શોધખોળ કરો

India-China Clash: તવાંગ મામલે સંસદમાં હોબાળો, સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના સાંસદો કર્યું વોકઆઉટ

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ મામલે બુધવારે (14 ડિસેમ્બર) લોકસભામાં હોબાળો થયો હતો

Lok Sabha Session:  અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ મામલે બુધવારે (14 ડિસેમ્બર) લોકસભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના લોકસભા સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો હતો. બુધવારે પ્રશ્નકાળ પૂરો થતાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી હતી.

તેમણે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 1962માં લોકસભામાં ભારત-ચીન યુદ્ધ પર ચર્ચા કરવાની મંજૂરી આપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી રહ્યા છીએ. 1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે જવાહરલાલ નેહરુએ આ ગૃહમાં 165 સાંસદોને બોલવાની તક આપી હતી. આ પછી નક્કી થયું કે આપણે શું કરવાનું છે.

સ્પીકરે આ જવાબ આપ્યો

કોંગ્રેસના નેતાની માંગનો જવાબ આપતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સ્પીકરે ગૃહની કાર્યવાહી શરૂ કરતાની સાથે જ કોંગ્રેસ અને ટીએમસીએ વિરોધમાં વોકઆઉટ કર્યું અને સરકાર પર ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ટીએમસીના સભ્ય સુદીપ બંદ્યોપાધ્યાયે પણ ગૃહમાં ચર્ચાની માંગ ઉઠાવી અને કહ્યું કે તેમની પાર્ટીના સભ્યો સરકારના વલણના વિરોધમાં વોકઆઉટ કરી રહ્યા છે.

વિપક્ષના સાંસદોએ અગાઉ પણ વોકઆઉટ કર્યું હતું

દિવસની શરૂઆતમાં વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દાઓના વિરોધમાં લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ અને ડીએમકેના સભ્યો કેટલાક મુદ્દા ઉઠાવવા માંગતા હતા. સ્પીકરે વિરોધ કરી રહેલા સભ્યોને કહ્યું કે પ્રશ્નકાળ મહત્વપૂર્ણ છે અને તે તેમના માટે છે. જો કે, તેમણે વિવિધ મુદ્દાઓ ઉઠાવવાની માંગ કરી હતી. આ પછી કોંગ્રેસ, ડીએમકે, એનસીપી અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય પક્ષોના સભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Embed widget