાપવાની માંગણીને લઈને અનુંરોધ કરવામાં આવ્યો છે. જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર ચલણી નોટમાંથી હટાવવાની કોઈ પણ પ્રકારની યોજનાને લઈને સરકારે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. 

ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટાની માંગ!

લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ફોટા સહિત વધુ ફોટા મૂકવાની માંગ અંગે સરકારને કોઈ વિનંતી કરવામાં આવી છે? આ માંગને લઈને સરકારની શું યોજના છે? આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્વીકાર્યું હતું કે, સરકારને અનુરોધ કરી આ માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સ્વાતંત્ર્ય સેનાનીઓથી લઈને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, દેવી-દેવતાઓ અને પ્રાણીઓના ચિત્રો ચલણી નોટો પર છાપવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરબીઆઈ એક્ટ 1934ની કલમ 25 હેઠળ બેંક નોટની ડિઝાઈન, ફોર્મ અને સામગ્રીના ઉપયોગ અંગે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ બાદ સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે, ત્યારબાદ જ તેમાં ફેરફાર શક્ય છે.

રાષ્ટ્રપિતાની તસવીર હટાવવા અંગે સ્પષ્ટતા

સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ચલણી નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે? તો રાજ્યકક્ષાના નાણામંત્રીએ આ મામલે સ્પષ્ટ ઈનકાર દીધો હતો અને કહ્યું હતું કે, આ બાબતનો કોઈ સવાલ જ ઊભો નથી થતો.

સરકારને મળેલા સૂચનો

તેમણે કહ્યું હતું કે, ચલણી નોટો પરની તસવીરને લઈને સરકારને ઘણી વિનંતીઓ અને સૂચનો મળ્યા છે. પંકજ ચૌધરીએ કહ્યું હતું કે, 6 જૂન, 2022ના રોજ આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે હાલની ચલણી નોટોને બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. નોંધપાત્ર વાત એ છે કે, તે સમયે આરબીઆઈએ વર્તમાન ચલણી નોટો અને બેંક નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની અફવાઓનું ખંડન કરવું પડ્યું હતું.

આરબીઆઈએ નકારવું પડ્યું

એવા અહેવાલો સામે આવી રહ્યાં હતા કે, નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઇલ મે-ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામની તસવિરોવાળી ચલણી નોટોની નવી સિરિઝ છાપવા પર વિચાર કરી રહી છે. ત્યાર બાદ આરબીઆઈએ આ અહેવાલ સામે ચાલીને જ નકારી દીધા હતાં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
Embed widget