શોધખોળ કરો

રશિયા અને યૂક્રેન મુદ્દે વિદેશ મંત્રી એસ. જયશંકરે સમગ્ર વિવાદનું કારણ આપ્યુ, જાણો શું નિવેદન આપ્યું

હાલ ઘણા દેશો એવા છે જે રશિયા અને યૂક્રેનના વિવાદ મુદ્દે અત્યાર સુધી જે તટસ્થ રહ્યા છે અને રશિયા કે યૂક્રેનનું સમર્થન નથી કર્યું. ભારત પણ એમાંનો જ એક દેશ છે જેણે અત્યાર સુધી તટસ્થ વલણ જાળવી રાખ્યું છે.

રશિયા અને યૂક્રેન વચ્ચે ધણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદથી અને હવે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિથી સમગ્ર દુનિયા ચિંતિત છે. એક તરફ કેટલાક દેશો યૂક્રેન સાથે છે તો, કેટલાક દેશો રશિયાનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે ઘણા દેશો એવા પણ છે કે જે તટસ્થ રહ્યા છે અને રશિયા કે યૂક્રેનનું સમર્થન નથી કર્યું. ભારત પણ એમાંનો જ એક દેશ છે જેણે અત્યાર સુધી તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આપાતકાલીન બેઠકમાં પણ આ જ વલણ અપનાવતાં આ વિવાદનું સમાધાન શાંતિપૂર્ણ રીતે વાતચીત કરીને લાવવાની જરુર છે. હવે આ મુદ્દે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ પોતાનો પક્ષ રાખ્યો છે. 

અત્યારની સ્થિતિ 30 વર્ષનું પરિણામઃ

ફ્રાંસ પહોંચેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે એક સમાચાર પત્ર સાથે વાતચીતમાં કહ્યું કે, યૂક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલી આ સ્થિતિનું મૂળ સોવિયત પછીનું રાજકારણ છે. યૂક્રેનની હાલની સ્થિતિનું કારણ નાટો (NATO)ના વિસ્તાર અને યૂરોપીય દેશો સાથે રશિયાના બદલાતા સંબંધો પણ છે. આ પરિસ્થિતિ આજ-કાલમાં નથી નિર્માણ પામી પરંતુ આ છેલ્લા 30 વર્ષોનું પરિણામ છે.


યુદ્ધથી આ સમસ્યા વધશેઃ

જ્યારે એસ. જયશંકરને રશિયાએ યૂક્રેન બોર્ડર પર તૈનાત કરેલા સૈનિકો વિશે ભારતે કોઈ નિંદા ના કરી તે વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, દુનિયા હાલ ઘણી સમસ્યાઓ સાથે જજુમી રહી છે. આવી સ્થિતિમાં યુદ્ધની પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય પડકારોને વધારે છે. ભારત આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અન્ય સભ્યો સાથે રશિયા સાથે વાત કરી શકે છે. ભારત ફ્રાંસની જેમ પહેલનું સમર્થન કરે છે. 

ક્વાડ મુદ્દે વિચાર રજૂ કર્યાઃ

વિદેશ મંત્રી એસ. જયશંકરે QUADનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, QUAD ક્ષેત્રિય અને વૈશ્વિક પડકારોમાં મદદ કરશે. ક્વાડ પાછળનો અમારો હેતુ એવો છે કે, અમે ચારેય દેશ એક સાથે કામ કરવામાં સહજ છીએ અને અમારી વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં ક્વાડને એશિયાઈ નાટો કહેવા મુદ્દે એસ. જયશંકરે નીંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ભ્રામક શબ્દાવલી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget