![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ ? જાણો આજનો આંકડો
Covid-19 Cases India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત આઠમા દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે
![Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ ? જાણો આજનો આંકડો India Corona Cases: India reports 1421 new COVID19 cases and 149 deaths in the last 24 hours Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ ? જાણો આજનો આંકડો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/16/13589b7425e5e3d9da6fea81d4a70af8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત આઠમા દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1421 નવા કેસ અને 149 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 1660 નવા કેસ અને 4100 દર્દીના મોત થયા હતા.
એક્ટિવ કેસ ઘટીને 17 હજારથી ઓછા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 554 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 16,187 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,004 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,82,262 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 183,20,10,030 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 29,90,658 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.
India reports 1,421 new COVID19 cases and 149 deaths in the last 24 hours; Active cases stand at 16,187 pic.twitter.com/XB2jJEDyo7
— ANI (@ANI) March 27, 2022
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)