શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ-કાશ્મીર છોડવાના સરકારના આદેશ બાદ શ્રીનગરથી દિલ્હીની ફ્લાઈટ્સના ભાડામાં તોતિંગ વધારો
જમ્મૂ-કાશ્મીર સરકારે શુક્રવારે અમરનાથ યાત્રીઓ અને પર્યટકો માટે એડવાઝરી જાહેર કરવામાં આવી હતી. જેમા કહેવામાં આવ્યું હતું કે, અમરનાથ યાત્રીઓને નિશાનો બનાવી આતંકી હુમલાના ઇનપૂટ મળ્યા છે. જેને ધ્યાનમાં લેતાં તમામ યાત્રીઓને જલ્દીથી જમ્મુ-કાશ્મીર છોડવાનો આદેશ આપ્યો છે.
![જમ્મુ-કાશ્મીર છોડવાના સરકારના આદેશ બાદ શ્રીનગરથી દિલ્હીની ફ્લાઈટ્સના ભાડામાં તોતિંગ વધારો increase in prices of tickets for srinagar to Delhi flights જમ્મુ-કાશ્મીર છોડવાના સરકારના આદેશ બાદ શ્રીનગરથી દિલ્હીની ફ્લાઈટ્સના ભાડામાં તોતિંગ વધારો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/03152236/fight.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સરકારે અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને જલ્દીથી જમ્મુ-કાશ્મીર છોડવાનો આદેશ આપ્યા બાદ મોટી સંખ્યામાં લોકો પરત ફરી રહ્યાં છે. જેના કારણે શ્રીનગર એરપોર્ટ પર લોકોની ભીડી જામી ગઈ છે. તેને ફાયદો વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે. ફ્લાઈટની ટિકિટોમાં તોતિંગ વધારો કરી દીધો છે. શ્રીનગરથી દિલ્હી અથવા બીજા અન્ય સ્થળે જવા માટે યાત્રીઓએ મોટી રકમ ચુકવવી પડી રહી છે.
શુક્રવાર જ્યાં શ્રીનગરથી દિલ્હીનું ભાડુ 4 હજાર રૂપિયાની આસપાસ હતું તે શનિવારે વધીને આઠ હજાર અને રવિવા 20 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. રવિવારે શ્રીનગરથી દિલ્હી રૂટની ફ્લાઇટમાં શરૂઆતી ભાડુ 15,500 રૂપિયા છે તો ડાયરેક્ટ અને વન સ્ટોપ ફ્લાઇટ માટે યાત્રી દીઠ 21,000 રૂપિયા સુધીની ચૂકવણી કરવી પડી રહી છે. શ્રીનગરથી મુંબઇ માટે રવિવારે ન્યૂનતમ 16,700 રૂપિયા છે અને કેટલીક ફ્લાઇટમાં આ 20 હજાર રૂપિયાથી પણ વધુ છે.
સરકારના આદેશ બાદ અમરનાથ યાત્રીઓને યાત્રા અધ વચ્ચે જ છોડીને પરત ફરવું પડ્યું છે. અમરનાથ બેઝ કેમ્પ ખાલી રહ્યાં છે. મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ પરત ફરતા શ્રીનગર એરપોર્ટ પણ લોકો ફસાયા છે. એટીએમ અને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી છે. ફસાયેલા ટૂરિસ્ટો અચાનક શ્રીનગર છોડીને દિલ્હી આવી રહ્યાં છે. જેનો ફાયદો વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘અમે એરલાઇન્સ અને શ્રીનગર એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરી છે. જો વધુ ફ્લાઇટની આવશ્વક્તા હશે તો અમે તેના માટે તૈયાર છીએ. જ્યાં સુધી ભાડામાં વૃદ્ધિની વાત છે, શનિવાર અને રવિવાર સુધીની ટિકિટો બુક થઇ ચૂકી છે અને કેટલીક બચેલી સીટો માટે ભાડુ વધારે છે. સોમવારથી ટિકિટનાં ભાડામાં ઘટાડો થશે.’
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)