શોધખોળ કરો

Operation Kaveri: સુદાનમાં વાયુસેનાએ વગર લાઈટે રાત્રે ઉતાર્યું વિમાન, દિલધડક રેસ્ક્યુ કરી 121 ભારતીયોને બચાવ્યા

Operation Kaveri:  'ઓપરેશન કાવેરી' હેઠળ આંતરવિગ્રહનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના (IAF) અને ભારતીય નૌકાદળ અત્યાર સુધીમાં 1360 નાગરિકોને દેશમાં પરત લાવ્યા છે.

Operation Kaveri:  'ઓપરેશન કાવેરી' હેઠળ આંતરવિગ્રહનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના (IAF) અને ભારતીય નૌકાદળ અત્યાર સુધીમાં 1360 નાગરિકોને દેશમાં પરત લાવ્યા છે. આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ સુદાનમાં આશ્ચર્યજનક બચાવ કામગીરી હાથ ધરી છે. ભારતીય વાયુસેનાએ શુક્રવારના રોજ સુદાનના સૈયદના આર્મી એરપોર્ટના રનવે પર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને લાઇટ વગર લેન્ડ કર્યું હતું. વાયુસેનાની ટીમે આ સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલા સહિત 121 ભારતીય નાગરિકોને બચાવ્યા છે.

 

 સૈયદના સુદાનની રાજધાની ખાર્તુમની ઉત્તરે 22 કિલોમીટર (14 માઇલ) દૂર આર્મી એરપોર્ટ છે. અહેવાલો અનુસાર, આ રનવે પર નેવિગેશન માટે કોઈ સહાય ન હતી. કોઈ લાઈટ પણ ન હતી. ઈંધણની પણ કોઈ વ્યવસ્થા નહોતી. એરફોર્સના પાઈલટોએ બચાવ કામગીરી દરમિયાન નાઈટ વિઝન ગોગલ્સનો ઉપયોગ કર્યો હતો.

નાની એરસ્ટ્રીપ પર કારનામું
અહેવાલો અનુસાર, 27/28 એપ્રિલ 2023 ની રાત્રે હાથ ધરવામાં આવેલા એક સાહસિક ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાના એક C-130J વિમાને વાડી સૈયદનાની એક નાની હવાઈપટ્ટીમાંથી 121 લોકોને બચાવ્યા હતા. આ લોકો પાસે સુદાન બંદર સુધી પહોંચવાનું કોઈ સાધન નહોતું. કાફલાનું નેતૃત્વ ભારતીય સંરક્ષણ એટેચી દ્વારા કરવામાં આવ્યું હતું, જો વાડી સૈયદના ખાતેની હવાઈ પટ્ટી પર પહોંચે ત્યાં સુધી ભારતીય વાયુસેનાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. એરફોર્સના પાઇલોટ્સ રાત્રે ઉતરાણ માટે નાઇટ વિઝન ગોગલ્સ (NVG) નો ઉપયોગ કરતા હતા. એરસ્ટ્રીપની નજીક પહોંચતી વખતે, ટૂંકા રનવે પર કોઈ અવરોધ ન આવે તેની ખાતરી કરવા માટે ક્રૂએ તેમના ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ/ઇન્ફ્રા-રેડ સેન્સર્સનો ઉપયોગ કર્યો.

8 ગરુડ કમાન્ડોએ ભારતીયોને સુરક્ષા પૂરી પાડી હતી
રનવે ક્લિયર હોવાની ખાતરી કર્યા બાદ એરફોર્સના હિંમતવાન પાઈલટોએ વિમાનનું લેન્ડિંગ કરાવ્યું હતું. આ દરમિયાન એરફોર્સના સ્પેશિયલ ફોર્સ યુનિટના 8 ગરુડ કમાન્ડોએ ભારતીયોની સુરક્ષા કરી હતી. કમાન્ડોએ જ સામાનને વિમાનમાં સલામત રીતે ઉતાર્યો હતો. વાડી સૈયદના અને જેદ્દાહ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલા એરફોર્સનું આ ઓપરેશન કાબુલમાં થયેલા ઓપરેશન જેવું જ છે.

અત્યાર સુધીમાં 1360 ભારતીયો પરત ફર્યા છે
વિદેશ મંત્રાલયને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ માહિતી આપી હતી કે શુક્રવારે અમારા કુલ 754 નાગરિકો ભારત પહોંચ્યા હતા. તેમાંથી 362 બેંગલુરુ પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે ઓપરેશન કાવેરી હેઠળ 362 ભારતીયો બેંગલુરુ પહોંચ્યા છે. તેઓને સાઉદી અરેબિયાના જેદ્દાહથી ભારત લાવવામાં આવ્યા હતા. ત્યાં અમે ટ્રાન્ઝિટ કેમ્પ બનાવ્યો છે. બુધવારે 360 અને ગુરુવારે 246 ભારતીયોને ઘરે લાવવામાં આવ્યા હતા. સુદાનમાં લગભગ 3500 ભારતીયો હાજર હતા. જેમાંથી 1360ને પરત લાવવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget