હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો કહેર, મણિમહેશ યાત્રામાં હજારો લોકો ફસાયા, ચંબામાં 11ના મોત
હિમાચલ પ્રદેશના ચંબા સહિત ભરમૌરમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. ભરમૌરનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.

શિમલા : હિમાચલ પ્રદેશના ચંબા સહિત ભરમૌરમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. ભરમૌરનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઘણી જગ્યાએ રસ્તા તૂટી ગયા છે. ઘણા ભાગોમાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પણ પુનઃસ્થાપિત થઈ રહી નથી. મણિ મહેશમાં હજારો યાત્રાળુઓ ફસાયેલા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બિયાસ નદી બે કાંઠી વહી રહી છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી ભૂસ્ખલન અને સતત ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો પોતાના વાહનો છોડીને પગપાળા નીકળી પડ્યા છે. ચંબા જિલ્લાના ભરમૌરમાં પ્રખ્યાત મણિ મહેશ યાત્રા ચાલી રહી છે.
ચંબામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે
છેલ્લા ચાર દિવસથી મોબાઈલ નેટવર્ક બંધ હતું, જેના કારણે યાત્રા પર ગયેલા યાત્રાળુઓ તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી શક્યા ન હતા અને તેઓ ચિંતિત હતા. ભરમૌરમાં પણ મણિ મહેશ યાત્રા પર ગયેલા લોકો ભૂસ્ખલન અને રસ્તામાં અવરોધને કારણે ઘણી જગ્યાએ ફસાયેલા છે. ચંબામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. યાત્રા બંધ કરવામાં આવી છે.
મણિ મહેશથી 3,000 લોકો પાછા ફર્યા છે, જ્યારે 7,000 યાત્રાળુઓ હજુ પણ ફસાયેલા છે. વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓની માહિતી માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. આ યાત્રા દર વર્ષે જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી યોજવામાં આવે છે.
ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે
તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રાજ્યભરમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 795 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સતત વરસાદને કારણે બિયાસ નદીનું પાણીનું સ્તર વધી રહ્યું છે.
IMD એ ચંબા, કાંગડા અને મંડી માટે બે દિવસ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ચંબા જિલ્લામાં પાંચ ઘર ધરાશાયી થયા છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.





















