India-China Border Clash Live: તવાંગ મુદ્દે સંસદમાં હોબાળો, રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે કરી બેઠક
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી નજીક 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

Background
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી નજીક 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આમાં બંને દેશોના કેટલાક સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. ભારતીય સેનાએ સોમવારે (12 ડિસેમ્બર) આ મામલાની માહિતી આપી છે. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "9 ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં એલએસી પર ચીન આર્મીના સૈનિકો સાથે અથડામણ થઈ હતી. અમારા સૈનિકોએ નિશ્ચિતપણે ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. આ અથડામણમાં બંને બાજુએ કેટલીક જાનહાનિ થઈ હતી. જવાનોને સામાન્ય ઈજાઓ થઈ છે.
રાજનાથ સિંહે CDS લેફ્ટનન્ટ જનરલ સાથે બેઠક કરી
હવે આ મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિદેશ પ્રધાન એસ જયશંકર, CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય દળોના વડા, NSA અજીત ડોભાલ સહિત તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રીએ ઘટનાની વિસ્તૃત માહિતી લીધી હતી. બીજી તરફ સંસદમાં આજે રક્ષા મંત્રી આ ઘટના પર નિવેદન આપી શકે છે.
રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે આપણો કોઇ સૈનિક શહીદ થયો નથી. ચીને સરહદમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતના સૈનિકોએ તેમને પીછેહટ કરવા મજબૂર કર્યા હતા. બંન્ને દેશો વચ્ચે ફ્લેગ મિટિંગ થઇ છે.
On Dec 9 in Yangtse area of Tawang sector PLA troops encroached upon & attempted to change status quo.This attempt was tackled by our troops in a determined manner. Our troops bravely stopped PLA from encroaching upon our territory&forced them to go back to their post:Defence Min pic.twitter.com/dbwNzSbZj5
— ANI (@ANI) December 13, 2022
This matter has also been taken up with China through diplomatic channels. I want to assure the House that our forces are committed to guard our borders and ready to thwart any attempt that will be made to challenge it: Defence Minister Rajnath Singh in Lok Sabha pic.twitter.com/mhlHiX9gXN
— ANI (@ANI) December 13, 2022
હું સ્પીકરને વિનંતી કરું છું... - પિયુષ ગોયલ
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં કહ્યું કે સ્થિતિની ગંભીરતા અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં રાખીને હું સ્પીકરને વિનંતી કરું છું કે રક્ષા મંત્રીને બપોરે 2 વાગ્યાને બદલે 12.30 વાગ્યે નિવેદન કરવાની મંજૂરી આપવામાં આવે.
Tawang faceoff | Looking at the gravity of the situation and the request made by the Opposition, I urge the Chair to allow the Defence Minister to make a statement at 12.30 pm instead of 2 pm: Union Minister Piyush Goyal in Rajya Sabha pic.twitter.com/kzTJXsExnZ
— ANI (@ANI) December 13, 2022





















