શોધખોળ કરો

ભવિષ્યમાં ભારતમાં કોરોના વાયરસની લહેરની ગંભીર અસર અંગે રાહતના સમાચાર, જાણો નિષ્ણાંતોએ શું કહ્યું

નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં કેટલાક સમયથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે ભારતમાં કોરોના વાયરસના 1,761 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ 688 દિવસમાં સૌથી ઓછા કેસ હતા.

નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વ એશિયા અને યુરોપના ભાગોમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોમાં વધારા વચ્ચે, ભારતના નિષ્ણાતો માને છે કે, પુરતા રસીકરણ અને સંક્રમણ ફેલાયા પછી લોકોમાં આવેલી રોગપ્રતિકારક શક્તિને જોતાં કોરોનાની ગંભીર અસર ભારત પર નહી થાય.

કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે, સરકારે માસ્ક પહેરવામાં છૂટછાટ આપવાનું વિચારવું જોઈએ કારણ કે, દરરોજ નોંધાયેલા નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં કેટલાક સમયથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે ભારતમાં કોરોના વાયરસના 1,761 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ 688 દિવસમાં સૌથી ઓછા કેસ હતા.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના વરિષ્ઠ મહામારીના નિષ્ણાત ડૉ. સંજય રાયે જણાવ્યું હતું કે SARS-CoV-2 એ 'RNA' વાયરસ છે અને તેનું સ્વરૂપ બદલાવા માટે બંધાયેલું છે. તેમણે કહ્યું કે, પહેલાંથી જ કોરોના વાયરસમાં 1,000 થી વધુ ફેરફારો થયા છે, અત્યાર સુધી કોરોનાની માત્ર પાંચ પેટર્ન જ સામે આવી છે, જે ચિંતાનું કારણ બની છે.

'સરકાર માસ્ક પહેરવાની છૂટ આપવા પર વિચાર કરી શકે છે'
રાયે કહ્યું, 'ભારતને ગયા વર્ષે કોવિડ-19ની ખૂબ જ વિનાશક બીજી લહેરનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હાલમાં આપણી મુખ્ય શક્તિ કુદરતી રીતે ફેલાયોલો કોરોના છે. જે વધુ સારી સુરક્ષા પુરી પાડે છે. વધુમાં, મોટી સંખ્યામાં થયેલું કોરોના રસીકરણ પણ કોરોના સામે લડવામાં મદદરુપ સાબિત થયું છે. તેથી, ભવિષ્યમાં કોઈપણ લહેરની ગંભીર અસર થવાની સંભાવના નથી. તેમણે કહ્યું, 'આ એવો સમય છે જ્યારે ભારત સરકાર ફરજિયાત માસ્ક પહેરવાની છૂટ આપવા પર વિચાર કરી શકે છે.' તેમણે એમ પણ કહ્યું કે, વરિષ્ઠ નાગરિકો અને જેમને કોરોના થવાનું જોખમ વધારે છે તેઓએ સાવચેતી માટે માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ.

રાયે એ વાત પર ભાર મૂક્યો હતો કે, સરકારે ભવિષ્યમાં કોરના વાયરસના કોઈપણ નવા સ્વરૂપોના ઉદભવ પર દેખરેખ રાખવા માટે જીનોમિક સિક્વન્સિંગ સહિત SARS-CoV-2 પર દેખરેખ ચાલુ રાખવી જોઈએ.

'ભારતમાં કેસ વધવાની ઓછી સંભાવના'
જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. ચંદ્રકાંત લહરિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં વાયરસના નવા સ્વરૂપની સ્થિતિમાં પણ કેસમાં વધારો થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું, 'જો આપણે સેરો સર્વે ડેટા, રસીકરણ કવરેજ અને વાયરસના ઓમિક્રોન સ્વરૂપના પ્રસારના પુરાવાનો અભ્યાસ કરીએ, તો તે તાર્કિક છે કે, ભારતમાં કોવિડ -19 મહામારી સમાપ્ત થઈ ગઈ છે. ભારતના સંદર્ભમાં, આગામી કેટલાક મહિનાઓ સુધી એક નવી લહેર અને નવું સ્વરૂપ ફેલાવાની શક્યતા ઘણી ઓછી છે. લહરિયાએ કહ્યું કે, આ એવો સમય છે જ્યારે મોટાભાગના લોકોને ફરજિયાત માસ્ક પહેરવાથી મુક્તિ મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget