શોધખોળ કરો

Gyanvapi Mosque Case: જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, વારાણસી કોર્ટે ASI સર્વેને આપી મંજૂરી

વારાણસી કોર્ટે જ્ઞાનવાપી સર્વેના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ASIના સર્વેને મંજૂરી આપી છે, વિવાદિત ભાગ સિવાય સમગ્ર પરિસરના ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે.

Gyanvapi Case ASI Survey: વારાણસી કોર્ટે જ્ઞાનવાપી સર્વેના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ASIના સર્વેને મંજૂરી આપી છે, વિવાદિત ભાગ સિવાય સમગ્ર પરિસરના ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે કોર્ટે ASI સર્વે કરવાનો આદેશ આપ્યો છે. વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે મારી અરજી સ્વીકારવામાં આવી છે અને કોર્ટે વજુ ટાંકીને છોડીને, જેને સીલ કરવામાં આવ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો ASI સર્વે કરવાનો નિર્દેશ આપ્યા છે.  ASI આ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટે જિલ્લા ન્યાયાધીશને આપશે.

સર્વેનો અર્થ શું છે

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં અંદર મળેલા કથિત શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન-ડેટિંગની મંજૂરી આપતા અલાહાબાદ  હાઈકોર્ટના નિર્દેશો પર રોક લગાવી દીધી હતી. આ બાબતે એક પક્ષ કહે છે કે તે શિવલિંગ છે અને બીજી બાજુ કહે છે કે તે ફુવારો છે. હવે આ પરિસરના સર્વેથી ખબર પડશે કે મસ્જિદ કેટલી જૂની છે અને હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલા દાવામાં કેટલી સત્યતા છે.

અગાઉ કોર્ટ કમિશનર અજય મિશ્રાએ 6-7 મેના રોજ જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કર્યો હતો. આ સર્વેના અહેવાલ અનુસાર, એવું કહેવાય છે કે પરિસરની દિવાલો પર દેવી-દેવતાઓની કલાકૃતિઓ, કમળની કેટલીક કલાકૃતિઓ અને શેષનાગ જેવો આકાર જોવા મળ્યો હતો. જો કે, આ અહેવાલમાં ભોંયરું વિશે કંઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


વિવાદ શું છે

જ્ઞાનવાપી વિવાદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે તેની નીચે આદિ વિશ્વેશ્વરનું 100 ફૂટ ઊંચું સ્વયં પ્રગટ જ્યોતિર્લિંગ છે અને ભગવાન વિશ્વેશ્વરની નિયમિત પૂજા માટે વ્યવસ્થા થવી જોઈએ. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને લઈને ચાલી રહેલા વિવાદમાં હિંદુ પક્ષે સમગ્ર જ્ઞાનવાપી સંકુલને હિંદુઓને સોંપવામાં આવે અને જ્ઞાનવાપીમાં મુસ્લિમોનો પ્રવેશ બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ સાથે હિન્દુ પક્ષનું કહેવું છે કે મસ્જિદના ગુંબજને તોડી પાડવાનો આદેશ આપવામાં આવે.

કાનૂની લડાઈ કેટલા સમયથી ચાલી રહી છે ?

જ્ઞાનવાપી મસ્જિદ અંગેનો પહેલો કેસ 1991માં વારાણસીની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તેનો વિવાદ ત્યારે વધી ગયો જ્યારે 18 ઓગસ્ટ 2021ના રોજ, 5 મહિલાઓએ શ્રૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ પૂજા અને દર્શનની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો. પાંચ હિંદુ મહિલાઓ – રાખી સિંહ, મંજુ વ્યાસ, રેખા પાઠક, સીતા સાહુ અને લક્ષ્મી દેવીએ ઓગસ્ટ 2021માં સિવિલ જજ , વારાણસીની કોર્ટમાં શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસ દાખલ કર્યો હતો. આ દરમિયાન, તેમણે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મા શ્રૃંગાર ગૌરી સ્થાન પર દૈનિક પૂજાના અધિકારની માંગ કરી. આઝાદી પહેલા પણ આ મામલે ઘણા વિવાદો થયા હતા અને 1809માં આ વિવાદને લઈને કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget