![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gyanvapi Mosque Case: જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, વારાણસી કોર્ટે ASI સર્વેને આપી મંજૂરી
વારાણસી કોર્ટે જ્ઞાનવાપી સર્વેના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ASIના સર્વેને મંજૂરી આપી છે, વિવાદિત ભાગ સિવાય સમગ્ર પરિસરના ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે.
![Gyanvapi Mosque Case: જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, વારાણસી કોર્ટે ASI સર્વેને આપી મંજૂરી Gyanvapi Masjid Case Varanasi court allows ASI survey Scientific Survey except spot sealed earlier know details Gyanvapi Mosque Case: જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, વારાણસી કોર્ટે ASI સર્વેને આપી મંજૂરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/21/486aa5625758b626a8fccba2a964301a168993983434978_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gyanvapi Case ASI Survey: વારાણસી કોર્ટે જ્ઞાનવાપી સર્વેના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ASIના સર્વેને મંજૂરી આપી છે, વિવાદિત ભાગ સિવાય સમગ્ર પરિસરના ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે કોર્ટે ASI સર્વે કરવાનો આદેશ આપ્યો છે. વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે મારી અરજી સ્વીકારવામાં આવી છે અને કોર્ટે વજુ ટાંકીને છોડીને, જેને સીલ કરવામાં આવ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો ASI સર્વે કરવાનો નિર્દેશ આપ્યા છે. ASI આ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટે જિલ્લા ન્યાયાધીશને આપશે.
સર્વેનો અર્થ શું છે
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં અંદર મળેલા કથિત શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન-ડેટિંગની મંજૂરી આપતા અલાહાબાદ હાઈકોર્ટના નિર્દેશો પર રોક લગાવી દીધી હતી. આ બાબતે એક પક્ષ કહે છે કે તે શિવલિંગ છે અને બીજી બાજુ કહે છે કે તે ફુવારો છે. હવે આ પરિસરના સર્વેથી ખબર પડશે કે મસ્જિદ કેટલી જૂની છે અને હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલા દાવામાં કેટલી સત્યતા છે.
અગાઉ કોર્ટ કમિશનર અજય મિશ્રાએ 6-7 મેના રોજ જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કર્યો હતો. આ સર્વેના અહેવાલ અનુસાર, એવું કહેવાય છે કે પરિસરની દિવાલો પર દેવી-દેવતાઓની કલાકૃતિઓ, કમળની કેટલીક કલાકૃતિઓ અને શેષનાગ જેવો આકાર જોવા મળ્યો હતો. જો કે, આ અહેવાલમાં ભોંયરું વિશે કંઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વિવાદ શું છે
જ્ઞાનવાપી વિવાદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે તેની નીચે આદિ વિશ્વેશ્વરનું 100 ફૂટ ઊંચું સ્વયં પ્રગટ જ્યોતિર્લિંગ છે અને ભગવાન વિશ્વેશ્વરની નિયમિત પૂજા માટે વ્યવસ્થા થવી જોઈએ. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને લઈને ચાલી રહેલા વિવાદમાં હિંદુ પક્ષે સમગ્ર જ્ઞાનવાપી સંકુલને હિંદુઓને સોંપવામાં આવે અને જ્ઞાનવાપીમાં મુસ્લિમોનો પ્રવેશ બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ સાથે હિન્દુ પક્ષનું કહેવું છે કે મસ્જિદના ગુંબજને તોડી પાડવાનો આદેશ આપવામાં આવે.
કાનૂની લડાઈ કેટલા સમયથી ચાલી રહી છે ?
જ્ઞાનવાપી મસ્જિદ અંગેનો પહેલો કેસ 1991માં વારાણસીની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તેનો વિવાદ ત્યારે વધી ગયો જ્યારે 18 ઓગસ્ટ 2021ના રોજ, 5 મહિલાઓએ શ્રૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ પૂજા અને દર્શનની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો. પાંચ હિંદુ મહિલાઓ – રાખી સિંહ, મંજુ વ્યાસ, રેખા પાઠક, સીતા સાહુ અને લક્ષ્મી દેવીએ ઓગસ્ટ 2021માં સિવિલ જજ , વારાણસીની કોર્ટમાં શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસ દાખલ કર્યો હતો. આ દરમિયાન, તેમણે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મા શ્રૃંગાર ગૌરી સ્થાન પર દૈનિક પૂજાના અધિકારની માંગ કરી. આઝાદી પહેલા પણ આ મામલે ઘણા વિવાદો થયા હતા અને 1809માં આ વિવાદને લઈને કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)