શોધખોળ કરો

India-China Clash: તવાંગ મામલે સંસદમાં હોબાળો, સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના સાંસદો કર્યું વોકઆઉટ

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ મામલે બુધવારે (14 ડિસેમ્બર) લોકસભામાં હોબાળો થયો હતો

Lok Sabha Session:  અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ મામલે બુધવારે (14 ડિસેમ્બર) લોકસભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના લોકસભા સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો હતો. બુધવારે પ્રશ્નકાળ પૂરો થતાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી હતી.

તેમણે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 1962માં લોકસભામાં ભારત-ચીન યુદ્ધ પર ચર્ચા કરવાની મંજૂરી આપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી રહ્યા છીએ. 1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે જવાહરલાલ નેહરુએ આ ગૃહમાં 165 સાંસદોને બોલવાની તક આપી હતી. આ પછી નક્કી થયું કે આપણે શું કરવાનું છે.

સ્પીકરે આ જવાબ આપ્યો

કોંગ્રેસના નેતાની માંગનો જવાબ આપતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સ્પીકરે ગૃહની કાર્યવાહી શરૂ કરતાની સાથે જ કોંગ્રેસ અને ટીએમસીએ વિરોધમાં વોકઆઉટ કર્યું અને સરકાર પર ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ટીએમસીના સભ્ય સુદીપ બંદ્યોપાધ્યાયે પણ ગૃહમાં ચર્ચાની માંગ ઉઠાવી અને કહ્યું કે તેમની પાર્ટીના સભ્યો સરકારના વલણના વિરોધમાં વોકઆઉટ કરી રહ્યા છે.

વિપક્ષના સાંસદોએ અગાઉ પણ વોકઆઉટ કર્યું હતું

દિવસની શરૂઆતમાં વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દાઓના વિરોધમાં લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ અને ડીએમકેના સભ્યો કેટલાક મુદ્દા ઉઠાવવા માંગતા હતા. સ્પીકરે વિરોધ કરી રહેલા સભ્યોને કહ્યું કે પ્રશ્નકાળ મહત્વપૂર્ણ છે અને તે તેમના માટે છે. જો કે, તેમણે વિવિધ મુદ્દાઓ ઉઠાવવાની માંગ કરી હતી. આ પછી કોંગ્રેસ, ડીએમકે, એનસીપી અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય પક્ષોના સભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget