Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો
દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે પણ મૃતકોની સંખ્યા વધી છે. છેલ્લા છ દિવસમાં જ 3200થી વધારે સંક્રમિતોના મોત થયા છે.
India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.
છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ
- 1 ઓક્ટોબરઃ 26,727
- 2 ઓક્ટોબરઃ 24,534
- 3 ઓક્ટોબરઃ 22,842
- 4 ઓક્ટોબરઃ 20,799
- 5 ઓક્ટોબરઃ 18,346
- 6 ઓક્ટોબરઃ 18,383
- 7 ઓક્ટોબરઃ 22,431
- 8 ઓક્ટોબર: 21,527
- 9 ઓક્ટોબરઃ 19,740
- 10 ઓક્ટોબરઃ 18,106
- 11 ઓક્ટોબરઃ 18,132
- 12 ઓક્ટોબરઃ 14,313
- 13 ઓક્ટોબરઃ 15,823
- 14 ઓક્ટોબરઃ 18,987
- 15 ઓક્ટોબરઃ 16,862
- 16 ઓક્ટોબરઃ 15,981
- 17 ઓક્ટોબરઃ 14,146
- 18 ઓક્ટોબરઃ 13,596
- 19 ઓક્ટોબરઃ 13,058
- 20 ઓક્ટોબરઃ 14,623
- 21 ઓક્ટોબરઃ 18,454
- 22 ઓક્ટોબરઃ 15,786
- 23 ઓક્ટોબરઃ 16,326
- 24 ઓક્ટોબરઃ 15,906
- 25 ઓક્ટોબરઃ 14,306
- 26 ઓક્ટોબરઃ 12,147
- 27 ઓક્ટોબરઃ 13,451
કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા
આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 60,44,98,405 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 12,90,900 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.
કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા
કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.