શોધખોળ કરો

Operation Kaveri: સુદાનમાં વાયુસેનાએ વગર લાઈટે રાત્રે ઉતાર્યું વિમાન, દિલધડક રેસ્ક્યુ કરી 121 ભારતીયોને બચાવ્યા

Operation Kaveri:  'ઓપરેશન કાવેરી' હેઠળ આંતરવિગ્રહનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના (IAF) અને ભારતીય નૌકાદળ અત્યાર સુધીમાં 1360 નાગરિકોને દેશમાં પરત લાવ્યા છે.

Operation Kaveri:  'ઓપરેશન કાવેરી' હેઠળ આંતરવિગ્રહનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના (IAF) અને ભારતીય નૌકાદળ અત્યાર સુધીમાં 1360 નાગરિકોને દેશમાં પરત લાવ્યા છે. આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ સુદાનમાં આશ્ચર્યજનક બચાવ કામગીરી હાથ ધરી છે. ભારતીય વાયુસેનાએ શુક્રવારના રોજ સુદાનના સૈયદના આર્મી એરપોર્ટના રનવે પર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને લાઇટ વગર લેન્ડ કર્યું હતું. વાયુસેનાની ટીમે આ સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલા સહિત 121 ભારતીય નાગરિકોને બચાવ્યા છે.

 

 સૈયદના સુદાનની રાજધાની ખાર્તુમની ઉત્તરે 22 કિલોમીટર (14 માઇલ) દૂર આર્મી એરપોર્ટ છે. અહેવાલો અનુસાર, આ રનવે પર નેવિગેશન માટે કોઈ સહાય ન હતી. કોઈ લાઈટ પણ ન હતી. ઈંધણની પણ કોઈ વ્યવસ્થા નહોતી. એરફોર્સના પાઈલટોએ બચાવ કામગીરી દરમિયાન નાઈટ વિઝન ગોગલ્સનો ઉપયોગ કર્યો હતો.

નાની એરસ્ટ્રીપ પર કારનામું
અહેવાલો અનુસાર, 27/28 એપ્રિલ 2023 ની રાત્રે હાથ ધરવામાં આવેલા એક સાહસિક ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાના એક C-130J વિમાને વાડી સૈયદનાની એક નાની હવાઈપટ્ટીમાંથી 121 લોકોને બચાવ્યા હતા. આ લોકો પાસે સુદાન બંદર સુધી પહોંચવાનું કોઈ સાધન નહોતું. કાફલાનું નેતૃત્વ ભારતીય સંરક્ષણ એટેચી દ્વારા કરવામાં આવ્યું હતું, જો વાડી સૈયદના ખાતેની હવાઈ પટ્ટી પર પહોંચે ત્યાં સુધી ભારતીય વાયુસેનાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. એરફોર્સના પાઇલોટ્સ રાત્રે ઉતરાણ માટે નાઇટ વિઝન ગોગલ્સ (NVG) નો ઉપયોગ કરતા હતા. એરસ્ટ્રીપની નજીક પહોંચતી વખતે, ટૂંકા રનવે પર કોઈ અવરોધ ન આવે તેની ખાતરી કરવા માટે ક્રૂએ તેમના ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ/ઇન્ફ્રા-રેડ સેન્સર્સનો ઉપયોગ કર્યો.

8 ગરુડ કમાન્ડોએ ભારતીયોને સુરક્ષા પૂરી પાડી હતી
રનવે ક્લિયર હોવાની ખાતરી કર્યા બાદ એરફોર્સના હિંમતવાન પાઈલટોએ વિમાનનું લેન્ડિંગ કરાવ્યું હતું. આ દરમિયાન એરફોર્સના સ્પેશિયલ ફોર્સ યુનિટના 8 ગરુડ કમાન્ડોએ ભારતીયોની સુરક્ષા કરી હતી. કમાન્ડોએ જ સામાનને વિમાનમાં સલામત રીતે ઉતાર્યો હતો. વાડી સૈયદના અને જેદ્દાહ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલા એરફોર્સનું આ ઓપરેશન કાબુલમાં થયેલા ઓપરેશન જેવું જ છે.

અત્યાર સુધીમાં 1360 ભારતીયો પરત ફર્યા છે
વિદેશ મંત્રાલયને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ માહિતી આપી હતી કે શુક્રવારે અમારા કુલ 754 નાગરિકો ભારત પહોંચ્યા હતા. તેમાંથી 362 બેંગલુરુ પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે ઓપરેશન કાવેરી હેઠળ 362 ભારતીયો બેંગલુરુ પહોંચ્યા છે. તેઓને સાઉદી અરેબિયાના જેદ્દાહથી ભારત લાવવામાં આવ્યા હતા. ત્યાં અમે ટ્રાન્ઝિટ કેમ્પ બનાવ્યો છે. બુધવારે 360 અને ગુરુવારે 246 ભારતીયોને ઘરે લાવવામાં આવ્યા હતા. સુદાનમાં લગભગ 3500 ભારતીયો હાજર હતા. જેમાંથી 1360ને પરત લાવવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Embed widget